SearchBrowseAboutContactDonate
Page Preview
Page 353
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન ભાગ-૨ तत्तद्धर्मावच्छिन्नार्थविषयकोपस्थित्योः शाब्दविशेषं प्रति पृथक् कारणत्वम्, इति बहुविधकल्पनागौरवमिति तत्पक्षोऽप्यनादरणीय एव । "डत्यतु सङ्ख्यावत्" "बहु-गणं भेदे" इति न्यासे तु न काऽपि विडम्बनेति तदादर: सूत्रकारस्य प्रशस्य इति मन्महे । ૭૨૧ અનુવાદ :- ઉત્તરપક્ષ (આચાર્યભગવંતશ્રી હેમચન્દ્રાચાર્યજીનો) :- હવે ઉપરની તમામ ચર્ચાઓનો અંત લાવવા માટે આચાર્યભગવંતશ્રી હેમચન્દ્રાચાર્યજીએ સંજ્ઞાસૂત્રોને બદલે ભિન્ન એવા બે અતિદેશસૂત્રો બનાવ્યાં તે સાર્થક જ છે, એવું બતાવવા માટે પોતાનો પક્ષ રજૂ કરે છે. અહીં આ વસ્તુ અવધારણ કરવા યોગ્ય છે. નિયમપણાંના પ્રથમ પક્ષમાં “સા” એ પ્રમાણે પૃથક્ સા સંજ્ઞાવાળું સૂત્ર બનાવવું પડશે. હવે સફ્ળા સંજ્ઞાનું સૂત્ર બનાવતાં જો માત્ર સંજ્ઞાનો જ નિર્દેશ કરવામાં આવે તો સંજ્ઞા-સંન્નિભાવ ઘટી શકશે નહીં. આથી સંજ્ઞાસંન્નિભાવ થઈ શકે તે માટે સંજ્ઞીઓનો નિર્દેશ કરવો પડશે તથા સા સંજ્ઞામાં અન્તર્થપણાંનો આશ્રય કરવો પડશે. હવે અન્યર્થસંજ્ઞાનો આશ્રય કરતાં પણ લોકપ્રસિદ્ધ એવી એક, બે વગેરે સંખ્યામાં સંખ્યા સંજ્ઞાપણું ન થઈ શકવાથી ક્યાંતો સંશિકોટિમાં “સા” શબ્દ ઉમેરવો પડશે અથવા તો “વદુ” અને “ળ” જેમ સંખ્યા સંજ્ઞાવાળા થશે તેમ એ જ સફ્ળા સ્વરૂપ શબ્દની આવૃત્તિ કરવાથી એક, બે વગેરે લૌકિક સંખ્યાની પણ સન્ધ્યા સંજ્ઞા થશે. આ આવૃત્તિ કરવાનું કારણ “એકવાર ઉચ્ચારણ કરેલો શબ્દ એક જ અર્થને જણાવે છે.” આવો ન્યાય હોવાથી સાં સંજ્ઞા સ્વરૂપ શબ્દથી “વહુ” અને “ળ” શબ્દમાં સા સંજ્ઞાનું કથન કરી શકશે. આથી લૌકિક સંખ્યામાં સફ્ળા સંજ્ઞાનું કથન કરવા માટે સફ્ળા સંજ્ઞાની આવૃત્તિ કરવી પડશે. આ પ્રમાણે પ્રથમ પક્ષમાં જો સંજ્ઞાવાચક સૂત્ર બનાવવામાં આવશે તો ઉપર પ્રમાણેની ત્રુટિઓ રહેલી જણાશે તથા “વદુ” અને “ળ” શબ્દની સફ્ળા સંજ્ઞા કરવા માટે જે નવું સૂત્ર બનાવ્યું. તથા આ નવા સૂત્રને નિયમસૂત્ર સમજીએ છીએ. અહીં સા સંજ્ઞાના પહેલા સૂત્રમાં “વહુ” અને “ળ” શબ્દોની પણ સબ્બા સંજ્ઞા સિદ્ધ જ હતી. માટે આ નવું સૂત્ર નિયમસૂત્ર બનશે. તેમાં નવા સૂત્રની જે કલ્પના કરી તે બરાબર નથી, કારણ કે અગાઉના સૂત્રથી “વત્તુ” અને “ળ” શબ્દમાં પણ સફ્ળા સંજ્ઞા થઈ જાય છે, એવી સિદ્ધિ જ વ્યર્થ છે. અગાઉના સૂત્રથી “વહુ” અને “ળ” શબ્દની સફ્ળા સંજ્ઞા જ થતી નથી, તેથી નિયમસૂત્ર બને છે તેવું કહેવું વ્યર્થ છે. પહેલા સૂત્રમાં ઉદ્દેશ્યતા અવચ્છેદકનો વ્યાપક એવો જે ધર્મ હોય એવા ધર્મમાં રહેલો અતિરિક્ત અંશ બીજા સૂત્રમાં સંકોચ કરવામાં આવે તો જ નિયમસૂત્ર બની શકે. દા. ત. “નિ વીર્ય:” (૧/૪/૮૫) સૂત્રથી “” અંતવાળા નામોનો સ્વર ઘુટ પ્રત્યય ૫૨ છતાં દીર્ઘ થાય છે. અહીં ઉદ્દેશ્યકોટિમાં ઘુટ પ્રત્યય નિમિત્તક “ન્” અંતવાળા તમામ નામો આવશે.
SR No.005770
Book TitleSiddha Hemchandra Shabdanushasanam Part 02
Original Sutra AuthorN/A
AuthorJagdishbhai
PublisherJagdishbhai
Publication Year2013
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy