________________
श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग १ ४ स्थानकाध्ययने उद्देशः ४ संवासः आसुराभियोग्याद्याः ३५३ - ३५४ (મૂળ) ચાર પ્રકારનો સંવાસ-સંભોગ કહેલો છે, તે આ પ્રમાણે—દિવ્ય (વૈમાનિક) સંબંધી, અસુર-ભવનપતિ સંબંધી, રાક્ષસ-વ્યંતર સંબંધી અને મનુષ્ય સંબંધી. (૧) ચાર પ્રકારનો સંવાસ કહેલો છે, તે આ પ્રમાણે—૧. કોઈક વૈમાનિક દેવ દેવી સાથે સંવાસ કરે છે, ૨. કોઈક દેવ અસુરી સાથે સંવાસ કરે છે, ૩. કોઈક અસુર દેવી સાથે સંવાસ કરે છે અને ૪. કોઈક અસુર અસુરી સાથે સંવાસ કરે છે. (૨) ચાર પ્રકારનો સંવાસ કહેલ છે, તે આ પ્રમાણે—૧. કોઈક દેવ દેવી સાથે સંવાસ કરે છે, ૨. કોઈક દેવ રાક્ષસી–વ્યંતરી સાથે સંવાસ કરે છે, ૩. કોઈક રાક્ષસ દેવી સાથે સંવાસ કરે છે અને ૪. કોઈક રાક્ષસ રાક્ષસી સાથે સંવાસ કરે છે. (૩) ચાર પ્રકારનો સંવાસ કહેલ છે, તે આ પ્રમાણે—૧. કોઈક દેવ દેવી સાથે સંવાસ કરે છે, ૨. કોઈક દેવ મનુષ્યણી સાથે સંવાસ કરે છે, ૩. કોઈક મનુષ્ય દેવી સાથે સંવાસ કરે છે અને ૪. કોઈક મનુષ્ય મનુષ્યણી સાથે સંવાસ કરે છે. (૪) ચાર પ્રકારનો સંવાસ કહેલ છે, તે આ પ્રમાણે– ૧. કોઈક અસુર અસુરી સાથે સંવાસ કરે છે, ૨. કોઈક અસુર રાક્ષસી સાથે સંવાસ કરે છે, ૩. કોઈક રાક્ષસ અસુરી સાથે સંવાસ કરે છે અને ૪. કોઈક રાક્ષસ રાક્ષસી સાથે સંવાસ કરે છે. (૫) ચાર પ્રકારનો સંવાસ કહેલ છે, તે આ પ્રમાણે—૧. કોઈક અસુર અસુરી સાથે સંવાસ સેવે છે, ૨. કોઈક અસુર મનુષ્યણી સાથે સંવાસ સેવે છે, ૩. કોઈક મનુષ્ય અસુરી સાથે સંવાસ સેવે છે અને ૪. કોઈક મનુષ્ય મનુષ્યણી સાથે સંવાસ સેવે છે. (૬) ચાર પ્રકારનો સંવાસ કહેલ છે, તે આ પ્રમાણે—૧. કોઈક રાક્ષસ રાક્ષસી સાથે સંવાસ સેવે છે, ૨. કોઈક રાક્ષસ મનુષ્યણી સાથે સંવાસ સેવે છે, ૩. કોઈક મનુષ્ય રાક્ષસી સાથે સંવાસ સેવે છે અને ૪. કોઈક મનુષ્ય મનુષ્યણી સાથે સંવાસ સેવે છે. (૭) ૩૫૩
ચાર પ્રકારે અપધ્વંસ–(ચારિત્રના ફળનો વિનાશ) કહેલ છે, તે આ પ્રમાણે—૧. આસુરીભાવનાજન્ય તે આસુર, ૨. અભિયોગભાવનાજન્ય તે અભિયોગ, ૩. સંમોહભાવનાજન્ય તે સંમોહ અને ૪. દેવકિલ્બિષ ભાવનાજન્ય તે દેવકિલ્પિષ અપસ. ચાર કારણ વડે જીવો અસુરપણાનું આયુષ્કાદિ કર્મ કરે છે, તે આ પ્રમાણે—૧. ક્રોધી સ્વભાવ વડે, ૨. કલહ કરવાના સ્વભાવ વડે, ૩. આહારાદિમાં આસક્તિ સહિત તપ કરવા વડે અને ૪. નિમિત્તાદિ પ્રકાશીને આજીવિકા ચલાવવા વડે. ચાર કારણ વડે જીવો આભિયોગતાને અર્થે આયુષ્કાદિ કર્મ કરે છે, તે આ પ્રમાણે—૧. આત્માનો ઉત્કર્ષ (ગર્વ) કરવા વડે, ૨.બીજાની નિંદા કરવા વડે, ૩. ભૂતિકર્મ-તાવવાળા વગેરેને રાખ વગેરેથી રક્ષાદિ કરવા વડે અને ૪. કૌતુકકરણ–સૌભાગ્યાદિને માટે બીજાના શિર ઉપર હસ્તના ભ્રમણ વગેરેથી મંત્રવા વડે. ચાર કારણ વડે જીવો સંમોહપણાને અર્થે આયુષ્કાદિ કર્મ કરે છે, તે આ પ્રમાણે—૧. ઉન્માર્ગની દેશના વડે, ૨. સન્માર્ગનો અંતરાય કરવા વડે, ૩. કામભોગની આશંસા (વાંછા) વડે અને ૪. લોભથી નિયાણું કરવા વડે. ચાર કારણ વડે જીવો દેવકિલ્બિષણાનું આયુષ્યાદિકર્મ કરે છે–બાંધે છે, તે આ પ્રમાણે—૧. અરિહંતોના અવર્ણવાદને બોલતો થકો, ૨. અરિહંતે કહેલા ધર્મના અવર્ણવાદને બોલતો થકો, ૩. આચાર્ય ઉપાધ્યાયના અવર્ણવાદને બોલતો થકો અને ૪. ચતુર્વિધ સંઘના અવર્ણવાદને બોલતો થકો. ।।૩૫૪।।
(ટી૦) 'શ્વનવ્વિદે સંવાસે' ત્યા॰િ સૂત્ર સરળ છે. વિશેષ એ કે–સ્રીની સાથે સંવસન–શયન કરવું તે સંવાસ. ચૌઃ-સ્વર્ગ, તેમાં વસના૨ દેવ પણ ઉપચારથી ઘૌ, તેમાં થયેલ તે દિવ્ય અર્થાત્ વૈમાનિક સંબંધી સંવાસ. ભવનપતિ વિશેષ અસુર સંબંધી સંવાસ તે આસુર. એવી રીતે અન્ય બે સંવાસ જાણવા, વિશેષ એ કે-રાક્ષસ-વ્યંતરવિશેષ. દેવ અને અસુર વગેરેના સંયોગથી છ ચતુર્થંગી સૂત્રો થાય છે. II૩૫૩॥
देव ३ आसुर २ राक्षस १ मनुष्य देवी असुरी राक्षसी मानुषी
464