________________
१० स्थानकाध्ययने प्रतिमा जीवाश्च ७०० ७७१ सूत्रे
(જંબૂઢીપપન્નતીમાં) પંદર પણ દેખાય છે. I૭૬૭॥
પૂર્વે પુષ્કરાદ્ધક્ષેત્રનું સ્વરૂપ કહ્યું, માટે ક્ષેત્રના અધિકારથી જ દેવલોકોને આશ્રયીને દશક કહે છે—'સે' ત્યાિ સૌધર્માદિ દેવલોકોનું ઇંદ્ર વડે અધિષ્ઠિતપણું તો એ દેવલોકોને વિષે ઈંદ્રોનો નિવાસ હોવાથી છે. આનત અને આરણ એ બે દેવલોકને વિષે તો તેના નિવાસના અભાવથી અનધિષ્ઠિતપણું કહ્યું છે. સ્વામિપણાએ તો તે બન્નેને ઇદ્રો પણ અધિષ્ઠિત જ છે એમ માનવું. યાવત્ શબ્દથી 'સાને ૨, સાકુમારે રૂ માહિરે ૪, વમતાોણ્ , ાંતો દ્દ સુન્ને ૭’ એમ જાણવું. જે કારણથી એ કલ્પોને વિષે ઈંદ્રો, અધિષ્ઠિત (રહેલ) છે એજ કારણથી જ દશ ઇંદ્રો હોય છે, એમ દર્શાવવા માટે કહે છે—'સુ' ત્યાવિ॰શક્ર-સૌધર્મ ઇંદ્ર. શેષ ઇદ્રો, દેવલોકના સમાન નામવાળા છે. શેષ સુગમ છે. ઇંદ્રના અધિકારથી જ તેના વિમાનોને કહે છે—'તે' ત્યાદ્િ॰ પરિયાનદેશાંતરમાં જવું, તે પ્રયોજન છે જે વિમાનોનું તે પરિયાનિકો અર્થાત્ ગમનમાં પ્રયોજનજવાળા. યાન–શિબિકાદિ–પાલખી પ્રમુખ. તેના જેવા આકારવાળા વિમાનો-દેવના આશ્રયો તે યાનવિમાનો, પરંતુ શાશ્વતા વિમાનો નિહ. અર્થાત્ નગરના જેવા આકારવાળા. પુસ્તકાંત૨માં યાન શબ્દ દેખાતો નથી. 'પાન' ત્યાદ્િ॰ શક્ર વગેરે ઇંદ્રના ક્રમ વડે સમજવા. યાવત્ શબ્દથી 'સોમળસ્તે રૂ, સિરિવક્કે ૪, નડિયાવત્તે , મને દ્દ, પીળને ૭, મોરને ૮,' એ પ્રમાણે જાણવું. આ નામવાળા અભિયોગિક-કિંકર દેવો વિમાનરૂપે થાય છે. I૭૬૯।।
એવા પ્રકારના વિમાનોમાં જવાવાળા ઇંદ્રો, પ્રતિમાદિક તપ કરવા વડે થાય છે, માટે દશકમાં ઉતરવાવાળી પ્રતિમાને સ્વરૂપથી કહે છે—
दसदसमिता णं भिक्खुपडिमा एगेणं रातिंदियसतेणं अद्धछट्ठेहिं य भिक्खासतेहिं अधासुत्ता जाव आराधिता वि મતિ ।। સૂ॰ ૭૭૦ ।।
दसत्रिधा संसारसमावन्नगा जीवा पन्नत्ता, तंजहा - पढमसमयएगेंदिता अपढमसमयएगेंदिता एवं जाव अपढमसमयपंचेंदिता १, दसविधा सव्वजीवा पन्नत्ता, तंजहा - पुढविकातिता जाव वणस्सतिकातिता बेंर्तिदिता जाव पंचेंदिता अणिंदिता २ । अथवा दसविधा सव्वजीवा पन्नत्ता, तंजहा- पढमसमयनेरतिता अपढमसमयनेरतिता `जाव अपढमसमयदेवा, पढमसमयसिद्धा, अपढमसमयसिद्धा ३ ।। सू० ७७१ ।।
(મૂ) દશદશમિકાનામા ભિક્ષુપ્રતિમા, એક સો રાત્રિ-દિવસ વડે અને સાડાપાંચર્સે ભિક્ષા-દત્તિ સંખ્યા વડે જેમ સૂત્રમાં કહેલ છે તેમ યાવત્ આરાધેલી હોય છે. II૭૭૦
દશ પ્રકાંરના સંસારસમાપન્નક–સંસારી જીવો કહેલા છે, તે આ પ્રમાણે—પ્રથમ સમયના ઉત્પન્ન થયેલા એકેંદ્રિયો અપ્રથમ સમય (દ્વિતીયાદિ સમય) ના ઉત્પન્ન થયેલાં એકેંદ્રિયો. એવી રીતે યાવત્ અપ્રથમ સમયના ઉત્પન્ન થયેલાં પંચેંદ્રિયો ૧, દશ પ્રકારના સર્વ જીવો કહેલા છે, તે આ પ્રમાણે—પૃથ્વીકાયિકો, યાવર્તી વનસ્પતિકાયિકો ૫, બેઈદ્રિયો યાવત્ પંચેંદ્રિયો ૯ અને અનિંદ્રિયો ૧૦, ૨, અથવા દશ પ્રકારના સર્વ જીવો કહેલા છે, તે આ પ્રમાણે—પ્રથમ સમયના ઉપજેલા નૈરિયકો, અપ્રથમ સમયના ઉપજેલા નૈરયિકો યાવત્ અપ્રથમ સમયના ઉપજેલા દેવો ૮, પ્રથમ સમયના ઉપજેલા સિદ્ધો ૯ અને અપ્રથમ સમયના ઉપજેલા સિદ્ધો ૧૦,૩, ૭૭૧॥
श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २
(ટી૦) 'વસે' ત્યાવિ॰ દશ દશમ દિવસો છે જે પ્રતિમામાં તે દશદશમિકા. દશ દશકા વડે થયેલી ભિક્ષુઓની પ્રતિમા–પ્રતિજ્ઞા તે ભિક્ષુપ્રતિમા. 'ન' ફત્યાવિ॰ દશદશક એટલે એક સો દિવસ થાય છે. પ્રથમ દશકમાં દશ ભિક્ષા [દત્તિ], બીજામાં વીશ એવી રીતે [દશ દશ વધારતાં] દશમા દશકમાં એક સો ભિક્ષા [દત્તિ] હોય છે. બધી મેળવતાં એકંદર પાંચસેંને પચ્ચાસ ૫૫૦ (દત્તિ) હોય છે. 'અન્નાપુત્ત' ત્યાવિ॰ સૂત્રનું ઉલ્લંઘન ન કરવા વડે, યાવત્ શબ્દથી 'અહાગટ્યું”—નિર્યુક્તિ પ્રમુખ અર્થનું અતિક્રમણ ન ક૨વા વડે, 'અહાતત્ત્વ'—શબ્દ અને અર્થનું અતિક્રમણ ન કરવા વડે, 'અહાનાં' ક્ષાયોપશમિક ભાવોનું
381