SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ સૂ૦ ૧-૧-૨૯, ૧-૧-૩૦ ૪૦૨ જ ધર્મ છે, છતાં પણ લાઘવને કારણે લિંગને અર્થનો ધર્મ માનવામાં આવે છે. આથી જ ગ્રંથકારે બૃહદ્વૃત્તિમાં પંક્તિઓ લખી છે કે લિંગ એ શબ્દનો ધર્મ છે એવું બીજાઓ માને છે. અહીં બંને પક્ષો નિર્દોષ હોવાથી ઉભય પક્ષને ગ્રહણ કરવા એ જ શ્રેષ્ઠ છે. આથી જ ગ્રંથકાર બૃહવૃત્તિ ટીકામાં કહે છે કે ઉભય પ્રકારે પણ દોષ નથી. -: ન્યાસસારસમુદ્ધાર : આ સૂત્ર ઉપર ન્યાસસારસમુદ્ધાર જણાતો નથી. ॥ एकोनविंशतितमम् सूत्रम् समाप्तम् ॥ * સૂત્રમ્ - સ્વાયોગ્યયમ્। ? । o ૫ ૨૦ ॥ -: તત્ત્વપ્રકાશિકા : 1 स्वरादयः शब्दा अव्ययसंज्ञा भवन्ति । स्वः सुखयति । एहि जाये ! स्वा रोहाव । સ્વ: સંજ્ઞાનીતે । સ્વઃ સ્મૃતિ । સ્વાતિ । “છાયેવ યા સ્વર્ગનધનંજ્ઞેષુ ।'' स्वर्वसति । अन्तर्यामि । अन्तर्वसति । 'अत्युच्चैसौ, अत्युच्चैसः' इत्यत्रोच्चैरतिक्रान्तो यस्तदभिधायकस्य पूर्वपदार्थप्रधानस्य समासस्य संबन्धी स्यादिर्नोच्चैःशब्दस्य, तेन “અવ્યવસ્થ” [ રૂ.૨.૭. ] કૃતિ તુમ્ ન મતિ, ‘પરમોવૈ:, પરમનીચે:' કૃત્યત્ર તુ उत्तरपदार्थप्रधानत्वात् समासस्या - व्ययसंबन्ध्येव स्यादिरिति भवत्येव । -: તત્ત્વપ્રકાશિકાનો અનુવાદ : ,, “સ્વ” વગેરે શબ્દો અવ્યયસંજ્ઞાવાળા થાય છે. સ્વર્ગ પ્રસન્ન કરે છે. હે પત્ની ! તું આવ, આપણે બે સ્વર્ગમાં ઉત્પન્ન થઈએ. તે સ્વર્ગને જાણે છે. (અહીં “સ્વ” શબ્દને “સમો શોઽસ્મૃત વા' (૨/૨/૫૧) સૂત્રથી સ્મૃતિભિન્ન અર્થમાં વિકલ્પે તૃતીયા થઈ છે.) તે સ્વર્ગની સ્પૃહા કરે છે. તે સ્વર્ગમાંથી આવે છે, સ્વર્ગની નદી (ગંગા)ના જલમાં છાયાની જેમ જે.” (આ કોઈ શ્લોકનું ચરણ છે. જેથી અર્થનું અનુસંધાન શ્લોક પ્રમાણે થઈ શકશે.) તે સ્વર્ગમાં વસે છે. હું મધ્યમાં જાઉં છું. તે મધ્યમાં વસે છે. ઊંચાઈને ઓળંગનાર બે વ્યક્તિઓ, ઊંચાઈને ઓળંગનાર ઘણા બધા. આ બંને શબ્દોમાં “ઇન્વેસ્ તિાન્તઃ યઃ” એ પ્રમાણે પ્રાદિ તત્પુરુષનો વિગ્રહ હોવાથી
SR No.005770
Book TitleSiddha Hemchandra Shabdanushasanam Part 02
Original Sutra AuthorN/A
AuthorJagdishbhai
PublisherJagdishbhai
Publication Year2013
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy