SearchBrowseAboutContactDonate
Page Preview
Page 386
Loading...
Download File
Download File
Page Text
________________ ૦ ૧-૧-૪૨ ૭૫૪ પૂર્વપદમાં છે જ નહીં. માત્ર ઞપિપ્પતી શબ્દ પૂર્વપદમાં છે. આથી તમારી આપેલી આપત્તિ અમારા માટે મુશ્કેલી રૂપ છે જ નહીં. ઉપરોક્ત તાત્પર્યને અમે પંક્તિઓ દ્વારા ખોલવા પ્રયત્ન કરીએ છીએ. જે વૃત્તિને ગ્રહણ કરીને TM પ્રત્યય વગેરે કરવાને ઇચ્છાયેલ હોય તે જ વૃત્તિને ગ્રહણ કરીને પૂર્વપદ સંબંધી અર્ધ શબ્દમાં વિશિષ્ટ બુદ્ધિ રહી શકે છે તથા તેવા અર્ધ પૂર્વપદવાળા અને પૂરણપ્રત્યયાન્તવાળા નામોમાં સંખ્યાવત્નો અતિદેશ ઇચ્છાયો છે; પરંતુ અપિપ્પલીપશ્વમ સ્વરૂપ વૃત્તિના ઘટક એવા અર્ધ શબ્દમાં પૂર્વપદ સંજ્ઞા પરિભાષા દ્વારા થઈ શકતી નથી. તે આ પ્રમાણે : અપિપ્પલીપશ્ચમ સ્વરૂપ વૃત્તિના ઘટક ત્રણ પદો છે. અર્ધ, પિપ્પત્તી તથા પશ્વમ. હવે અર્ધ શબ્દમાં કોઈપણ પદની અભિવ્યક્તિક્ષણનો ધ્વંસ રહેતો નથી. આથી અર્ધપર્શ્વમપદમાં અભિવ્યક્તિક્ષણના ધ્વંસની અધિકરણક્ષણ અવૃત્તિ છે. આ પ્રમાણે પૂર્વપદની વ્યાખ્યા પ્રમાણે એક લક્ષણ ઘટી શકે છે; પરંતુ આ અર્ધ પદમાં સમાસસૂત્ર સંબંધી પ્રથમાન્ત પદ દ્વારા બતાવાયેલ એવા વિશિષ્ટ અધિકરણપણાંનો વિરહ હોવાથી એવા સમાસ સંબંધી ઉત્તરપદ પશ્ચમપદ છે, તે પશ્ચમપદની અભિવ્યક્તિક્ષણના પ્રાગભાવનો પણ અભાવ છે. માટે પરિભાષાથી પ્રાપ્ત થતું એવું બીજું લક્ષણ અર્ધપદમાં ઘટતું નથી. આમ હોવાથી જ અપિપ્પલીપશ્ચમ સ્વરૂપ વૃત્તિમાં સંખ્યાનો અતિદેશ થઈ શકતો નથી. વૃત્તિઘટક પદ શબ્દથી તે સમાસશાસ્ત્ર સંબંધી પ્રથમાન્તપદથી અથવા તો તૃતીયાન્તપદથી બતાવાયેલાનું વિશિષ્ટ અધિકરણ ગ્રહણ કરાશે. જે પિપ્પલીપશ્ચમ વૃત્તિમાં અનુક્રમે ઞપિપ્પલી સ્વરૂપ અને પશ્વમ સ્વરૂપ છે; પરંતુ માત્ર પિપ્પી નથી કે જેને ગ્રહણ કરીને અર્ધ શબ્દમાં પૂર્વપદપણું પ્રાપ્ત થઈ શકે. -- પૂર્વપક્ષ :- અપિપ્પીપળ્વમ સ્વરૂપ વૃત્તિમાં રહેલા અપિપ્પત્તી પદમાં જેમ પશ્વમ શબ્દની અભિવ્યક્તિનો પ્રાગભાવ મળે છે અર્થાત્ અપિપ્પતી શબ્દ જેમ પશ્વમ શબ્દના પ્રાગભાવનું અધિકરણ બને છે તેમ માત્ર અર્ધ પદમાં પણ પશ્વમ પદના પ્રાગભાવનું અધિકરણપણું છે જ. માટે ર્ધ શબ્દમાં પરિભાષાથી નિષ્પન્ન એવું પૂર્વપદપણું પ્રાપ્ત થશે જ. ઉત્તરપક્ષ :- સમાસશાસ્ત્ર સંબંધી પ્રથમાન્તપદથી બતાવાયેલ એવા પદમાં જ પૂર્વપદપણાંનો વ્યવહાર દેખાય છે. આથી અર્ધ શબ્દમાં ભલે તમે કહેલા પન્વમપદના પ્રાગભાવનું અધિકરણપણું થાય; પરંતુ સમાસશાસ્ત્ર સંબંધી પ્રથમાન્તપદથી બતાવાયેલા એવા વિશિષ્ટ અધિકરણપણાંનો અભાવ હોવાથી પૂર્વપદપણાંના વ્યવહારનો અભાવ થાય છે. (श० न्यासानु० ) “पूरणोऽर्द्धपूर्वपदः" इति न्यासे मात्राकृतलाघवस्य सत्त्वेऽपि विशेषणपदस्य पूर्वप्रयोगः सति सम्भवे न्याय्य इत्यर्द्धपूर्वपदशब्द एव पूर्वमुपात्तः । पूर्यतेऽनेनेति पूरणः, तदर्थकप्रत्ययोऽपि पूरणः, प्रत्ययस्य प्रकृत्यविनाभावित्वात् प्रकृतेराक्षेपे “प्रत्ययः प्रकृत्यादेः' ''
SR No.005770
Book TitleSiddha Hemchandra Shabdanushasanam Part 02
Original Sutra AuthorN/A
AuthorJagdishbhai
PublisherJagdishbhai
Publication Year2013
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy