SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ સૂ૦ ૧-૧-૪ ૧૩૫ અનુવાદ :- અગાઉ જે કહેલું હતું કે જાતિની વિવક્ષાથી બધા જ ગુણોવાળો “અ” આવી જશે. એનાં અનુસંધાનમાં શંકાકારે કહ્યું હતું કે આ પ્રમાણે થશે તો સંવૃત્ત વગેરે દોષોવાળા અાર વગેરેનું પણ ગ્રહણ થઈ જશે. માટે સંવૃત્તાદિ દોષોવાળા અદ્માદ્રિ ગ્રહણ ન થાય એવો પુરૂષાર્થ કરવો પડશે. એનાં અનુસંધાનમાં આચાર્ય ભગવંત કહે છે. ઉત્તરપક્ષ :- અમારે સંવૃત્ત વગેરે દોષોવાળા અરવિનાં પ્રતિષેધની કોઈ આવશ્યકતા જ નથી. કારણ કે દોષોવાળા સ્વરોનું કથન શાસ્ત્રમાં ક્યાંય થયું નથી. હા, શાસ્ત્રોમાં મૈં વગેરે ચૌદ વર્ણોનું કથન થયું છે. પરંતુ માત્ર માર વગેરે વર્ણોનો લોકમાં ક્યાંય પ્રયોગ જણાતો નથી. શાસ્ત્રોમાં ધાતુ, વિકારો, આગમો અને પ્રત્યયોનો પાઠ આવે છે. આ બધા જ પાઠો શુદ્ધતાથી કહેલા છે. તથા ધાતુ વગેરેમાં શુદ્ધ વર્ણોનો પાઠ હોવાથી દોષવાળા વર્ણો પ્રાપ્ત થવાની કોઈ શક્યતા નથી. વળી, જે નામો અસાધુ છે. જેમ કે હિત્ય વગેરે. તેઓ પણ શિષ્ટપુરુષવડે પ્રયોગ કરાયા હોવાથી તથા ઉણાદિ અને પૃષોદરાદિમાં તેઓનાં સાધુપણાનું જ્ઞાન થતું હોવાથી, અહીં દોષ વગરનાં જ અસાધુ શબ્દોનું ગ્રહણ થાય છે. માટે ક્યાંય પણ જ્ત વગેરે દોષોવાળા (કેટલાક લોકો સંવૃત્તને દોષ માનતા નથી એ અપેક્ષાએ.) વર્ણોનું કથન ન થયું હોવાથી એ દોષોવાળા વર્ણોનો એમને એમ જ ત્યાગ થઈ જાય છે. આથી અમારે એવાં દોષવાળાં વર્ણોનો પ્રતિષેધ કહેવા યોગ્ય નથી. શ્લોકમાં કહ્યું પણ છે ઃ આગમો, વિકારો તથા ધાતુઓની સાથે પ્રત્યયો ઉચ્ચારણ કરાય છે. તેથી તેઓમાં આ કલ વગેરે દોષો પ્રાપ્ત થતા નથી. ધાતુઓ વગેરે તો શુદ્ધ જ ઉચ્ચારણ કરાય છે. (श०न्या० ) संज्ञाधिकारमन्तरेणापि संज्ञासूत्रमिदं परिशिष्यते । तत्र पूर्वोपात्ताः संज्ञिनः परा = સંજ્ઞા, પ્રસિદ્ધ: સંશી ગપ્રસિદ્ધા [] સંચા, જોજોડ ऽप्यस्य पिण्डस्येदं नामेति, आवर्तिनी च संज्ञा आवर्त्तते “इवर्णादेरस्वे स्वरे यवरलम् " [१.२.२१.] इत्यादौ । तथा साकाराः संज्ञिनो निराकाराश्च संज्ञा इति । तत्र औदन्ता इति संज्ञिनः पूर्वोपात्तत्वात्, स्वरा इति संज्ञा । स्वयं राजन्त રૂતિ “વિ” [બ.૨.૭૬.] કૃતિ છે પૃષોવાવિત્વાત્ [‘“પૃષોાય:” રૂ.૨..] સ્વરા:, एकाकिनोऽप्यर्थप्रतिपादने समर्था इति । सतोऽपि भेदस्याविवक्षितत्वात् संज्ञिनः प्रथमा, यथापुरुषोऽयं देवदत्त इति । '' અનુવાદ :- સંજ્ઞા અધિકાર વિના પણ આ સંજ્ઞાસૂત્ર તરીકે મનાય છે. દશ પ્રકારના સૂત્રોમાંથી બાકીનાં નવ પ્રકારો અહીં ન ઘટતા હોવાથી પારિશેષ ન્યાયથી આ સંજ્ઞાસૂત્ર મનાય છે. અહીં પૂર્વમાં ગ્રહણ કરેલું પદ સંજ્ઞી છે. તથા પાછળ ગ્રહણ કરેલું પદ એ સંજ્ઞા છે. સંશી પ્રસિદ્ધ છે અને સંજ્ઞા અપ્રસિદ્ધ છે. લોકમાં પણ કોઈ પિંડને જોઈને કહેવાય છે કે આ પિંડનું આ નામ
SR No.005769
Book TitleSiddha Hemchandra Shabdanushasanam Part 01
Original Sutra AuthorN/A
AuthorJagdishbhai
PublisherJagdishbhai
Publication Year2013
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy