________________
છઠ્ઠો પલ્લવઃ
ધર્મવૃક્ષની તૃતીય તપરૂપ શાખાનું વર્ણન:
ચક્રવર્તી રાજાને વાસુદેવને, બળદેવને, અન્ય વિદ્યાધરેન્દ્રોને ધરણેન્દ્ર કરેલા વિદ્યા પ્રસાદવાળા અનેક વિદ્યાધરોને, તેમજ વ્યંતર, ભવનપતિ, જ્યોતિષી અને વૈમાનિકોના ઇંદ્રોને પણ જેમના ચરણકમળની સેવા પૂર્વના પુણ્યવડે જ પ્રાપ્ત થઈ શકે છે, તે શ્રી તીર્થંકરભગવંતો જયવંતા વર્તો, જેના કારણે નિદ્રાને દૂર કરનાર સૂર્ય નિયમિત ઉગે છે, સમુદ્રની ભરતી જે મર્યાદામાં રહે છે, સૂર્યના તાપની આપત્તિને જે અંબુદ સમાવે છે, દિવ્ય કરવાથી જે શુદ્ધિ થાય છે, સૂર્યના તેજને પણ હરે એવી શરીરની કાંતિ પ્રાપ્ત થાય છે અને આ વિશ્વમાં જે પંચમહાભૂત પોતપોતાની મર્યાદામાં રહે છે તે બધો પ્રભાવ ધર્મનો જ છે. જે મનુષ્ય બુદ્ધિમાન, કુળવાનું, ક્ષમાવાનું, વિનયવાનું, દાતા, કૃતજ્ઞ, પંડિત, રૂપવંત ઐશ્વર્યયુક્ત, દયાળુ, અશઠ, દાંત, પવિત્ર, લજ્જાવાનું, સદ્ભોગી, દઢસૌહૃદયવાનું, મધુરવક્તા, સત્યવ્રતી નીતિમાનું અને બંધુઓના સમૂહવાળો હોય છે, તેનો જ મનુષ્યજન્મ સફળ સમજવો. પરભવમાં પણ તેને જ ભાગ્યશાળી માનવો.
હવે શ્રીગૌતમસ્વામી ભગવંત શ્રીમહાવીરસ્વામીને નમસ્કાર કરી અંજલી જોડીને કહે છે કે-“હે પ્રભુઆપની કૃપાથી શીલગુણનું વર્ણન તો અમે સાંભળ્યું, હવે ધર્મરૂપ કલ્પવૃક્ષની ત્રીજી તારૂપ શાખાનું ફળ સાંભળવા હું ઇચ્છું છું, તેમજ અહીં બેઠેલા બીજા ભવ્યજનો પણ તે સાંભળવા ઇચ્છે છે, માટે તે કહેવાની કૃપા કરો.” આ પ્રમાણેની શ્રીગૌતમસ્વામીની વિજ્ઞપ્તિ સાંભળીને મેઘ સમાન ગંભીર અને સર્વ લોકોના સંશયને હરનારી વાણીવડે ચરમ તીર્થંકરશ્રીવીરપરમાત્માએ કહ્યું કે–“હે ભવ્યજીવો ! મનુષ્યભવ પામીને બાર પ્રકારનો તપ યથાશક્તિ અવશ્ય કરવો. તપ સર્વઅર્થને સાધી આપનાર છે, તેજના ધામરૂપ અને દુઃખનો નાશ કરનાર છે. ભુવનોદરમાં કર્મરૂપી હસ્તિ ત્યાં સુધી જ નિર્ભયપણે ગર્જારવ કરી શકે છે કે જ્યાં સુધી ચિત્તરૂપી ગુફામાં નિવાસ કરનાર તારૂપીસિંહ સાવધાન થઈને રમતો નથી. અમે પણ જે પ્રવ્રયા ગ્રહણ કરી, કેવળજ્ઞાન મેળવ્યું અને મોક્ષ મેળવશું તે બધો શ્રુતિ અને વાચાને અગોચર તપનો જ મહાપ્રભાવ છે. શ્રીતીર્થકરો પણ ત્રણે કલ્યાણક વખતે વિવિધ તપ કરવા દ્વારા કર્મ નિર્જરા સાધે છે.
(સુમતિનાથ પરમાત્માએ એકાસણું કરીને, શ્રીવાસુપૂજય સ્વામીએ એક ઉપવાસ કરીને, શ્રી પાર્શ્વનાથ ને શ્રીમલ્લિનાથે અઠ્ઠમ અને બાકીના પ્રભુએ છઠ તપ કરીને ચારિત્ર અંગીકાર કર્યું છે. શ્રી ઋષભદેવ, શ્રીમલ્લિનાથ ને શ્રીપાર્શ્વનાથે અઠ્ઠમ કરીને, શ્રીવાસુપૂજ્યસ્વામીએ એક