SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૮ શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન ભાગ-૧ વિશેષ્યની ગેરહાજરીમાં વિશેષણ પોતાનો વિશેષણપણાનો ધર્મ પણ રાખી શકશે નહીં. જેનાવડે વિશેષ્ય વિશેષિત કરાય છે, તે વિશેષણ કહેવાય છે. અહીં વિશેષિત કરવા યોગ્ય કોઈ રહ્યું જ નથી (વિશેષ્યનો અભાવ છે માટે) તો પછી “સ” શબ્દમાં વિશેષણપણું પણ કેવી રીતે આવી શકશે? વિશેષણથી વિશેષ્ય અન્ય છે એવો વિકલ્પ સ્વીકારવામાં આવે તો અન્યમાં કોઈ વિશેષતા ન હોવાથી બધા જ બધાના વિશેષણ બની જશે. કારણ કે સત્ એ વિશેષણ છે અને વસ્તુ એ વિશેષ્ય છે. હવે અન્ય તરીકે કયાં વિશેષ્યને સમજવો ?એ ખુલાસો થયો નથી. આથી કોઈપણ વિશેષણનું કોઈપણ વિશેષ્ય બની જવાની આપત્તિ આવશે. આથી વિશેષણ વિશેષ્યભાવ જ ઘટી શકશે નહીં. પૂર્વપક્ષ :- અમે તો સમવાય સંબંધ માન્યો છે. આથી ચોક્કસ એવો વિશેષણ-વિશેષ્યભાવ ઘટી શકશે. જેમ કે ગુણ અને ગુણી વચ્ચે સમવાય સંબંધથી વિશેષણ-વિશેષ્યભાવ ઘટી શકે છે. ઉત્તરપક્ષ (જેનો) :- અરે વૈશેષિકો ! જો તમે સમવાય સંબંધ માનશો તો અનવસ્થા નામના દોષની મહાનદીને પાર કરવી તમારા માટે અત્યંત દુષ્કર થઈ જશે. તમે પૃથ્વીત્વના યોગથી પૃથ્વી એવું જ્ઞાન થાય છે, એ પ્રમાણે માનો છો; પરંતુ હકીકતમાં તો પૃથ્વીત્વ અને પૃથ્વીમાં કોઈ તફાવત જ નથી. પૃથ્વીનું જે અસ્તિત્વ સ્વરૂપ છે એ જ પૃથ્વીત્વ તરીકે ઓળખાય છે. આથી આ પૃથ્વીત્વ કાંઈ સામાન્ય (જાતિ) સ્વરૂપ નવો પદાર્થ નથી. હવે જો પૃથ્વીના જ પોતાના સ્વરૂપ પૃથ્વીત્વને પૃથ્વી સાથે સંબંધિત રાખવા માટે જો સંબંધ તરીકે તમોને સમવાય ઇષ્ટ છે, તો પછી સમવાયને પણ પોતાના સ્વરૂપ સમવાયત્વ સાથે સંબંધિત રાખવા માટે પણ નવો સંબંધ માનવો પડશે. પૂર્વપક્ષ - સમવાયમાં રહેલ સમવાયત્વ એ સમવાયના સ્વભાવ સ્વરૂપ નથી, (જાતિ સ્વરૂપ નથી,) પરંતુ સમવાયની ઉપાધિ સ્વરૂપ છે. તેથી એ બે વચ્ચે કોઈ સંબંધની આવશ્યકતા નથી. ઉત્તરપક્ષ (જેનો) : જો સમવાયમાં સમવાયત્વને સ્વભાવ રૂપ માનવામાં ન આવે તો સમવાય પોતે સ્વભાવહીન બની જશે. અર્થાત્ સમવાયનો પોતાનો કોઈ સ્વભાવ રહેશે નહીં. આથી સમવાય પોતે આકાશપુષ્પ જેવો અસત્ પદાર્થ બની જશે. જે જે સત્ પદાર્થો છે, તે તે સ્વભાવ હીન હોતાં નથી. આથી સમવાયમાં પણ સમવાયત્વ સિદ્ધ થાય જ છે. હવે જેમ પૃથ્વીમાં પૃથ્વીત્વને સમવાય સંબંધથી રાખવામાં આવે છે તેમ સમવાયમાં સમવાયત્વને પણ કોઈક સંબંધથી રાખવો પડશે. અહીં જે સંબંધની કલ્પના કરશો એ સંબંધમાં પણ જે સ્વભાવ રહ્યો હશે તેને રાખવા નવા સંબંધની કલ્પના કરવી પડશે. આ પ્રમાણે નવા નવા સંબંધોની કલ્પના કરવા દ્વારા અનવસ્થા
SR No.005769
Book TitleSiddha Hemchandra Shabdanushasanam Part 01
Original Sutra AuthorN/A
AuthorJagdishbhai
PublisherJagdishbhai
Publication Year2013
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy