SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૧૫ શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન ભાગ-૨ વિધાન કરાતો એવો વર્ણનો સમુદાય જ પ્રત્યયસંજ્ઞાવાળો થઈ શકશે, પરંતુ વર્ણની પ્રત્યયસંજ્ઞા કેવી રીતે થશે? આથી “શ” સ્વરૂપ શબ્દનો અર્થ જણાવે છે - “શ” એ ધાતુ છે એનું ભાવવાચક એવા ત્રીજા પુ. એ.નું રૂપ શયતે થાય છે. અર્થાત્ ભાવવાચક “અ” પ્રત્યય લાગતાં શધ્વનમ્ સ્વરૂપ ભાવવાચક નામ પ્રાપ્ત થાય છે. આથી શતેનો અર્થ ‘ઉચ્ચારણ કરાય છે’ એવો થાય છે. અહીં “જ્ઞ” ધાતુને “ધ” પ્રત્યય લાગીને શવ્વઃ સ્વરૂપ ભાવવાચક નામ બન્યું છે. આથી પંચમી અર્થથી વિહિત કરાયેલ એવું ઉચ્ચારણ કરાયેલ જે હોય તેની પ્રત્યયસંજ્ઞા થાય છે. અહીં ઉચ્ચારણ કરવા સ્વરૂપ ક્રિયા વર્ણમાં પણ હોય છે અને વર્ણના સમુદાયમાં પણ હોય છે. માટે વર્ણ તથા વર્ણનાં સમુદાય ઉભયમાં આ સૂત્રથી પ્રત્યયસંજ્ઞાની પ્રાપ્તિ થશે. પરંતુ પંચમી અર્થથી વિધાન કરાયેલ એવો જે વર્ણ અથવા વર્ણનો સમુદાય હોય તે જો “અન્ત” શબ્દથી વિહિત કરાયો હોય તો તેની આ સૂત્રથી પ્રત્યયસંજ્ઞા થતી નથી. દા.ત. “વિત: સ્વરાન્...' (૪/૪/૯૮) સૂત્રથી નાર, “અન્ત” શબ્દના ઉચ્ચારણથી વિધાન કરાયો હોવાથી પ્રત્યયસંજ્ઞાને પ્રાપ્ત કરતો નથી. જો આ સૂત્રમાં “અન્ત” શબ્દનું ઉચ્ચારણ ન કરાયું હોત તો નારની પ્રત્યયસંજ્ઞા થાત. હવે જો નારની પ્રત્યયસંજ્ઞા થાત તો શું આપત્તિ આવત ? તે જણાવે છે. ધાતુપાઠમાં “નવું” એ ‘“કવિત્’” ધાતુ છે. જે જે ‘“કવિત્’” ધાતુઓ હોય તે તે ધાતુઓમાં સ્વરથી પર નજર થાય છે. આથી નારની પ્રત્યયસંજ્ઞા થાત. પ્રત્યય પ્રકૃતિ વિના રહેતો નથી તેથી ‘“ન’ ધાતુમાં “” પ્રત્યય લાગ્યા પછી હવે ફરીથી પ્રત્યયની પ્રાપ્તિ આવત નહીં. જે જે ધાતુઓથી ચોક્કસ અર્થમાં પ્રત્યયોની ઉત્પત્તિ થઈ ગઈ હોય તો તેવા તેવા ધાતુઓથી તે જ અર્થમાં ફરીથી પ્રત્યયની ઉત્પત્તિ થતી નથી. દા.ત. “પ” ધાતુથી કર્તા અર્થમાં ‘“’ પ્રત્યય લાગે તો ફરીથી એ જ ધાતુથી ‘“ળ” પ્રત્યય લાગ્યા પછી કર્તા અર્થમાં “તૃપ્” વગેરે પ્રત્યયો લાગી શકત નહીં. આમ “ન” ધાતુમાં “ન્” લાગ્યા પછી હ્યસ્તનભૂતકાળમાં “ત્” પ્રત્યય લાગી શકશે નહીં. તેથી “અન” વગેરે રૂપોની સિદ્ધિ થઈ શકશે નહીં. કદાચ તમે એમ કહેશો કે “પ” વગેરે ધાતુઓને વર્તમાના વિભક્તિનો “તિવ્” પ્રત્યય લાગતાં “રિ અન་: શબ્” (૩/૪/૭૧) સૂત્રથી ‘“શ” પ્રત્યય તો થાય છે. આમ, એક પ્રત્યય લાગ્યા પછી (તિલ્ લાગ્યા પછી) બીજો પ્રત્યય (શવ્) તો લાગે છે. આના જવાબમાં સમજવું કે (૨/૪/૭૧) સૂત્રમાં જણાવ્યું છે કે, જ્યારે ધાતુઓને શિત્” પ્રત્યય લાગે છે ત્યારે જ “શબ્” પ્રત્યય થાય છે. આમ “શ” પ્રત્યયનું નિમિત્ત જ વર્તમાના વગેરે વિભક્તિઓ છે. આથી અહીં એક પ્રત્યય લાગ્યા પછી બીજા પ્રત્યયની આપત્તિ જ નથી. જ્યારે અનન્વત્ પ્રયોગમાં આવી શક્યતા જ નથી.
SR No.005770
Book TitleSiddha Hemchandra Shabdanushasanam Part 02
Original Sutra AuthorN/A
AuthorJagdishbhai
PublisherJagdishbhai
Publication Year2013
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy