SearchBrowseAboutContactDonate
Page Preview
Page 425
Loading...
Download File
Download File
Page Text
________________ ४ स्थानकाध्ययने उद्देशः ३ मातापित्रादिसमाः श्रावकाः, वीरश्रावकदेवत्वं, देवागमानागमकारणानि ३२१-३२३ सूत्राणि श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग १ ૨. પતાકાની માફક વિચિત્ર દેશનાદિરૂપ વાયુ વડે ચોતરફથી ખેંચાતો હોવાથી જેનો અસ્થિર–અનિશ્ચિત બોધ છે તે પતાકા સમાન, ૩. જે શ્રાવક ગીતાર્થ મુનિની દેશના વડે પણ કોઈ પણ કદાગ્રહથી ચળાવી શકાતો નથી, અનમન સ્વભાવરૂપ બોધને લઈને સમજાવવા યોગ્ય નથી અર્થાત્ દુરાગ્રહી સ્થાણુ (કુંઠા) સમાન છે, ૪. જે શ્રાવક સમજાવ્યો છતો માત્ર પોતાના કદાગ્રહથી ચલિત થતો નથી એટલું જ નહિં પરંતુ પ્રજ્ઞાપક (સમજાવનાર) ને દુર્વચનરૂપ કંટક વડે વીંધે છે તે ખરકંટક સમાન છે. અર્થાત્ ખર નિરંતર અથવા નિષ્ઠુર, કાંટા છે જેને વિષે તે ખરકંટક–બાવળ વગેરેની ડાલ, જે લોકમાં ‘ખરણ’ કહેવાય છે તે કપડાંને વળગવાથી માત્ર વસ્ત્રને ફાડવા માત્રથી છોડે છે એટલું જ નહિં પરંતુ તેને મૂકાવનાર પુરુષ વગેરેના હાથ પણ કાંટાઓ વડે વીંધાય છે અથવા બીજાઓને જે ખરડે છે–લેપવાળો કરે છે તે ખરંટ–અશુચિ વગેરે તેના જેવો, તેના કુબોધને દૂર કરવા માટે જે પુરુષ તૈયાર થાય છે તેને જે સંસર્ગ (સંબંધ) માત્રથી જ દૂષણવાળો કરે છે. કુબોધ, કુશીલતા અને અપકીર્તિને ઉત્પન્ન કરવાથી અથવા આ ઉત્સૂત્રપ્રરૂપક છે એમ અસત્ દૂષણનો ઉદ્ભાવક-પ્રચાર કરવા વડે ખરંટ સમાન છે. II૩૨૧॥ શ્રમણોપાસકના અધિકારથી કહે છે—'સમસ્તે' ત્યાદ્રિ સૂત્ર સરલ છે. વિશેષ એ કે ઉપાસકદશાંગસૂત્રમાં કહેલા આનંદાદિ દશ શ્રાવકોની સૌધર્મદેવલોકમાં ચાર પલ્યોપમની સ્થિતિ કહેલી છે. II૩૨૨ દેવના અધિકારથી જ કહે છે—'વડહી' ત્યાદ્રિ ત્રીજા સ્થાનકના ત્રીજા ઉદેશાને વિષે પ્રાયઃ આ વ્યાખ્યાન કરાયેલું છે તથાપિ કંઈક કહેવાય છે—'પરૢિ વાળેર્દિ નો સંવાત્તિ' અહિં સંબંધ એ છે કે–દેવલોકને વિષે–દેવોની અંદર 'હવ્વ શીઘ્ર 'સંવાત્તિ'—સમર્થ છે. મનોજ્ઞ શબ્દાદિરૂપ કામભોગોને વિષે મૂછિતની જેમ મૂઢ, કેમ કે–અનિત્યાદિ સ્વરૂપવાળા કામભોગના બોધમાં સમર્થ ન હોવાથી 'વૃદ્ધઃ '—તેની આકાંક્ષાવાળો અર્થાત્ અતૃપ્ત. ‘ગ્રથિત’ (બંધાયેલ) ની જેમ ગ્રથિત અર્થાત્ શબ્દાદિ વિષયમાં સ્નેહરૂપ દોરડી વડે ગુંથાયેલ 'અધ્યુપપન્નઃ'—અત્યંત તન્મય (ઉક્ત કારણને લઈને મનુષ્ય સંબંધી) કામભોગને વિષે આદ૨વાળો થતો નથી. આ વસ્તુભૂત છે એમ પણ માનતો નથી અર્થાત્ તુચ્છ ગણે છે તથા તેઓને વિષે અર્થ બંધન કરતો નથી અર્થાત્ એઓની સાથે મારે કાંઈપણ પ્રયોજન નથી એમ નિશ્ચય કરે છે, આ મને પ્રાપ્ત થાઓ એવી રીતે તેઓને વિષે નિદાન કરતો નથી તથા તેઓને વિષે સ્થિતિપ્રકલ્પ-રહેવારૂપ વિકલ્પ અર્થાત્ એઓને વિષે હું રહું કે મને એ રહો–સ્થિર થાઓ, આવા પ્રકારના વિકલ્પને અથવા સ્થિતિ-મર્યાદા વડે પ્રકૃષ્ટ કલ્પ–આચારરૂપ સ્થિતિપ્રકલ્પને કરતો નથી અર્થાત્ ક૨વા માટે આરંભ કરતો નથી. 'પ્રોતિ' ક્રિયાપદમાં 'X' શબ્દનો શરૂઆતરૂપ અર્થ છે. એવી રીતે દિવ્ય દેવ સંબંધી વિષયને વિષે આસક્તિરૂપ એક કારણ છે જેથી તત્કાલ ઉત્પન્ન થયેલ કામભોગને વિષે મૂર્ચિચ્છતાદિ વિશેષણવાળો આ દેવ છે તથા તેને મનુષ્ય સંબંધી પ્રેમ વિચ્છિન્ન થયેલ છે માટે દિવ્ય પ્રેમનું સંક્રમણ થયેલ છે આ બીજું કારણ છે. તથા આ દેવ જે હેતુથી કામભોગને વિષે મૂચ્છિતાદિ વિશેષણવાળો હોય છે તેથી તેના પ્રતિબંધને લઈને 'તસ્સ ' મિત્યાવિ॰ દેવના કાર્યને વિષે આધીન થવાથી મનુષ્યના કાર્યમાં આધીનપણું નથી. આ ત્રીજું કારણ છે. તથા દિવ્યભોગને વિષે મૂચ્છિતાદિ વિશેષણથી તેને મનુષ્ય સંબંધી આ ગંધ પ્રતિકૂલ-દિવ્ય ગંધથી વિપરીત છે અને પ્રતિલોમ પણ છે કેમ કે તે ઇંદ્રિય અને મનને આહ્લાદ કરનાર નથી અથવા આ બન્ને શબ્દ એકાર્થ વાચક છે, પરંતુ અત્યંત અમનોજ્ઞપણાને સૂચવવા માટે બે શબ્દ કહેલા છે. યાવત્ શબ્દ પરિમાણના અર્થમાં છે. 'વૃત્તરિ પંચે' ત્તિ આ શબ્દ વિકલ્પ બતાવવા માટે કદાચિત્ ભરતાદિ ક્ષેત્રને વિષે એકાંત સુષમાદિ સમય (આરા) માં ચારસો યોજન જ, અને અન્ય કાલમાં તો પાંચસો યોજન પણ હોય છે, કેમ કે મનુષ્ય અને પંચેંદ્રિયતિર્યંચોની બહુલતાને લઈને ઔદારિક શરીરોની બહુલતા હોવાથી તેના અવયવો અને તેના મળોની અધિકતાથી દુરભિગંધની પ્રચુરતા હોય છે. મનુષ્યક્ષેત્રમાં આવવાની ઇચ્છાવાળા દેવોને મનુષ્યક્ષેત્રથી ગંધ આવે છે, આમ મનુષ્યક્ષેત્ર અશુભસ્વરૂપ જ કહ્યું, પરંતુ દેવ અથવા અન્ય મનુષ્યાદિ નવ યોજન ક૨તાં વિશેષ દૂરથી આવતી ગંધને જાણતા નથી. અથવા આ ઉક્ત (આગમ) વચનથી જે ઇંદ્રિયના વિષયનું પ્રમાણ કહ્યું છે તે ઔદારિક શરીર સંબંધી ઇંદ્રિયોની અપેક્ષાએ સંભવિત છે. નહિંતર લક્ષાદિ યોજન પ્રમાણવાળા વિમાનોને વિષે દૂર રહેલા દેવો (સુધોખા) ઘંટાના શબ્દને કેમ સાંભળી શકે? જે બીજાને સંભળાય છે તે 413
SR No.005767
Book TitleSthanang Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sthanang
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy