________________
દ્વિતીય પલ્લવ
૨૯
સાથેની મિત્રતા, ઉત્તમ પુરુષો સાથે દ્વેષ અને અનેક પ્રકારના વ્યસનો–આ બધા સંસારવાસની વૃદ્ધિનો ક્રમ સૂચવે છે, એને અંગીકાર કરનારા મનુષ્યો સંસારમાં પરિભ્રમણ કરે છે. તેમાં પણ - જુગાર તો સર્વ આપત્તિનું ધામ છે, દુષ્ટ બુદ્ધિમાં વૃદ્ધિ કરનાર છે, જુગારથી કુળ મલિન થાય છે અને જુગારની પ્રશંસા અધમ લોકો જ કરે છે. “હે પ્રાણપ્રિયે ! આપણા પુત્રને ધૂતકારોને સોંપવાની આ તારી બુદ્ધિ સુંદર નથી કેમકે કુસંગતિથી વળી ડાહ્યા કેવી રીતે થવાય ? શું વિષ ખાવાથી કયારેય જીવિત મળે ? કુસંગથી દોષની પ્રાપ્તિ થાય અને સત્સંગથી ગુણની પ્રાપ્તિ થાય. તે સંબંધમાં વનના બે પોપટનું દષ્ટાંત કહું છું તે સાંભળ!
બે પોપટનું દષ્ટાંત * એક વનમાં કોઈ વૃક્ષ ઉપર એક માળામાં બે પોપટના બચ્ચાં ઉત્પન્ન થયેલાં હતાં. તેમાંથી એક બચ્ચાંને ભિલ્લ લઈ ગયો અને એક બચ્ચાંને કોઈ તાપસ લઈ ગયો. તે બંને ભિલ્લના ને તાપસના સ્થાનમાં તેઓની વાણી સાંભળતાં મોટા થયા. એક વખત ઘોડા દ્વારા અપહરણ કરાયેલો કોઈક રાજા ભિલ્લના નિવાસ તરફથી જતો હતો, તેને જોઈ જોઈને ભિલ્લનો પોપટ બોલ્યો કે–ત્તસ્યમૂલ્ય સ્થિતિ લાખ મૂલ્યવાળો જાય છે, તે સાંભળીને ભિલ્લો દોડ્યા અને રાજાને પકડીને તેનું આખું શરીર તપાસી જોયું, પણ કાંઈ મળ્યું નહીં તેથી ભિલ્લો તેનો ઘોડો લઈને પાછા વળ્યા. પોપટ ફરીથી પાછો બોલ્યો કે- લાખ મૂલ્યવાળો જાય છે.” તેથી પાછા ભિલ્લો રાજાની પાસે આવ્યા અને કહ્યું કે–અમારો પોપટ ખોટું બોલતો નથી, તેથી જે હોય તે સાચું કદી ઘો, તમને અભય છે.” એટલે રાજાએ કહ્યું કે મારી પાસે તો કાંઈ નથી પણ હું લાખો ને ક્રોડોનો માલિક છું–મારે ઘેર પુષ્કળ લક્ષ્મી છે.' તેથી ભિલ્લાએ ઘોડો લઈને રાજાને મુક્ત કર્યો. આગળ જતાં તે રાજા તાપસના આશ્રમ પાસે નીકળ્યો. એટલે તેનો પોપટ બોલ્યો કે–એક મહાનું અતિથિ જાય છે. તેથી તાપસી આવીને રાજાને પોતાના આશ્રમમાં લઈ ગયા અને તેમની સારી રીતે આગતાસ્વાગતા કરી. રાજા તે પોપટને હાથમાં લઈને બોલ્યો કે–“અરે પોપટ ! એક પોપટે મને પકડાવ્યો ને તેં મારો સત્કાર કરાવ્યો, તેનું શું કારણ? તમારા બંનેમાં આટલું બધું અંતર કેમ? તેના ઉત્તરમાં તે પોપટ બોલ્યો કે
माताप्येका पिताप्येको, मम तस्य च पक्षिणः ।
अहं मुनिभिरानीतः, स चानीतो गवाशिभिः ॥ મારી અને તે પોપટની માતા એક છે, પિતા પણ એક છે, પંરતુ મને મુનિઓ લાવ્યા છે અને તેને ભિલ્લો લઈ ગયેલા છે.” તે ભિલ્લોની વાણી સાંભળે છે અને હું મુનિઓની વાણી સાંભળું છું. તમે પ્રત્યક્ષપણે જોયું કે અમારા બંનેમાં સંસર્ગથી ઉત્પન્ન થયેલા ગુણદોષો છે."*
સંત પુરષ પણ દુર્જનના સંસર્ગથી દોષિત બને છે, તેથી તે કાંતે ! પુત્રને કુસંસર્ગથી બચાવવો જોઈએ. કુસંસર્ગથી કુલીનોનો વિકાસ ક્યાંથી થાય? બોરડીના વૃક્ષની પાસે રહેલું કેળનું વૃક્ષ કેટલો સમય સુખે રહી શકે ? આપણા પ્રિયપુત્રને આપણે કુશિક્ષા શી રીતે આપીએ? શાસ્ત્રકારો મરણ પામેલા કે પરદેશ ગયેલા પુત્ર કરતાં કુસંગતિવાળા પુત્રને ખરાબ