________________
છઠ્ઠો પલ્લવઃ
૧૪૭
આંગળીઓ મોઢામાં નાખીને દીનવાણીથી બોલ્યો કે–“મારા વસ્ત્ર, ભાતું અને શસ્ત્રો લઈને મને ગરીબને છોડી મૂકો. હે રાજેંદ્રો ! અનાથ, અશરણ, દીન, ભયથી કંપતા અને કિંકર જેવા મને કેમ છોડી દેતા નથી? હે દયાળુ ! તમે મારા જીવિત વિના બીજું બધું લઈ લ્યો. મારી સ્ત્રી ઘરે એકલી છે અને તેનો ભત્તર હું પણ એકલો છું.”
આ પ્રમાણેના ધીરના વચનો સાંભળીને તેના પરાક્રમથી ખુશ થયેલા ચોરોએ માત્ર વસ્ત્રો રહેવા દઈને હાથીના કાનની જેવી કંપની સ્થિતિમાં તેને છોડી મૂક્યો. તેના ગયા બાદ ચોરો બહુ ભૂખ્યા થયેલા હોવાથી ધીરની સ્ત્રીએ જેમાં વિષ નાખેલું છે એવું ભાતું જાણે યમની સેવા કરવાની ઇચ્છાથી ખાધું. તે આહારની અંદર નાખેલાં વિષથી તે ચોરો દીર્ઘનિદ્રામાં પડ્યાં અર્થાત્ મરણ પામ્યા. ધીર વિભ્રમથી ભ્રાંત થઈને તેની પાસે આવ્યો, પણ પવનવડે તેમના દેશોને ઊડતા જોઈને તેને જીવતા માનતો તે પાછો ત્યાંથી ભયાતુર થઈને દૂર જતો રહ્યો. તેટલામાં “અરે ધૂર્તો! આ વિશ્વાસી માણસનું તમે બધું લઈ લીધું, પણ તેનું ફળ ભોગવો.' જાણે એમ કહેતા ન હોય તેમ કાગડાઓએ તરત જ ત્યાં આવીને ધીરનો સંશય દૂર કર્યો. પછી જેની ફરતે કાગડાઓ ફરી વળેલા છે એવા તે મરણ પામેલા ચોરના મસ્તકો ખગવડે છેદીને પોતાની કેડે બાંધવાથી પેલો ધીર દુર્ભાગ્યરૂપી નદીને તરવા માટે કેડે તુંબડા બાંધ્યા હોય તેની જેમ શોભવા લાગ્યો.
ત્યારબાદ તે ચોરોના શસ્ત્રો અને વસ્ત્રો વગેરે લઈને મદોન્મત થયેલો ધીર હસ્તિનાપુરમાં શ્રીહર્ષ નામના રાજાના રાજમહેલ પાસે આવ્યો અને રાહુના રૂપ જેવા મસ્તકોને રાજકારે મૂકીને તે ધીર રાજા પાસે જઈ પોતાના પરાક્રમના વિસ્તારથી વખાણ કરવા લાગ્યો. રાજા પણ આખા દેશમાં ઉપદ્રવ કરનારા અને અજેય એવા તે સાતે દુર્ધર ચોરોને મારી નાંખ્યાની હકીકત સાંભળી અત્યંત વિસ્મય પામ્યો. રાજાએ તેને નોકરી લેવા કહ્યું, તેથી તેણે પોતાના પરાક્રમની વાત કરીને “જેવા તેવા કાર્ય માટે મને ન મોકલવો.” એમ રાજાને કહ્યું. “વળી તમારા શરીરને કાંઈ ઉપાધિ આવી પડે તે વખતે મને કહેવું અને મારું ચમત્કારી પરાક્રમ જોવું.’ એમ પણ કહ્યું. રાજાએ તે વાત કબૂલ કરીને ઘણા આગ્રહ સાથે વાર્ષિક લક્ષ દ્રવ્ય આપવાનું ઠરાવીને તેને સર્વે સુભટોના અગ્રણી તરીકે નીમ્યો. રાજાનો માનનીય થવાથી તે રાજ્યના ધનનો પ્રતિદિન ઉપભોગ કરતો હતો તેથી પહેલાના ક્ષત્રિયોને તે શલ્યરૂપ થઈ પડ્યો.
એક વખત તે નગરમાં તેના કર્મોદયથી કોઈ દુષ્ટ સિંહ આવીને મહાઉપદ્રવ કરવા લાગ્યો. તે સિંહ રાત્રીએ જે મનુષ્યો તેમજ પશુઓ નગરની બહાર રહી ગયા હોય તેને મારી નાખતો. તેથી નગરના બધા દરવાજા સાંજે બંધ કરી દેવામાં આવતા હતા. તે સિંહે અનેક ખગધારી તેમજ ધનુર્ધર સુભટોને તેમજ પરાક્રમી વીરોને યમમંદિરમાં પહોંચાડી દીધા, કોઈ તેને હણી શક્યું નહીં. તે કારણે અત્યંત શોકમાં બેઠેલા રાજાને જોઈને મંત્રીએ કહ્યું- “હે સ્વામી ! શોક શા માટે કરો છો ? જે વાર્ષિક લાખ દીનાર ખાય છે તે શૂરવીરને આ કામ સોંપો.” સિંહના અપરાધથી કોપાયમાન થયેલા રાજાએ ધીરને બોલાવીને બીડું આપી શૂરવીરોને પણ દુષ્કર એવું સિંહનો વધ કરવાનું કામ સોંપ્યું. આવા હુકમથી ભય વડે ધ્રુજતો ધીર મનમાં વિચારવા લાગ્યો કે–“હવે કરવું?” પછી તેણે ક્રોધ કરીને રાજાને કહ્યું કે–“મારા જેવાને એક પશુનો વધ