________________
છઠ્ઠો પલ્લવ
૧૬૭ ભત્તરને અનુકૂળ, કલહરહિત, પ્રિય બોલનારી, નિર્મળશીલવડે મનોહર, સ્વરૂપ અને સૌંદર્યવડે જીતી છે અપ્સરાને જેણે એવી ઉત્તમ સ્ત્રી પુણ્યવાનના ઘરે જ હોય છે.” • એક રાત્રીએ પુણ્યસાર પોતાના ઘરમાં સુખે સૂતેલો હતો તેટલામાં લક્ષ્મીએ આવીને તેને કહ્યું કે- હું તારે ઘરે આવવા ઇચ્છું છું.' પ્રભાતકાળે તેણે જાગીને જોયું તો પોતાના ઘરમાં ચાર ખૂણે ચાર અદ્ભુત એવા સુવર્ણ કળશો દેખાયા. તે જોઈને તેણે વિચાર્યું કે–“રાત્રીએ મને લક્ષ્મીએ કહ્યું હતું તે તેણે સત્ય કર્યું જણાય છે. પરંતુ આ વાત દુર્જનો પાસેથી રાજા સાંભળે તો કોઈક સમયે ક્રોધિત થાય, માટે હું જ તેની પાસે જઈને આ હકીકત નિવેદન કરું.” આ પ્રમાણે વિચારીને તેણે રાજા પાસે જઈ તે હકીકત નિવેદન કરી અને તે સુવર્ણ કળશ પોતાના માણસ પાસે મંગાવીને રાજાને બતાવ્યા. રાજા તે જોઈને વિસ્મય પામ્યો અને પોતાના રાજભંડારમાં તે કળશો મૂકાવ્યા. બીજે દિવસે પણ તે જ પ્રમાણે સુવર્ણ કળશો જોઈ પુણ્યસારે રાજાને નિવેદન કર્યું. તે કળશો પણ મંગાવીને રાજાએ પોતાના ભંડારમાં મૂકાવ્યા. ત્રીજે દિવસે પણ તે જ રીતે સુવર્ણ કુંભો જોઈને તેણે રાજા પાસે આવીને તે હકીકત નિવેદન કરી. તેથી રાજાએ તે કુંભ મંગાવવાનું કહ્યું. તે વખતે મંત્રી બોલ્યો કે-“સ્વામિન્ ! પ્રથમ બે દિવસના મૂકાવેલા આઠ સુવર્ણ કુંભોની તો તપાસ કરો.” રાજાએ ભંડારી પાસે તાપસ કરાવી તો ભંડારમાં તે કુંભો જોયા નહીં, તેથી રાજાએ કહ્યું કેપુણ્યસાર ! તું જ ખરો પુણ્યનો સાર છે કે જેથી તારે ઘરે લક્ષ્મી અભિસારિકાની જેમ સ્વયમેવ આવીને રહેવા ચાહે છે. તેમ ન હોય તો લોભના વશથી મારા અહીં મંગાવેલા આઠ કળશો પાછા તારે ઘરે કેમ જતા રહે ?” આ પ્રમાણે કહીને અતિ વિસ્મયપણાને પામેલા રાજાએ તેનો ઘણો સત્કાર કરીને નગરશેઠ તરીકે સ્થાપિત કર્યો. પછી વસ્ત્રાલંકારાદિવડે તેનું વિશેષ સન્માન કરીને રાજાએ પોતાના પ્રધાન પુરુષોની સાથે તેને ઘરે વિદાય કર્યો. * પુણ્યસાર પણ પોતાને ઘરે ગયા પછી અનેક નગરજનોથી સેવાતો દાનાદિકમાં તત્પર થઈને પોતાને પ્રાપ્ત થયેલી કમલા લક્ષ્મીને સફળ કરવા લાગ્યો. એક દિવસ સુનંદ નામના
શ્રુતકેવળી મુનિ ભગવંત અનેક મુનિઓ સહિત તે નગરના ઉદ્યાનમાં સમવસર્યા. નગરલોકોથી - પરિવરેલો રાજા તેમને વંદન કરવા ઉદ્યાનમાં આવ્યો. પુણ્યસાર પણ માતાપિતા તથા પત્ની
સહિત ગુરુવંદન માટે આવ્યો. સર્વે લોકો ગુરુમહારાજના અદ્વિતીય એવા ચરણ ઢંઢને વાંદીને તેમની પાસે બેઠા તેથી તે મુનિરાજોના અગ્રણી આચાર્યે દેશનાનો આરંભ કરતાં કહ્યું કે-“હે ભવ્યજનો ! જેના હૃદયમાં સર્વજ્ઞ છે, જેની વાણીમાં તેમના ગુણની સ્તવના છે, જેના દેહમાં શ્રાવકના વ્રતો છે, જે ધર્મારાધનમાં તત્પર છે, જેને બોધ પરિણમેલો છે, બુધજનોની જે પ્રશંસા કરે છે, મુનિરાજ પર જેને પ્રીતિ છે. બુધજનમાં બંધુભાવ છે અને જૈનશાસનમાં રતિ છે–આ પ્રમાણેનો લોકોના મનનું રંજન કરનારો ગુણસમુદાય જેનામાં વર્તે છે તેને જ ખરો પુણ્યવાનું શ્રાવક જાણવો.”
આ પ્રમાણેની ધર્મદેશના સાંભળીને બુદ્ધિમાનું એવા ધનંમિત્રે ગુરુભગવંતને પૂછ્યું કે“હે પ્રભુ ! મારા પુત્ર પુણ્યસારે પૂર્વભવમાં શું શું સુકૃત કરેલું છે? કે જેથી ઘરની દાસીની
જેમ લક્ષ્મી તેના ઘરમાં આવીને વસે છે. વળી તેને સૌભાગ્ય, આરોગ્ય અને રાજમાન્યપણું - તેમજ જનમાન્યપણું સાથી પ્રાપ્ત થયું છે ?