SearchBrowseAboutContactDonate
Page Preview
Page 413
Loading...
Download File
Download File
Page Text
________________ १० स्थानकाध्ययने छभस्थेतराज्ञेयज्ञेयाः कर्मविपाकदशाद्याः ७५४-७५६ सूत्राणि श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ અધિકારના અભિધાયકપણાથી દશા એવી રીતે બહુવચનાત સ્ત્રીલિંગવાળું શાસ્ત્રનું નામ છે. સૂર્ખઃ અશુભ કર્મનો વિપાકફેલ તે કર્મવિપાક. તેનું પ્રતિપાદન કરનારી દશ અધ્યયનાત્મક હોવાથી દશા તે કર્મવિપાક દશા. વિપાકશ્રુતનો બીજો શ્રુતસ્કંધ પણ દશ અધ્યયનાત્મક જ છે, પરંતુ તે અહિં ઈષ્ટ નથી. આગળ પર વર્ણન કરવામાં આવતું હોવાથી તથા સાધુઓને ઉપાસે છે-સેવે છે તે ઉપાસકો-શ્રાવકો. તત્સંબંધી ક્રિયાના કલાપ (સમૂહ) વડે ગુંથાયેલી દશ અધ્યયન વડે ઓળખાયેલી દશા તે ઉપાસકદશા અર્થાત્ સાતમું અંગ. અન્તો-વિનાશ, તે કર્મનું અથવા તેના ફ્લભૂત સંસારનું કરેલ છે માટે જેઓએ તે અંતકૃતઃ તે તીર્થકરાદિ, તેઓની દશા તે અંતકૃતદશા. અહિં આઠમા અંગના પ્રથમ વર્ગમાં દશ અધ્યયનો છે માટે તે સંખ્યા વડે ઉપલક્ષિત હોવાથી અંતકૃદશા એમ કહેવાથી આઠમું અંગ કહ્યું. ઉત્તર-પ્રધાન નથી આને બીજો કોઈ વિદ્યમાન તે અનુત્તર. ઉપપતન તે ઉપપાત-જન્મ. અનુત્તર એવો ઉપપાત તે અનુત્તરોપપાત, તે છે જેઓને તે અનુત્તરોપપાતિકો. અર્થાત્ સર્વાર્થસિદ્ધિ વગેરે પાંચ વિમાનમાં ઉત્પન્ન થનારા, તેની વક્તવ્યતા વડે પ્રતિબદ્ધ જે દશા-દિશ અધ્યયન વડે ઓળખાયેલી તે અનુત્તરોપપાતિક દશા-નવમું અંગ. આચરવું તે આચાર-જ્ઞાનાદિ પાંચ પ્રકારે આચારના પ્રતિપાદનમાં તત્પર દશા–દશ અધ્યયનાત્મિકા તે આચારદશા, જે દશાશ્રુતસ્કંધ નામથી રૂઢ છે. પ્રશ્નો તે પૃચ્છા અને વ્યાકરણો એટલે નિર્વચનો અર્થાત્ પ્રશ્નોના ઉત્તરો તે પ્રશ્નવ્યાકરણો. તેનું પ્રતિપાદન કરનારી દેશ અધ્યયનાત્મિકાદશા તે પ્રશ્નવ્યાકરણ દશા-દશમું અંગ. તથા બંધ દશા,દ્વિગૃદ્ધિદશા, દીર્ઘદશા અને સંક્ષેપિકદશા અમોને અપ્રતીત છે. કર્મવિપાક દશાના અધ્યયન સંબંધી વિભાગને કહે છે–'મે' ત્યારે 'મિને ત્યજી દોઢ શ્લોક મૃ-મૃગગ્રામનામા નગરના વિજય રાજાની મૃગા નામની ભાર્યા, તેણીનો પુત્ર તે મૃગાપુત્ર. તે નગરમાં ગૌતમસ્વામીએ સમવસરણમાં આવેલ જન્મથી અંધ પુરુષને જોઈને મહાવીરસ્વામીને પૂછ્યું કે-હે ભદન્ત! આ નગરમાં બીજો કોઈ જાતિઅંધ પુરુષ છે? ભગવાને જાતિ (જન્મથી) અંધ અને આકૃતિ રહિત મૃગાપુત્રનું ગૌતમસ્વામી પ્રત્યે સ્વરૂપ કહ્યું ત્યારે ગૌતમસ્વામી તો કુતૂહલથી તેને જોવા સારુ તેના ઘર પ્રત્યે ગયા. મૃગાદેવીએ વંદન કરીને આવવાનું કારણ પૂછ્યું. ગૌતમસ્વામીએ કહ્યું કે-હું તારા પુત્રને જોવા માટે આવ્યો છું. ત્યારે મૃગાદેવી ભૂમિગૃહ (ભોંયરા) માં રહેલ તેને, તેમાંથી ઉઘાડીને ગૌતમસ્વામીને બતાવતી હતી. તેને અતિશય ધૃણાસ્પદ જોઈને ગૌતમસ્વામીએ ભગવાન્ પાસે આવીને પૂછ્યું કે–આ મૃગાપુત્ર જન્માંતરમાં કોણ હતો? ભગવાન બોલ્યા-આ વિજયવદ્ધમાનક નામા પેટમાં ‘મકાયિ” નામાં લાંચનું લેવું વગેરે ઉપચારોથી લોકોને સંતાપનાર રાષ્ટ્રકૂટ (રાઠોડ) હતો. ત્યાંથી સોળ રોગાતક વડે અભિભૂત થયો થકો મરીને નરકમાં ગયો. ત્યાંથી પાપકર્મના વિપાક વડે લોખાકાર-લોઢીઆ જેવો, અવ્યક્ત ઇંદ્રિયવાળો અને દુર્ગધવાળો મૃગાપુત્ર નામે થયો. અહિંથી મરીને નરકમાં જશે. ઇત્યાદિ તેની વક્તવ્યતાનું પ્રતિપાદક પ્રથમ અધ્યયન મૃગાપુત્ર નામે કહ્યુ , "ોત્તાને' રિ ગાય વગરે પશુઓને ત્રાસ પમાડેલ તે ગોત્રાસ, આ હસ્તિનાગપુરમાં ભીમ નામા કૂટગાહ (કૂટકપટ વડે જીવોને પકડનાર) ની ઉત્પલા નામની ભાર્યાનો ગોત્રાસ નામે પુત્ર થયો. પ્રસવકાળમાં મહાપાપી આ જીવે ઘણી બૂમો પાડવા વડે પશુઓને ત્રાસ પમાડ્યો. યૌવનવયમાં અનેક પ્રકારના પશુઓના માંસને ખાતો હતો તેથી મરીને નારક થયો. ત્યાંથી નીકળીને વાણિજ્યગ્રામ નગરમાં વિજયનામા સાર્થવાહ અને તેની ભદ્રા નામા ભાર્યાનો ઉતિક નામા પુત્ર થયો. તે કામધ્વજ નામા ગણિકાને અર્થે રાજાએ તિલતિલ જેવડા માંસછેદન વડે અને તેના ખવરાવવા વડે ચતુષ્પથમાં વિડંબના કરાવીને નાશ કરાવ્યો. તે મરીને નરકમાં ગયો. એ રીતે ગોત્રાસની વક્તવ્યતા વડે પ્રતિબદ્ધ દ્વિતીય અધ્યયન ગોત્રાસ કહેવાય છે. આ અધ્યયન જ વિપાકસૂત્રમાં ઉઝિતક નામે કહેવાય છે ૨ 'સંદે' ૦િ પુરિમતાલ નગરનો વાસી કૂકડાદિ અનેક પ્રકારના ઈડાના સમૂહનો વ્યવહાર કરનાર નિન્નકનામા વ્યાપારીના વિપાકને પ્રતિપાદન કરનારું અંદનામા અધ્યયન છે, તે નિક નરકમાં ગયો, ત્યાંથી નીકળીને અગ્નિસેનામા પલ્લીપતિ થયો. તેની ઉપર નિરંતર દેશનું લુંટન કરવા વડે અતિ કોપ પામેલ પુરિમતાલ નગરના વાસી 1. વિપાકસૂત્રમાં ઇયી નામ છે. 365
SR No.005768
Book TitleSthanang Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages484
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sthanang
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy