SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન ભાગ-૧ દર્શનસાહિત્ય, કર્મસાહિત્ય વગેરે નાશ પામ્યું તેમ વ્યાકરણસાહિત્ય પણ નાશ પામ્યું. ખરેખર આપણું કેટલું બધું દુર્ભાગ્ય ! છતાં પણ “ભાંગ્યું ભાંગ્યું તોય ભરૂચ'' આ ન્યાયે આપણી પાસે જે પણ છે, એ “Ocean of Knowledge” છે, એને બચાવી લઈએ તોય ભયો ભયો. ૨ દહેરાસરો જૂના થશે તો નવા શિલ્પીઓ મળશે, પરંતુ જો શ્રુત નાશ પામશે તો નવા કલિકાલસર્વજ્ઞો કે મહોપાધ્યાયજીઓ ક્યાંથી લાવીશું ? શ્રુતનાશનું એક કારણ અનભ્યાસ પણ છે. જેનો અભ્યાસ ઓછો થાય છે તેનો મૃત્યુઘંટ વાગવા માંડે છે. પંડિતવર્યશ્રી જગદીશભાઈએ ઉપલબ્ધ બૃહથ્યાસનો અભ્યાસ વધે એ માટે અદ્ભુત પ્રયાસ કર્યો છે. તે માટે તમામ અભ્યાસુવર્ગ તરફથી સાધુવાદ, અમારા ખોબે ખોબે આશીર્વાદ ! પંડિતવર્યશ્રીએ હાલ કારકપ્રકરણ ઉપર બૃહશ્વાસનો અનુવાદ ચાલુ કરેલ છે. તેમના આ મહાન કાર્યમાં શાસનદેવો સહાયક થાય એવાં આશીર્વચન... આચાર્યશ્રી વિજય ગુણરત્નસૂરિ વિનીતાનગરી, પાલિતાણા વિ. સં. ૨૦૬૯, શ્રાવણ વદ ૨, તા. ૨૩-૮-૨૦૧૩.
SR No.005769
Book TitleSiddha Hemchandra Shabdanushasanam Part 01
Original Sutra AuthorN/A
AuthorJagdishbhai
PublisherJagdishbhai
Publication Year2013
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy