________________
૩૨
શ્રી ધર્મસ્પદ્રુમ મહાકાવ્ય મનુષ્ય મૃતપ્રાયઃ ગણાય છે. કહ્યું છે કે જેની પાસે દ્રવ્ય છે તેના જ સહુ મિત્રો થાય છે, તે જ સાચો પુરુષ ગણાય છે. તેનું જ જીવિતવ્ય સાર્થક ગણાય છે. “જાતિ, વિદ્યા ને રૂપ એ ત્રણેથી રહિત મનુષ્ય પણ જો અર્થસંપન્ન હોય તો સર્વગુણો સ્વયમેવ પ્રગટ થાય છે.”
આ પ્રમાણે સાંભળીને પત્ની બોલી કે– હું આપને અર્થ ઉપાર્જન કરવાનો ઉપાય બતાવીશ, ત્યાં સુધીમાં હે નાથ ! આપ પ્રથમ ભોજન કરી લો.' પછી ધર્મદત્તે સ્નાન કરી, દેવાર્શન કરીને ભોજન કર્યું. તે મનમાં વિચારવા લાગ્યો કે “મારી પત્ની શું કોઈ નિધાન બતાવશે ?' ક્ષણવાર વિશ્રામ લઈને તેણે પ્રિયાને પૂછ્યું કે- હે પ્રિયે ! મને અર્થોપાર્જનનો ઉપાય બતાવ.” તે બોલી “હે સ્વામી ! મારા આભૂષણો લક્ષ મૂલ્યના છે. તેમાંથી મારા કુંડળો ૫૦૦ દીનારનાં મૂલ્યના છે. તે વેચીને તેનું જે દ્રવ્ય આવે તેનાથી આપ વ્યાપાર કરો. ધર્મદત્ત પાંચશો દિીનારથી શું વેપાર કરવો? તેનો વિચાર કરવા લાગ્યો. પણ પૂર્વે કરોડપતિ પિતાના વ્યાપારમાં જોડાયેલા તેને કોઈ વેપાર ધ્યાનમાં આવ્યો નહિ. તેથી તે બોલ્યો કે, “હે પ્રિયે ! મેં પૂર્વે કોટી દ્રવ્યથી વેપાર કરેલ છે તેથી અત્યારે અલ્પ દ્રવ્યથી કોઈ નાનો વેપાર કરવાની મારી ઇચ્છા નથી મને શરમ આવે છે. તેથી હું વહાણમાં કાંઈક કરીયાણા લઈને સમુદ્ર માર્ગે વ્યાપાર કરવા જાઉં, કારણકે તે વિના દ્રવ્ય મળવાનો સંભવ નથી. હ્યું છે કે “શેરડીનું ક્ષેત્ર, સમુદ્ર, જાત્યવંત રત્નાદિક કે રાજાની મહેરબાની એ ક્ષણ માત્રમાં દરિદ્રતાનો નાશ કરે છે.”
- પ્રિયાએ કહ્યું કે–“હે સ્વામી હમણા સમુદ્રપ્રયાણનું શું કામ છે? કારણકે સર્વકાર્યમાં સદા ભાગ્યની જ પ્રાધાન્યતા છે. પુણ્યથી જ પ્રાણીઓને વાંછિતાર્થની પ્રાપ્તિ થાય છે. પુણ્યવિના માત્ર ઉદ્યમથી પણ દ્રવ્યપ્રાપ્તિ થતી નથી. જુઓ. સૂર્ય આખો દિવસ આકાશમાં ભમે છે તો પણ આઠમા સમુદ્ર પર તે જઈ શકતો નથી અને વિંધ્યાચળ પોતાના સ્થાનથી એક પગલું પણ ખસતો નથી છતાં અનેક હાથીઓની પ્રાપ્તિ તેને થાય છે. કેટલાક મનુષ્યને પોતાના ઘરમાં રહેવા છતાં કલ્પલત્તાના ફળની જેમ લક્ષ્મી પ્રાપ્ત થાય છે અને કેટલાકને સમુદ્ર ઉલ્લંઘતા, ખાણ ખોદતાં, પૃથ્વીતળ પર ભમતાં અને અનેક પ્રકારનો વ્યવસાય કરવા છતાં પેટ પૂરતું ખાવા પણ મળતું નથી. લોકમાં કર્મથી અધિક વ્યવસાય કહેવાય છે. પણ તેથી પણ અધિક ભાગ્યવાનું કહેવાય છે તે ઉપર રત્ન અને રાજિલની કથા આ પ્રમાણે છે.
| રન-રાજિલની કથા * ગાંધર્વ નામના નગરમાં રત્ન અને રાજિલ નામના બે વણિકો રહેતા હતા. તે બંને હંમેશા પરસ્પર વિવાદ કરતા હતા અને કોઈપણ પુરુષાર્થ કર્યા વગર બેસી રહેતા હતા. તે બંનેમાંથી જે રત્ન હતો તે વ્યવસાયથી સફળતા માનતો હતો અને રાજિલ દીર્ધદષ્ટિ પણે ભાગ્યની જ પ્રશંસા કરતો હતો. પરસ્પર હઠ કરતા તે બન્નેને લોકોએ ઘણા અટકાવ્યા પણ તેઓ અટક્યા નહીં. આ વાતની જાણ થતાં રાજાએ તે બન્નેને પોતાની પાસે બોલાવ્યા અને કહ્યું કે “તમે ફોગટ વાદ શા માટે કરો છો? જે જેને સુખદાયક લાગે તે કરો. જે જેનાં મનમાં ગમ્યું તે કાર્ય નિદ્ય છતાં પણ સુંદર જ સમજવું. સુખની પ્રાપ્તિ માટે તમે બે એકબીજાથી વિપરીત ક્રિયામાં પ્રવૃત્તિ કરો તેથી તેમાં જે ફાવશે તે સાચો ગણાશે.” તે સમયે રાજિલ બોલ્યો કે “હે