________________
स्था. उ. ४ पुष्करसंवाद्या मेघपुरुषाः, करण्डकपुरुषा वृषमत्स्यगोलपकटाः चतुष्पदाद्याः पक्षिभिक्षुनिष्कृष्टाद्याः ३४७.३५२ सूत्रम्
श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग १
તે લોકમાં પ્રસિદ્ધ છે. ૧. શ્વપાક-ચાંડાલનો કડક, તે પ્રાયઃ ચામડાને સંસ્કારવાના ઉપકરણરૂપ વધાદિ ચશના સ્થાન વડે અત્યંત અસાર હોય છે. ૨. વેશ્યાનો કરંડક તો લાખ વડે પૂરિત સોનાના આભરણ વગેરેનું સ્થાન હોવાથી કિંચિત્ પ્રથમ કરંડકથી સારભૂત છતાં કહેવામાં આવનાર ત્રીજા તથા ચોથા કરંડકની અપેક્ષાએ અસાર છે. ૩. ગૃહપતિ-શ્રીમંત કૌટુંબિકનો કરંડક, તે વિશિષ્ટ મણિ અને સુવર્ણના આભરણાદિ યુક્ત હોવાથી સારતર છે. ૪. રાજકરંડક તો અમૂલ્ય રત્નાદિના ભાજનપણાથી સારતમ છે. (૧૬) એવી રીતે જે આચાર્ય ષટપ્રજ્ઞક ગાથાદિરૂપ સત્રધારી અને વિશિષ્ટ ક્રિયાથી હીન છે તે પ્રથમ કડક સમાન છે, કારણ કે તે અત્યંત અસાર હોય છે. બીજો જે દુઃખપૂર્વક શ્રુતના લવલેશને ભણેલ છે પણ વચનના આડંબર વડે મુગ્ધ લોકોને આકર્ષે છે-રંજિત કરે છે તે પરીક્ષામાં સમર્થ ન હોવાથી અસારપણાને લઈને દ્વિતીય કડક સમાન છે. જે આચાર્ય સ્વસમય અને પરસમયને જાણનાર તથા ક્રિયાદિ ગુણયુક્ત છે તે સારતર હોવાથી ત્રીજા કરંડક સમાન છે અને જે આચાર્ય સમસ્ત આચાર્યના (છત્રીશ છત્રીશી) ગુણોથી યુક્ત તીર્થકર સંદેશ છે તે ચતુર્થ કરંડક સમાન છે સુધમદિવત્ સાતમ હોવાથી. (૧૭) કોઈક શાળા નામના વૃક્ષની જાતિયુક્ત હોવાથી શાલ છે અને શાલના જ પર્યાયો–બહુલછાયાપણું, સેવવાપણું વગેરે ધર્મો છે જેને તે શાલપર્યાય-આ એક, કોઈક નામથી પૂર્વવત્ શાલ પણ એરંડના જ પર્યાયો-અબહુલ (અલ્પછાયા) પણું, અસેવવા યોગ્યપણું વગેરે ધર્મો છે જેને તે એરંડપર્યાય-આ બીજો, કોઈક એરંડામા વૃક્ષની જાતિવાળો હોવાથી એરંડ નામનો છે પણ શાલપર્યાય-બહુલછાયાત્વ વગેરે ધર્મયુક્ત હોય છે આ ત્રીજો, કોઈક એરંડનામા વૃક્ષ પૂર્વવત્ અને એરંડપર્યાય- અલ્પ છાયાપણું વગેરે એરંડના ધર્મયુક્ત હોય છે–આ ચતુર્થ. (૧૮) આચાર્ય તો શાલની જેમ શાલ જાતિવાળો છે તેમ આચાર્ય પણ સુકુલીન અને સદ્ગુરુકુલવાળો છે તે શાલ જ કહેવાય છે. તથા શાલપર્યાયશાલના ધર્મવાળો છે. જેમ શાલ છાયા વગેરે ધર્મ સહિત છે તેમ જે આચાર્ય જ્ઞાન અને ક્રિયાથી થયેલ યશઃ વગેરે ગુણોયુક્ત હોય છે તે શાલપર્યાય કહેવાય છે-આ એક, તથા એક આચાર્ય પૂર્વવત્ શાલ છે અને પૂર્વોક્તથી વિપરીત હોવાથી એરંડપર્યાયવાળો છે–આ બીજો. તૃતીય અને ચતુર્થ ભંગ પણ એવી રીતે સમજવા. (૧૯) તથા પૂર્વ પ્રમાણે જ શાલ અને શાલરૂપ જ પરિવાર છે જેનો તે શાલપરિવાર, એવી રીતે શેષ ત્રણ ભંગ જાણવા. (૨૦) આચાર્ય તો શાલની જેમ ગુરુકુલ અને શ્રુતાદિ વડે ઉત્તમ હોવાથી શાલ છે અને શાલ સમાન મહાનુભાવ સાધુના પરિવારથી શાલ પરિવારવાળો છે, તથા (બીજો) એરંડ તુલ્ય નિર્ગુણ સાધુના પરિવારથી એરંડ પરિવારવાળો છે તથા ત્રીજો શ્રતાદિ વડે હીનપણાથી આચાર્ય એરંડ જેવો છે અને ચોથો તો અજ્ઞાત છે. ઉક્ત ચતભંગી વડે જ ભાવના માટે 'સાધુને ત્યાદિ ગાથાચતુષ્ક છે. તે સુગમ છે. વિશેષ એ કે-મંગુલ–અસુંદર (૨૧). અનુશ્રોત વડે જે ચાલે છે તે અનુશ્રોતચારી-નદી વગેરેના પ્રવાહમાં ગમન કરનાર, એવી રીતે બીજા ભાગ જાણવા. (૨૨) એમ ભિક્ષાક-૧. જે સાધુ અભિગ્રહ લઈને ઉપાશ્રયના સમીપથી ક્રમ વડે કુલોને વિષે ભિક્ષા કરે છે તે અનુશ્રોતચારી મત્સ્યની જેમ અનુશ્રોતચારી છે. ૨. જે સાધુ ક્રમ વડે અન્ય ઘરોને વિષે ભિક્ષા કરતો થકો ઉપાશ્રયમાં આવે છે તે બીજો. ૩. જે સાધુ ક્ષેત્રના અંત-છેલ્લા ઘરોને વિષે ભિક્ષા કરે છે તે ત્રીજો અને ૪. ક્ષેત્રના મધ્યમાં જે ભિક્ષા કરે છે તે ચોથો. (૨૩) મધુસિત્થ-મીણનો ગોળો-ગોળાકાર પિંડ તે મધુરિત્ ગોળો. એમ બીજા પણ ગોળા જાણવા. વિશેષ એ કે-જત-લાખ, કાષ્ટ અને માટી પ્રસિદ્ધ છે. (૨૪) જેમ એ ગોળાઓ મૃદુ, કઠિન, કઠિનતર અને કઠિનતમ ક્રમ વડે હોય છે તેમ જે પુરુષો પરિષહ વગેરેમાં મૃદુ, દેઢ, દઢતર અને દઢતમ સત્વવાળા હોય છે તે મધુલિત્યુ વગેરે ગોળા સમાન કથન વડે કહેલા છે. (૨૫) લોઢાના ગોળા પ્રમુખ પ્રસિદ્ધ છે. (૨૬) આ લોઢાના ગોળા વગેરેના ક્રમ વડે ગુરૂ (ભારી), ગુરૂતર, ગરૂતમ અને અત્યંત ગુરુ વડે જે પુરુષો આરંભાદિ વિવિધ પ્રવૃત્તિથી ઉપાર્જન કરેલ કર્મના ભારવાળા હોય છે તે લોઢાના ગોળા સમાન ઇત્યાદિ વ્યપદેશવાળા હોય છે. અથવા માતા, પિતા, પુત્ર અને સ્ત્રી સંબંધી સ્નેહના ભારથી (અધિક અધિક) ભારવાળા હોય છે. (૨૭) રૂપા વગેરેના ગોળાઓમાં ક્રમશઃ અલ્પગુણ, ગુણાધિક, ગુણાધિકતર અને ગુણાધિકતમને વિષે પુરુષો સમૃદ્ધિથી અથવા જ્ઞાનાદિગુણથી સમાનપણાએ યોજવા. (૨૮-૨૯) પત્રની માફક પાતળાપણાએ જે તરવાર વગેરે છે તે પત્રો અસિ --ખગ, તે જ પત્ર તે અસિપત્ર, જેના વડે કાષ્ઠ છેદાય છે તે
461