SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૭૧ શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન ભાગ-૨ પાઘડીવાળાને) ફરવાનું વિધાન કરાયું છે. એ જ પ્રમાણે અહીં પ્રયોગી સ્વરૂપ વિશેષણને આશ્રયીને ત્ સંજ્ઞાનું વિધાન કરાશે. બધા જ નિષેધોમાં રૂદ્ સંજ્ઞા થશે નહીં, પરંતુ વિશિષ્ટ પ્રકારના સંબંધનો જેમાં અભાવ હશે તેમાં જરૂર્ સંજ્ઞાનું વિધાન થશે, આવો સંબંધ સામર્થ્યથી આ પ્રમાણે જણાય છે. શાસ્ત્રમાં જે વર્ણ અથવા વર્ષના સમુદાયનો ઉપદેશ કરાયો છે, પરંતુ લૌકિક શબ્દ પ્રયોગોમાં જણાતો નથી તેની જ રૂત્ સંજ્ઞા થાય છે, પરંતુ જેનો સર્વ પ્રકારે અભાવ છે તેની રૂતુ સંજ્ઞા થતી નથી. (शन्या०) वर्णस्तत्समुदायो वेति-विशेषानुपादानादुभयस्याप्रयोगिणः (ग्रहणमित्यर्थः) । शास्त्रे सूत्रपाठे खिलपाठे च धातु-नाम-प्रत्यया-ऽऽगमा-ऽऽदेशोपदेशेषूपदिश्यमानः । लौकिक इति-लोकस्य ज्ञातो लौकिकस्तस्मिन्, प्रयुक्तिः प्रयोगः, शब्दस्य प्रयोगः शब्दप्रयोगः, नाट्यादिप्रयोगश्च व्यवच्छेद्यस्तत्र, यो न दृश्यते इति । અનુવાદઃ- અહીં સૂત્રમાં જે જે ઉપદેશ કરાયો છે અને લૌકિક શબ્દપ્રયોગમાં જે જણાતું નથી, તે ત્ સંજ્ઞાવાળું થાય છે. આથી શંકા થાય છે કે લૌકિક શબ્દપ્રયોગોમાં વર્ણ નથી જણાતો તેમ સમજવું કે વર્ણનો સમુદાય નથી જણાતો તેમ સમજવું? સૂત્રમાં કોઈ વિશેષનું ગ્રહણ ન હોવાથી વર્ણ અને વર્ણનો સમુદાય ઉભય પ્રયોજી તરીકે લઈ શકાશે. શાસ્ત્ર બે ભાગમાં છેઃ (૧) સૂત્રપાઠ અને (૨) ખિલપાઠ. સૂત્રપાઠ મુખ્ય છે, જ્યારે ખિલપાઠ ગૌણ છે. દા.ત. સર્વા: ઐ - સ્માત (૧/૪૭) સૂત્રમાં સર્વ વગેરે શબ્દોથી હું અને મનો અનુક્રમે ઔ અને માત્ આદેશ થાય છે. આ સૂત્રપાઠ કહેવાય છે તથા “બદ્રિ” શબ્દથી સૂત્રની ટીકામાં જે સર્વાદ્રિ ગણપાઠ બતાવ્યો છે, તે “વિપતિ” કહેવાય છે. આમ તો વિત્તનો અર્થ અપૂર્ણ થાય છે તથા તે વિના રૂતિ વિત’ અખિલનો સંપૂર્ણ અર્થ થાય છે. આથી વિપતિ એ અપૂર્ણ પાઠ કહેવાય છે. સાદ્રિ તથા ધાતુપાઠ વગેરે વિલપાડ કહેવાય છે. અહીં વર્ણ અથવા વર્ણનો સમુદાય એ શાસ્ત્રમાં ઉપદેશ કરાતો હોય તે સમજવાનો છે. આથી શાસ્ત્ર તરીકે વિત્તપીઠ (ધાતુ, નામ વગેરે સ્વરૂપ) તથા સૂત્રપાઠ સમજવાનો છે. ધાતુ, નામ, પ્રત્યય, આગમ, આદેશ સ્વરૂપ ઉપદેશોમાં, ઉપદેશ કરાતો (કથન કરાતો) વર્ણ અથવા વર્ણનો સમુદાય જે લૌકિક શબ્દપ્રયોગોમાં નથી જણાતો તે ફક્ત સંજ્ઞાવાળો થાય છે. આથી ઉપદેશ તરીકે સૂત્રપાઠ અને વિતતિ બંનેનું ગ્રહણ થઈ શકશે. કાશિકાકારે ઉપદેશની વ્યાખ્યા શાસ્ત્રવાક્ય તરીકે કરી છે અને શાસ્ત્રવાક્યનો અર્થ સૂત્રપાઠ અને વિતાવ થાય છે. હવે લૌકિક શબ્દપ્રયોગને ખોલે છે. લોકને જે જણાય છે તે લૌકિક કહેવાય છે. આથી લોકને જણાતો એવો શબ્દપ્રયોગ સ્વરૂપ અર્થ લૌકિક શબ્દપ્રયોગનો થાય છે. અહીં પ્રયોગનો અર્થ
SR No.005770
Book TitleSiddha Hemchandra Shabdanushasanam Part 02
Original Sutra AuthorN/A
AuthorJagdishbhai
PublisherJagdishbhai
Publication Year2013
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy