________________
પ્રથમ પલ્લવઃ
હંસ સમાન, નિર્મળ અને મહાબુદ્ધિમાનું તેમ જ શુદ્ધ પક્ષવાળો ચંદ્રયશા નામે પુત્ર થયો છે. પાંચ ધાવમાતાઓથી પળાતો અને એક હાથમાંથી બીજા હાથમાં સંચરતો તે પુત્ર અનુક્રમે સાત વર્ષનો થયો. રાજાએ તેને ભણાવવા માટે કલાચાર્યને સોંપ્યો. પ્રાજ્ઞ એવો તે રાજપુત્ર જાણે ભણેલ હોય તેમ અલ્પકાળમાં ઘણું શ્રુત ભણ્યો. વ્યાકરણ, સાહિત્ય, છંદ, અલંકાર વગેરે શાસ્ત્રોનો તે અતિશિક્ષિત હોય તેમ અલ્પકાળમાં અભ્યાસ કર્યો. શુકન શાસ્ત્રમાં તે સુપરિચિત થયો અને પશુ, પક્ષી- સંબંધી શબ્દોને જાણવાના શાસ્ત્રમાં પણ તે નિપુણ બન્યો. લેખન, પઠન, ગીત, નૃત્ય, વાંજિત્ર, સંસ્કૃત ભાષા વગેરે પુરુષોની બહોતેર કળાઓ તેણે આત્મસાત્ કરી. તે સિંહનો ૧, બગલાના ૨ કુર્કટના ૪, કાગડાના ૫, શ્વાનના ૬ અને ગધેડાના ૩ એમ જુદા જુદા વિશ ગુણોનો માલિક બન્યો. તે વશ ગુણો આ પ્રમાણે છે :
(૧) ઘણું કાર્ય હોય કે થોડું હોય પણ જે મનુષ્ય તે કરવાને ઈચ્છે તેણે સિંહની જેમ સર્વ બળવડે તે કાર્ય સિદ્ધ કરવું. (૧) પંડિત પુરુષોએ બગલાની જેમ ઇન્દ્રિયોને વશ કરીને દેશકાળાનુસારે પ્રાપ્ત થયેલા સર્વ કાર્યો કરવા, (૪) A વહેલું ઉઠવું B યુદ્ધ કરવું, C પોતાની જાતિનો ભાગ પાડીને ભાગે પડતું ખાવું અને D સ્ત્રી જાતિને વશ ન થવું આ ચાર ગુણો કુર્કટ પાસેથી ગ્રહણ કર્યા. (૫) A ગૂઢ મૈથુન B ધૃષ્ટતા, ૮ યથાકાળે ઘર બાંધવું, D અપ્રમાદી રહેવું ને E કોઈનો વિશ્વાસ ન કરવો–આ પાંચ ગુણ કાગડા પાસેથી ગ્રહણ કર્યા (૬) A ઘણું ખાનારો છતાં B અલ્પથી પણ સંતુષ્ટ C સારી નિદ્રા, D લઘુચેતના (તરત જાગી જનારી), E સ્વામીભક્તપણું ને F શૂરવીરતા આ છ ગુણ શ્વાન પાસેથી લેવા. (૩) A જેટલો ભાર ભરો તેટલો વહન કરવો B ઠંડી-ગરમી ન ગણવી અને C નિત્ય સંતુષ્ટપણે રહેવું. આ ત્રણ ગુણો ગધેડા પાસેથી લીધા. આ ૨૦ ગુણોથી યુક્ત તે સાચો ગુણવાન બન્યો.
ઉત્તમ મનુષ્યના ૩૨ લક્ષણો કહેવાય છે તે આ પ્રમાણે –૧. કુલિન ૨. પંડિત ૩. વાચાળ ૪. ગુણગ્રાહી ૫. સદા ઉદ્યમી ૬. સત્પાત્રનો સંગ્રહ કરનાર ૭. ત્યાગી ૮. ગંભીર ૯. વિનયી ૧૦. ન્યાયવાનું ૧૧. શૃંગારી ૧૨. પ્રશંસનીય ૧૩. સત્યવાદી ૧૪. શુદ્ધમનવાળો ૧૫. ગીતજ્ઞ ૧૬. રસિક ૧૭. વાદી (વાદ કરી જાણનાર) ૧૮. ગુપ્તાથ ૧૯. દાનપ્રિય ૨૦. મંત્રવાદી ૨૧. કળાવાનું ૨૨. સન્માર્ગે ધન મેળવનાર ૨૩. વિલક્ષણ ૨૪. ધૂર્ત ૨૫. મિષ્ટાન્નભોજી ૨૬. તેજસ્વી ૨૭. ધાર્મિક ૨૮. કપટી ૨૯. લેખક ૩૦. ક્ષમાવાનું ૩૧. પરિચિતોને ઓળખનાર ૩૨. સર્વ ગ્રંથોના અર્થને જાણનાર.
તેમજ હાથપગની રેખા ઉપર બીજા અત્યંતર લક્ષણો પણ હોય છે તે સામુદ્રિક શાસ્ત્રમાં હાથપગની રેખા ઉપરથી જાણવાના કહ્યા છે તે રેખાઓ આવા પ્રકારની હોય છે :-૧, પ્રસાદ ૨. પર્વત ૩. પોપટ ૪. અંકુશ ૫. સુપ્રતિષ્ઠ ૬. પદ્મા ૭. અભિષેક ૮. યવ(નવ) ૯. દર્પણ ૧૦. ચામર ૧૧. કુંભ ૧૨. અક્ષ ૧૩. મત્સ્ય ૧૪. મકર ૧૫. દ્વિપ ૧૬. સત્પતાકા ૧૭. સપુષ્પમાળા ૧૮. પૃથ્વી ૧૯. રથ ૨૦ તોરણ ૨૧. છત્ર ૨૨. ધ્વજ ૨૩. સ્વસ્તિક ૨૪. યજ્ઞસ્તંભ ૨૫. કૂવો ૨૬. કમંડળ ૨૭. સૂપ ૨૮. મયૂર ૨૯. કાચબો ૩૦. અષ્ટાપદ ૩૧. સ્થાલ અને (૩૨. સમુદ્ર આવા પ્રકારની જુદી જુદી રેખાઓ ઉત્તમ પુરુષના હસ્ત તથા ચરણોમાં હોય છે.