SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ ૦ ૧-૧-૩૭ ૬૦૦ ઉત્સર્ગભૂત એવો “ય” પ્રત્યય પણ થઈ શકશે અને આમ થાત તો જે પ્રમાણે “ાર્યમ્” અને “નૃત્યમ્” પ્રાપ્ત થાય છે એ જ પ્રમાણે “ર્જ્યમ્” પ્રયોગની પ્રાપ્તિ પણ થાત. આવી આપત્તિ ત્યારે જ આવી શકે કે અનુબંધોને અવયવ સ્વરૂપ માનીને અસ્વરૂપવિધિ માનવામાં આવે. પરંતુ ‘‘નાનુવન્ધતમસારૂપ્ટમ્ મતિ” એવો ન્યાય છે અર્થાત્ અનુબંધો વડે કરાયેલું એવું અસ્વરૂપપણું થતું નથી. આવી પિરભાષા હોવાથી હવે ‘“ચ” તથા “વપ્” અને “ધ્ય” એ ત્રણેય પ્રત્યયમાં અનુબંધોને કારણે અસ્વરૂપપણું થતું નથી. આથી ઉત્સર્ગ એવો “” પ્રત્યય થશે નહિ. અહીં આચાર્ય ભગવંતશ્રીએ તે તે સૂત્રોમાં તે તે પ્રવૃત્તિઓ વડે જણાવ્યું છે કે અનુબંધો ધાતુ વગેરેનાં અવયવ સ્વરૂપ બને છે. દા.ત. “વા ખ્વતાવિ-ટુ-ની...” (૫/૧/૬૨) સૂત્રમાં “વા”નું ગ્રહણ કરવામાં આવ્યું છે. આ સૂત્ર પ્રમાણે “ખ્ત' વગેરે ધાતુઓથી કર્તામાં “ળ” પ્રત્યય વિકલ્પે થાય છે. આ “ળ” પ્રત્યય એ અપવાદ સ્વરૂપ પ્રત્યય છે. આથી જ્યારે “ળ” પ્રત્યય નહિ થશે ત્યારે ઉત્સર્ગથી ‘અર્” (૫/૧/૪૯) સૂત્રથી કર્તામાં “અ” પ્રત્યય પણ થશે. આ “અર્” પ્રત્યય વિકલ્પપક્ષમાં થશે. હવે જો અનુબંધો પ્રત્યયનાં અવયવ સ્વરૂપ બને તો “ળ”નાં વિકલ્પ પક્ષમાં અસ્વરૂપવિધિને કારણે “ઞ ્” પ્રત્યયની પ્રાપ્તિ પણ હતી. આથી “અ” પ્રત્યયની પ્રાપ્તિ કરાવવા માટે સૂત્રમાં ગ્રહણ કરેલ “વા” નિરર્થક સિદ્ધ થાય છે; છતાં હજી પણ આચાર્ય ભગવંતને થાય છે કે, ‘અનુબંધો પ્રત્યય વગેરેનાં અવયવ બને છે' આવા પક્ષને અટકાવનાર કોઈ પરિભાષા જગતમાં વિદ્યમાન છે. આથી જ “” સ્વરૂપ અપવાદમાં ‘“અ”ની પ્રાપ્તિ નહિ થાય. આથી તે પ્રાપ્તિ કરાવવા માટે સૂત્રમાં વિકલ્પ લખ્યો છે અને આ વિકલ્પ લખવા દ્વારા જણાવ્યું કે, અનુબંધ વડે અસમાનપણું થતું નથી એવી પરિભાષા વિદ્યમાન છે. વળી અનુબંધ વડે અસમાનપણું થતું નથી એવું ત્યારે જ જણાવી શકાય કે જ્યારે અનુબંધો પ્રત્યય વગેરેનાં અવયવો બનતાં હોય. આ પ્રમાણે જો અનુબંધો પ્રત્યયનાં અવયવ સ્વરૂપ બને તો અસ્વરૂપવિધિથી જ ‘“અ” અને “r” પ્રત્યય થવાનાં હતા. માટે “”નાં વિકલ્પપક્ષમાં “અ” કરવા માટે “વા”નું ગ્રહણ કરવાની કોઈ આવશ્યકતા ન હતી; છતાં પણ ‘“વા”નું ગ્રહણ કર્યું છે. તેનાથી જણાય છે કે, “નાનુવન્યતમસારૂઘ્યમ્ ભવતિ' ન્યાય વિદ્યમાન છે. આમ સૂત્રમાં “વા”નાં ગ્રહણે આ ન્યાયને જણાવ્યો અને આ ન્યાય દ્વારા આંશિક રીતે અનુબંધોને અવયવ સ્વરૂપ માનવાની ના કહી. તેથી જ જણાય છે કે અનુબંધોને અવયવ સ્વરૂપ માનવામાં આવશે તો પણ આ ન્યાયને કારણે દોષ આવશે નહિ. (શ॰ન્યા૦ ) સર્વાંવેશેપિ ન દ્દોષ:, યયમ્ ‘“અન” [૨.૧.૨૬.] કૃતિ પ્રથમયા નિશિતિ तद् ज्ञापयति- * नानुबन्धकृतमनेकवर्णत्वं भवति, * अन्यथा षष्ठ्या अप्यनेकवर्णत्वात् सर्वादेशः सिद्ध्यति ।
SR No.005770
Book TitleSiddha Hemchandra Shabdanushasanam Part 02
Original Sutra AuthorN/A
AuthorJagdishbhai
PublisherJagdishbhai
Publication Year2013
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy