SearchBrowseAboutContactDonate
Page Preview
Page 285
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૫૩ શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન ભાગ-૨ ત્યારે સામાન્યથી નપુંસકલિંગ વડે જ વિગ્રહ યોગ્ય છે, છતાં પણ આપે પુલિંગમાં વિગ્રહ કર્યો છે તે કયા અભિપ્રાયથી કર્યો છે ? - ઉત્તરપક્ષ :- તે તે સ્થાનોમાં વિશેષ્યનું સંનિધાન હોય ત્યારે તો વિશેષ્યના લિંગથી સંખ્યાવાચક શબ્દોમાં પણ વ્યવહાર થઈ શકશે, પરંતુ જ્યારે એક, બે વગેરેને સંખ્યાવાચક સમજવામાં આવે અને કોઈક પદાર્થના અભેદ વિશેષણ તરીકે બોધ ન થતો હોય ત્યારે , દ્વિ વગેરેમાં લિંગ નિયંત્રણનો અભાવ થશે એટલે કે વિશેષ્ય વિના , દ્વિ વગેરેમાં ચોક્કસ લિંગનો અભાવ થશે. આ પરિસ્થિતિમાં ક્યાંતો પુલિંગમાં વ્યવહા૨ જણાશે અથવા તો નપુંસકલિંગમાં વ્યવહા૨ જણાશે. આ પ્રમાણે વિશેષ્યના લિંગ પ્રમાણે લિંગ ન થતું હોય ત્યારે પુલિંગ અથવા તો નપુંસકલિંગ, એમ કોઈપણ લિંગ થઈ શકશે; છતાં પણ અહીં પુલિંગમાં વિધાન કર્યું હોવાથી નપુંસકલિંગ નથી કર્યું. આમ તો નપુંસકલિંગ પણ થઈ શકશે. અભિધાનચિંતામણીની સ્વોપજ્ઞ ટીકામાં આચાર્ય ભગવંતશ્રીહેમચંદ્રાચાર્યએ પણ પુલિંગમાં વિગ્રહ જણાવેલ છે. ‘સંધ્યા સ્વેવિા મવેત્' (અભિધાન૦ કા૦ ૩ શ્લોક ૫૩૬) માં ‘જાવિા સંધ્યા' શબ્દમાં નીચે પ્રમાણે વિગ્રહ જણાવેલ છે. ‘: વિ: યસ્યાં સા કૃતિ વિજ્રા સંજ્ઞા ।' આમ આ વિગ્રહમાં આચાર્યભગવંતશ્રીએ સંખ્યાવાચક શબ્દને પુલિંગમાં બતાવ્યા છે. આદિથી ઢૌ, ત્રયઃ, રત્નાર: વગેરે જે પુલિંગમાં વર્ણન કર્યું છે તે કારણે અહીં પણ અમે સંખ્યાવાચક શબ્દને પુલિંગમાં જ બતાવેલ છે. મહાભાષ્યકારે પણ ‘વધુ વહુવનનમ્' (પાણિન. ૧/૪/૨૧) સૂત્રની ટીકામાં ‘સ્ય વે’ એ પ્રમાણે સંખ્યા સ્વરૂપ અર્થના અભિપ્રાયથી ‘સ્ય સ્મિન્’ તથા આગળ પણ ‘સ્મિન્ વત્તનમેવ’ એ પ્રમાણે ‘સ્મિન્’ પ્રયોગ પુલિંગમાં બતાવેલ હોવાથી અહીં પણ સંખ્યાવાચક શબ્દો ઉત્સર્ગ સંબંધી નપુંસકલિંગમાં ન બતાવતાં પુલિંગમાં જ બતાવેલ છે. આમ નપુંસકલિંગમાં પ્રયોગ ન કરવાને બદલે પુલિંગમાં જ સંખ્યાવાચક શબ્દોનો પ્રયોગ આ સૂત્રમાં ઉપરોક્ત અભિપ્રાયથી કરેલ છે. (શ॰ ચાપ્તાનુ૦) યદ્યપિ “સચેયે દ્વાવણ ત્રિપુ” “બડાવશમ્ય: ાધા: સદ્ઘચા सङ्ख्येयगोचराः” “आऽष्टादशभ्यः सङ्ख्याः सङ्ख्येये वर्तते" इत्यादिकोष -भाष्यादिपर्यालोचनया एकादिशब्दानां सङ्ख्यार्थे प्रयोगो नोचित इत्यभिधातुं शक्यते, तथाऽपि लौकिकप्रयोगाभिप्रायेण एकादयः सङ्ख्येयपरा एव साधुत्वशालिनः प्रयुज्येरन् न तु सङ्ख्यापरा इत्यभिप्रायस्तेषां वर्णनीयः । एकत्वेऽर्थे एकवचनम्, द्वित्वेऽर्थे द्विवचनम्, बहुत्वेऽर्थे बहुवचनम्, इत्याद्यर्थाभिप्रायेण येकयोદ્વિવનનૈવશ્વને” [પા૦ ૬.૪.૨૨.] “વહુષુ વહુવનનમ્' [પાળિ૦ ૨.૪.૨૬.] ફત્યાવી. પાળિને:, “कस्य एकस्मिन् ? कयोर्द्वयोः ? केषां बहुषु ?" इत्यादौ महाभाष्यकारस्य च सङ्ख्यापरतया प्रयोगाणां सत्त्वमेव तदभिप्रायवर्णनबीजमवसेयम् । ..
SR No.005770
Book TitleSiddha Hemchandra Shabdanushasanam Part 02
Original Sutra AuthorN/A
AuthorJagdishbhai
PublisherJagdishbhai
Publication Year2013
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy