SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ ચતુર્થ પલ્લવઃ તે કિનારે આવ્યો. આગળ ચાલતાં રાજાએ સુવર્ણ અને રત્નમય તેમજ સુશોભિત તોરણવાળો એક પ્રાસાદ જોયો. રાજા કૌતુકથી તે પ્રાસાદમાં ગયો. અનુક્રમે સાતમા માળ સુધી ચડતાં અગાશીમાં બે ભસ્મના પુંજ (રાખનાઢગલા) જોયા. તેની પાસે ગજદંત સાથે લટકાવેલ એક રસથી ભરેલ કુંભ જોયો. તે જોઈને રાજા વિચારવા લાગ્યા કે–આ દિવ્ય પ્રાસાદ જેવો પ્રાસાદ અહીં ક્યાંથી ? આ રસનો કુંભ શેનો ? અને આ ભસ્મના પુંજ શેના? આ બધું અત્યંત આશ્ચર્યકારી લાગે છે. આ પ્રમાણે વિચારીને રસના કુંભમાંથી થોડોક રસ કાઢીને તેણે હાથમાં લીધો તે વખતે તેમાંથી કેટલાક 'ટીપાં પેલા ભસ્મના રાશિ ઉપર પડવાથી બને ઢગલામાંથી દિવ્યરૂપને ધારણ કરનારી બે સ્ત્રીઓ ઉત્પન્ન થઈ. તેને જોઈને રત્નપાળે પૂછ્યું કે-“તમે બન્ને કોણ છો ? આ ભસ્મમાંથી કેવી રીતે ઉત્પન્ન થઈ ? તમે શું શક્તિરૂપ છો, કિન્નરી છો, દેવાંગના છો, વિદ્યાધરી છો કે ભૂચરી છો? જે સત્ય હકીકત હોય તે કહો.” આ પ્રમાણે રત્નપાળે પૂછવાથી તે બેમાંથી એક કન્યા બોલી કે–“હે સ્વામિન્ ! અમારી હકીક્ત વિનોદકારી છે તે હું કહું છું. આપ એક ચિત્તે સાંભળો કે જેથી આપનો સંશય દૂર થાય. આ વૈતાઢ્ય પર્વત ઉપર વરચંદ્રા નામની નગરીમાં મહાબલ નામે વિદ્યાધર રાજા રાજ્ય કરે છે. તેની પ્રેમવતી નામે પત્ની છે. તેની અમે બે પુત્રીઓ છીએ. અમારા નામ મોહવલ્લી અને યત્નવલ્લી છે. અમને બન્નેને અમારા પિતાએ ભણાવી. અનુક્રમે અમે યૌવનવસ્થા પામી. નાગિલ નામના દુરાત્મા ખેચરે ત્યાંથી અમારું અપહરણ કર્યું. અમને અહીં લાવ્યો અને વિદ્યાના બળથી તેણે આ દિવ્ય પ્રાસાદ બનાવ્યો. તે જ્યારે ક્યાંય પણ બહાર જાય છે ત્યારે અમને ભસ્મર્પોજરૂપે કરીને જાય છે અને પાછો આવે છે ત્યારે કુંભના રસનું સિંચન કરીને મનુષ્યરૂપે કરે છે. હે નરોત્તમ ! આ પ્રમાણેની અમારી કથા છે. આજે પૂર્વના ભાગ્યોદયથી અમને તમારા દર્શનનો લાભ મળ્યો છે.” આ પ્રમાણેની સ્નેહવાર્તા કરતાં તેમને પરસ્પર સ્નેહ ઉત્પન્ન થયો. પાયે મનને મોહ પમાડવાનું સાધન પૂર્વભવનો સંબંધ જ હોય છે.” કહ્યું છે કે : એ નયણા જાઇસરે, પુથ્વભવ સમાંત, અપ્રિય દીઠે મુહ લીયે, પિય દીઠ વિસંત. આ નેત્રો જાતિસ્મરણથી પૂર્વભવને યાદ કરે છે. તેથી અપ્રિય મનુષ્યને જોતાં મુખ પાછું વળે છે અને પ્રિયને દેખવાથી હસે છે.” - જેટલામાં તેઓ આ પ્રમાણે વાર્તાલાપ કરે છે તે તેટલામાં તે બે કન્યાનો ઇચ્છુક વિદ્યાધર વિવાદસામગ્રી લઈને ઉતાવળે ઉતાવળે ત્યાં આવ્યો. એટલે હાથીએ ત્યાં આવીને તે વિદ્યાધરને સુંટવડે ઉપાડ્યો અને લીલાવડે આકાશમાં ઉછાળ્યો. પછી દૂર જઈને તેને સૂંઢમાંથી જમીન ઉપર પડતો મૂક્યો અને તે નાગિલને દંતના આઘાતવડે અત્યંત પીડા ઉપજાવી મારી નાંખ્યો. એ અવસરે પોતાની બે પુત્રીને શોધતો શોધતો મહાબલ વિદ્યાધર ત્યાં આવ્યો અને તેણે ત્યાં પોતાની
SR No.005772
Book TitleDharm Kalpdrum Mahakavya
Original Sutra AuthorN/A
AuthorDharmtilakvijay
PublisherDharmkirtivijay Jain Granthmala
Publication Year2012
Total Pages228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy