SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮૨ સૂ૦ ૧-૧-૩૭ “કૃતમ્ કાર્યમ્ મન રૂતિ તાર્ય: સ્વરૂપ બહુવ્રીહિ સમાસ થશે. ત્યારબાદ ભાવમાં “સ્વ” પ્રત્યય લાગી અને પંચમી વિભક્તિ થઈ છે. આથી કાર્ય કરાઈ જવાથી તે તે વર્ગોનો અભાવ થાય છે. કાર્યનાં પ્રયોજનથી જ તે તે વણનો શાસ્ત્રમાં પાઠ થયેલ હતો અને હવે કાર્યની પ્રાપ્તિ થઈ ગયેલ હોવાથી તેનો ત્યાગ કરાય છે. સંસારમાં પણ નિયમ છે કે ઉપેયની સિદ્ધિ થવાથી ઉપાયનો ત્યાગ કરાય છે. દા.ત. કોઈક વ્યક્તિને સુરતથી અમદાવાદ જવું હોય તો વાહનની મદદ અમદાવાદ પહોંચવા માટે લે છે. એ પરિસ્થિતિમાં તે વ્યક્તિને જ્યારે અમદાવાદની પ્રાપ્તિ થઈ જાય છે ત્યારે વાહનને છોડી દે છે. એ જ પ્રમાણે અનુબંધથી જે કાર્ય કરવા માંગતા હતા તે કાર્ય થઈ જવાથી અનુબંધનો આપોઆપ જ ત્યાગ કરાય છે. ઉપાયને બીજા અર્થમાં સાધન પણ કહેવામાં આવે છે તથા ઉપેયને સાધ્ય પણ કહેવામાં આવે છે. ઉપર જવા માટે દાદર એ ઉપાય છે અને ઉપર પહોંચવું એ ઉપેય છે. ઉપર પહોંચ્યા પછી ઉપાય સ્વરૂપ દાદરનો આપોઆપ જ ત્યાગ થઈ જાય છે. દા.ત. 3 તેમજ)( આ બંને વણે જિવામૂલીય અને ઉપષ્માનીય સ્વરૂપ છે અને તે બે વર્ગોનાં ઉચ્ચારણ માટે વાર અને પાર અનુબંધ સ્વરૂપ છે. આથી તે બે વર્ગોનું ઉચ્ચારણ થઈ ગયા પછી કાર અને પાર સ્વરૂપ અનુબંધનો આપોઆપ જ ત્યાગ કરાય છે. આમ અહીં કાર્યના પ્રયોજનથી ગ્રહણ કરાયેલા અનુબંધોનો પણ આપોઆપ જ ત્યાગ થઈ જાય છે. એના માટે નવા સૂત્રની જરૂર નથી. (શ૦ચા.) “રૂપાિયાપિ યે હેયાતાનું યોનિ પ્રવક્ષતે” (તાનુપાયાનું પ્રક્ષ) તિ હિ तल्लक्षणम् । यदि वा एकशेषस्य निर्देशाद् लोपस्य सिद्धिः, तथाहि-एत्यपगच्छति-कार्य विधायाभावं प्राप्नोतीति इत्, ततोऽयमर्थः-योऽप्रयोगी स इत्संज्ञो भवति, स चापगच्छतीति लोपस्यापि सिद्धिः, अत एव वृत्तावुक्तम्-एत्यपगच्छतीति । અનુવાદઃ- હવે “વો”નું સ્વરૂપ બતાવે છે. સૌ પ્રથમ જો “યો” શબ્દ લખવામાં આવે તો છ% પરિપૂર્ણ થતો નથી. આથી “યોન” તે બદલે કૌંસમાં “૩પયાન” શબ્દ લખ્યો છે. આથી આખી પંક્તિ આ પ્રમાણે થશે. “પદાપિ દેયાસ્તાન ૩૫થાન પ્રવક્ષતે ” આ પંક્તિનો અર્થ આ પ્રમાણે થશે – ગ્રહણ કરીને પણ જે છોડવા યોગ્ય છે તે સપાય કહેવાય છે. આથી ગ્રહણ કરીને પણ જે ત્યાગ કરવા યોગ્ય થાય છે તેને ઉપાય કહેવાય છે. અર્થાત્ ૩૫ાયનું સ્વરૂપ નીચે પ્રમાણે છે. ગ્રહણ કરીને પણ ત્યાગ કરવા યોગ્ય જે છે તેને ઉપાય કહેવામાં આવે છે. અથવા અહીં ત્ સંજ્ઞા દ્વારા જ લોપ સ્વરૂપ અર્થની પ્રાપ્તિ થઈ જાય છે. તેની પ્રક્રિયા હવે બતાવે છે : “રૂશ્વ રૂશ્વ' એ પ્રમાણે એકશેષ થતાં “તું” શબ્દ રહે છે. આથી સૂત્રમાં જણાવેલ “તું” શબ્દ બે વાર પ્રયોગ થયેલો સમજવો. અહીં એકશેષનો નિર્દેશ કરવાથી લોપની સિદ્ધિ થાય છે તે આ પ્રમાણે છે – “તિ” એટલે “પતિ " કાર્યનું કથન કરીને જે અભાવને પ્રાપ્ત
SR No.005770
Book TitleSiddha Hemchandra Shabdanushasanam Part 02
Original Sutra AuthorN/A
AuthorJagdishbhai
PublisherJagdishbhai
Publication Year2013
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy