SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦૭ શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન ભાગ-૨ થાત, છતાં પણ “માતિપ્રદા” પ્રયોગને પણ સાધુ પ્રયોગ માન્યો છે તે ઉપરોક્ત ન્યાયના સામર્થ્યથી જ મનાયો છે. “તિસર્વનામ..” પંક્તિનો અર્થ જાણતાં પહેલાં લિંગ પણ સર્વનામ છે એવું સિદ્ધ કરવા દ્વારા શંકા રજૂ કરવામાં આવી છે. જે શબ્દોનો ઉપયોગ બધા વ્યક્તિઓ માટે કરાય તેને સર્વનામ કહેવામાં આવે છે. દા.ત. કૃષ્ણ આવ્યા અને તે ગયા, રામ આવ્યા અને તે ગયા, હનુમાન આવ્યા અને તે ગયા. અહીં દરેક વાક્યમાં “તે” સ્વરૂપ સર્વનામનો પ્રયોગ કૃષ્ણ, રામ, અને હનુમાન માટે થયો છે. આથી તે બધાનું નામ બની જવાથી સર્વનામ કહેવાશે. એ જ પ્રમાણે વ્યાકરણમાં લિંગાનુશાસનના નિયમથી બધા જ પદાર્થોને સામાન્યથી નપુંસકલિંગ થાય છે. જ્યાં જ્યાં નપુંસકલિંગ નહીં કરવું હોય ત્યાં ત્યાં અપવાદ નિયમો દ્વારા પુલિંગ અથવા સ્ત્રીલિંગ કરવામાં આવશે. આથી લિંગ સ્વરૂપ સર્વનામ સામાન્યથી નપુંસકલિંગને કહેશે. આ માન્યતાને ધ્યાનમાં રાખીને પૂર્વપક્ષ શંકા કરે છે કે સ્વર: શબ્દમાં જે તમે પુલિંગ કર્યું છે, એના બદલે લિંગ સ્વરૂપ સર્વનામ જે નપુંસક સ્વરૂપ છે. અર્થાત્ બધા શબ્દોને સામાન્યથી નપુંસકલિંગ થાય છે, તેથી “વરદિય:” શબ્દમાં નપુંસકલિંગ પ્રાપ્ત થાય છે. આથી “પરીવીનિ” પ્રયોગ પ્રાપ્ત થવો જોઈએ. આના અનુસંધાનમાં આચાર્ય ભગવંતશ્રી જણાવે છે કે, “વ” વગેરે શબ્દોથી આરંભ કરાયો હોવાથી સૌ પ્રથમ બુદ્ધિમાં “વ” વગેરેનો સમુદાય ઉપસ્થિત થાય છે તથા સમુદાયનો પુલિંગમાં નિર્દેશ થતો હોવાથી અહીં “વર:” શબ્દમાં પુલિંગ કરવામાં આવ્યું છે. (શ૦૦) “મવ્યયમ્' રૂલ્યવનનપુંસન નિર્વેશ: * મધવિશેષનિરપેક્ષા પદ્રसंस्कार-पक्षोऽप्यस्ति * इति ज्ञापनार्थम् । तत्र हि पदान्तरनिरपेक्षे संस्क्रियमाणे नपुंसकं लिङ्गमर्थनामप्राप्तं एकत्वं च, वस्त्वन्तरनिरपेक्षत्वात् सन्निहिततत्रभाविनो बहिरङ्गस्याऽऽश्रयस्य संबन्धिन्यौ लिङ्ग-संख्ये न भवतः, एवं च "आकृतिग्रहणा जाति:०" इति सिद्धं भवति । અનુવાદઃ- “અવ્યયમ્' શબ્દમાં કયું લિંગ પ્રાપ્ત થાય? એ પદાર્થને આધારે નક્કી થશે. અહીં “મવ્યયમ્ શબ્દનો પદાર્થ શું ? એ જ્યાં સુધી નક્કી નહીં થાય ત્યાં સુધી “મવ્યયમ્” શબ્દનું લિંગ નક્કી ન થઈ શકે. હવે જો “મવ્યયમ્ શબ્દનો પદાર્થ વિચારવામાં આવે તો તે “વ” વગેરેના સમુદાય સ્વરૂપ થશે અને “વ” વગેરેનો સમુદાય પુલિંગમાં હોવાથી તે સમુદાયના વાચક “મવ્યયમ્' શબ્દમાં પણ પુલિંગાણાંની જ પ્રાપ્તિ થવી જોઈએ તેમજ બહુવચનની પણ પ્રાપ્તિ થવી જોઈએ, છતાં પણ “મવ્યયમ્” શબ્દમાં એકવચન અને નપુંસકલિંગવડે નિર્દેશ કરાયો છે, એનાથી આચાર્ય ભગવંત એવું જણાવે છે કે અભિધેય વિશેષથી નિરપેક્ષ એવો પદસંસ્કાર થાય છે અર્થાત્ અભિધેયને ધ્યાનમાં લીધા વિના જ તે તે પદોમાં લિંગ અને વચનનો નિર્દેશ
SR No.005770
Book TitleSiddha Hemchandra Shabdanushasanam Part 02
Original Sutra AuthorN/A
AuthorJagdishbhai
PublisherJagdishbhai
Publication Year2013
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy