SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ સૂ૦ ૧-૧-૩૭ ૫૯૮ છે અથવા તો “ય" પ્રત્યયનાં સંબંધમાં છે ? આચાર્ય ભગવંતશ્રીને તો, તે તે પ્રયોગોની જાણકાર હતી જ કે કોઈ ચોક્કસ પ્રકૃતિને “ ” લગાવવો છે અને “” રૂત્ કરવા દ્વારા વૃદ્ધિ કરવી છે, જ્યારે શિષ્યને તો આ સંબંધી કંઈ જ્ઞાન નથી. કઈ પ્રકૃતિ છે, કયો પ્રત્યય છે, કયો અનુબંધ છે આ બધી માહિતી ન હોવાને કારણે શિષ્યો કેવી રીતે બોધ કરી શકશે ? ઉત્તરપક્ષ :- શિષ્યો આચાર્ય ભગવંતશ્રીની તે તે સૂત્રોની પ્રવૃત્તિઓ દ્વારા જ જાણી શકશે, માટે કોઈ આપત્તિ જણાતી નથી. (૦ચ૦) ૩મમિમનુવઘેઘૂસ્તમ્ પાન્તઃ મનેકાન્તઃ તિ; જાન્તઃ * इति तु युक्ततरम्, अत्र हि हेतुरुपन्यस्तः; यत् तु नाम सहेतुकं तन्न्यायम् । तथा "मेङो वा मित्" [४.३. ८८.] इति तदवयवं दृष्ट्वा आत्वं नाकार्षीत् । असरूपविधावपि न दोषः, ભાવાર્યપ્રવૃત્તેિરેવ, તથાદિયાં “વા તાવિહુ-ની-મૂ-પ્રશાસ્ત્રો:” [..૬ર.] રૂતિ વા પ્રહ करोति, तद् ज्ञापयति-* नानुबन्ध-कृतमसारूप्यं भवति * समावेशे हि अचा णेन च सिध्यति किं वाग्रहणेन ? क्रियमाणं तु ज्ञापनाय भवति । અનુવાદ :- અગાઉ “નેતા મનુવશ્વા:” પરિભાષા આવી હતી. એવી જ એક બીજી પરિભાષા છે “પાના અનુવન્યા” તથા “વૃક્ષણાવાવના ન્યાય:”. આ પરિભાષાઓ પ્રમાણે અનુબંધો અવયવ સ્વરૂપ પણ થાય છે અને અનવયવ સ્વરૂપ પણ થાય છે, એવું માનવામાં આવે છે. આ બંને પક્ષને એક ઉદાહરણથી સમજાવી શકાય છે. લોકમાં દેવદત્ત વગેરે પદોથી બોધ્ય માત્ર હાથ, પગ વગેરેથી વિશિષ્ટ એવો માંસપિંડ જ છે, પરંતુ પાઘડી વગેરેથી વિશિષ્ટ નહિ. કારણ કે પાઘડી વગેરે દેવદત્તનાં સ્થાયી અવયવ નથી. જો પાઘડી વગેરે પણ દેવદત્તનો અવયવ હોત તો કોઈ કહે કે, “દેવદત્તને બોલાવો’ એ પરિસ્થિતિમાં જેમ હાથ, પગ વગેરેથી રહિત દેવદત્ત લાવી શકાતો નથી, તેમ પાઘડી વગેરેથી રહિત દેવદત્ત પણ લાવી શકાત નહિ. લોકમાં હાથ, પગ વગેરેથી રહિત દેવદત્ત લાવી શકાતો નથી, આથી હાથ, પગ વગેરે દેવદત્તનાં અવયવો જ છે. પરંતુ પાઘડી વગેરેથી રહિત દેવદત્ત લાવી શકાય છે, માટે પાઘડી એ દેવદત્તનાં અવયવ સ્વરૂપ નથી. આ જ પ્રમાણે શાસ્ત્રમાં અનુબંધ પણ ધાતુ આદિનો અવયવ હોતો નથી. આમ, અનુબંધો અનવયવ (અનેકાન્ત) સ્વરૂપ છે એવું મનાય છે. જે પક્ષ અનુબંધોને અનવયવ સ્વરૂપ માને છે તે પક્ષ ઉપરોક્ત તર્કને આધારે અનુબંધોને અનવયવ સ્વરૂપ સિદ્ધ કરે છે. વળી, લોકમાં દેવદત્તનાં શરીરમાં રહેલાં વધારાનાં અંગો જેમકે છઠ્ઠી આંગળી, ખૂંધ દેવદત્તનાં સ્થાયી અવયવ પણ દેખાય છે. આ પરિસ્થિતિમાં દેવદત્તને બોલાવવાથી ખૂંધ વગેરેથી વિશિષ્ટ
SR No.005770
Book TitleSiddha Hemchandra Shabdanushasanam Part 02
Original Sutra AuthorN/A
AuthorJagdishbhai
PublisherJagdishbhai
Publication Year2013
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy