SearchBrowseAboutContactDonate
Page Preview
Page 325
Loading...
Download File
Download File
Page Text
________________ ९ स्थानकाध्ययने वैताढ्यादिकूटाधिकारः ६८९ सूत्रम् श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग २ આયુ:પરિણામ. તેમાં ગતિ દેવાદિકની, તેને નિયત (ચોક્કસ), જે સ્વભાવ વડે આયુષ્ય, જીવને પ્રાપ્ત કરાવે છે તે આયુષ્યનો ગતિપરિણામ ૧, જે આયુના સ્વભાવ વડે પ્રતિનિયત ગતિના કર્મનો બંધ થાય છે, જેમ નારકાયુના સ્વભાવ વડે મનુષ્યગતિનામ અને તિર્યગ્ગતિનામકર્મ બંધાય છે પરંતુ દેવગતિ કે નરકગતિનામકર્મ બંધાય નહિ તે ગતિબંધનપરિણામ ૨, આયુષ્યની જે અંતર્મુહૂર્ત વગેરેથી માંડીને તેત્રીશ સાગરોપમ સુધી સ્થિતિ થાય છે તે સ્થિતિ પરિણામ ૩, જે પૂર્વભવ સંબંધી આયુષ્યના પરિણામ વડે પરભવના આયુષ્યની નિયત સ્થિતિને બાંધે છે તે સ્થિતિબંધન પરિણામ, જેમ તિર્યગાયુના પરિણામ વડે દેવનું આયુષ્ય ઉત્કૃષ્ટથી પણ અઢાર સાગરોપમ સુધી જ બાંધે છે ૪, જે આયુષ્યના સ્વભાવ વડે જીવને ઊર્ધ્વદિશામાં ગમનશક્તિ લક્ષણ પરિણામ હોય છે તે ઊર્ધ્વગૌરવ પરિણામ, અહિં ગૌરવ શબ્દ ગમન પર્યાયવાચી છે પ, એમ ઇતર બે (અધ અને તિર્ય) પણ જાણવા. ૬-૭, જે આયુષ્યના સ્વભાવ વડે જીવને દીર્ધ-દૂર ગમનપણાએ યાવતું લોકાંત સુધી ગમન કરવાની શક્તિ હોય છે તે દીર્ઘગૌરવપરિણામ, એવી રીતે જેથી હ્રસ્વ-થોડું ગમન થાય છે તે હ્રસ્વ-ગૌરવ પરિણામ. અહિં પ્રાકૃતપણાથી સર્વત્ર અનુસ્વાર છે, બીજી રીતે પણ આ વિચારવા યોગ્ય છે ૯. I૬૮૬)/ અનંતર આયુષ્યનો પરિણામ કહ્યો, તે આયુનો પરિણામ વિશેષ હોતે છતે જ તપશક્તિ હોય છે માટે તપવિશેષને કહેવા સારુ કહે છે–નવનવનિર' ત્યાદિ સુગમ છે. વિશેષ એ કે-નવ નવમ દિનો છે જેમાં તે નવનવમિકા. નવ નવકોને વિષે નવ નવમ દિનો હોય છે તે પરિણામવાળી આ પ્રતિજ્ઞા છે. નવ નવક એટલે એક્યાશી, એવી રીતે એક્યાશી અહોરાત્ર વડે થાય છે. તથા પ્રથમ નવકમાં દરરોજ એકદત્તિ પાણીની અને એકદત્તિ ભોજનની એવી રીતે એક એક દત્તિની વૃદ્ધિ વડે નવમી નવકમાં નવ દિત્તિ પાણીની અને નવ દત્ત ભોજનની સમજવી. તે બધી સંવલિત કરવાથી ચારસે ને પાંચ ભિક્ષા (દત્તિ) વડે યથાસૂત્ર-જેમ સૂત્રમાં કહેલું છે તેમ યથાકલ્પ-જેવી રીતે પ્રતિમાપારીનો કલ્પ છે તેમ યથામાર્ગ, યથાતત્ત્વ, સમ્યક્ કાયા વડે સ્પર્શેલી, પાળેલી, શોભાવેલી, કાંઠે પહોંચાડેલી, કીર્તન કરાયેલી અને આરાધેલી પણ હોય છે. ૬૮૭ આ પ્રતિમા જન્માન્તરમાં કરેલ પાપકર્મના પ્રાયશ્ચિત્તરૂપ છે માટે પ્રાયશ્ચિત્તના નિરૂપણવાળું સૂત્ર છે તે પૂર્વે કહેલ અર્થવાળું છે. I૬૮૮. પ્રાયશ્ચિત્ત તો ભરતાદિ ક્ષેત્રમાં હોય છે માટે ભરતાદિક્ષેત્રમાં રહેલ વસ્તુવિશેષનું પ્રતિપાદન કરવા માટે સંવૂવીવે થી આરંભીને 'વરજૂડના મારું આ છેલ્લા સૂત્ર સુધી સૂરના વિસ્તારને કહે છે– जंबूमंदरदाहिणेणं भरहे दीहवेतड्डे नव कूडा पन्नत्ता, तंजहासिद्धे १ भरहे २ खंडग ३ माणी ४ वेयड्ड५ पुग्न ६ तिमिसगुहा७ । भरहे ८ वेसमणेया ९ भरहे कूडाण णामाई॥१॥ जंबूमंदिरदाहिणेणं निसभे वासहरपव्वते णव कूडा पन्नत्ता, तंजहासिद्धे १ निसहे र हरिवस्स ३ विदेहे ४ हरि५धिति ६ य सीतोदा७ । अवरविदेहे ८ रुतगे ९,निसभे कूडाण णामाई जंबूद्दीवे दीवे मंदरपव्वते णंदणवते णव कूडा पन्नत्ता, तंजहाणंदणे १ मंदरे २ चेव, निसहे ३ हेमवते ४ रयय ५ रुयए ६ य ।सागरचित्ते७ वइरे ८ बलकूडे ९ चेव बोद्धव्वे ॥१॥ जंबूद्दीवे दीवे मालवंत १ वक्खारपव्वते णव कूडा पन्नत्ता, तंजहासिद्धे १ य मालवंते २ उत्तरकुर ३ कच्छ ४ सागरे ५ रयते ६ । सीता ७ त पुण्णणामे ८ हरिस्सकूडे ९ य बोधव्वे HIRI जंबूद्दीवे दीवे कच्छे दीहवेयड्डे नव कूडा पन्नत्ता, तंजहा1. કેમ કે તિર્યંચ આઠમા દેવલોક સુધી જ જઈ શકે છે. 277
SR No.005768
Book TitleSthanang Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages484
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sthanang
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy