SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ १ स्थानाध्ययने क्रमद्वारवर्णनम् श्री स्थानाङ्गसूत्र सानुवाद भाग १ અર્થ સાથે સંબંધ કરવો તે, અથવા અનુરૂપ યોગ્ય અથવા અનુકૂલ જે વ્યાપાર એટલે સૂત્રના અર્થ કથનરૂપ તે અનુયોગ. * (જેમ ઘટ શબ્દ વડે ઘડો અર્થ કહેવાય છે) માદ – अणुयोयणमणुओगो, सुयस्स नियएण जमभिधेएणं । वावारो वा जोगो, जो अणुरूवोऽणुकूलो वा ।।९।। [विशेषावश्यक० १३८६ इति] अहवा जमत्थओ, थोव-पच्छभावेहिं सुयमणुं तस्स । अभिधेये वावारो, जोगो तेणं व संबंधो ॥१०॥ [विशेषावश्यक० १३८७ त्ति] અર્થ સૂત્રનું પોતાના અભિધેયની સાથેનું અનુયોજન અથવા જે અનુરૂપ અનુકૂલ યોગ્ય વ્યાપાર હોય તે અનુયોગ કહેવાય છે. ભll અથવા અર્થની અપેક્ષાએ (અનંત અર્થ હોવાથી) સૂત્ર લઘુ (થોડુ છે) માટે અણુ કહેવાય છે અને તીર્થકરોક્ત ત્રિપદીરૂપી અર્થ સાંભળીને પછી ગણધરો સૂત્ર રચે છે તેથી અનુ (એટલે પાછળ છે) એ બંને વિશેષણો યોગ શબ્દને આપેલ છે. અનુ શબ્દના વાચ્ય જે સૂત્ર તેનો વિષય સાથે સંબંધ તે અણુયોગ અથવા અનુયોગ કહેવાય છે. (૧૦) જિનશાસનરૂપી નગર તેના દરવાજાઓની જેમ તારો—જ્યાંથી જઈ-આવી શકાય તે–એક સ્થાનક અધ્યયનરૂપી નગરના અર્થ જાણવાના ઉપાયરૂપી ઉપક્રમાદિ ચાર દ્વારા જાણવા. દરવાજા વગરનું નગર તે અનગર જ હોય છે. જો એક દરવાજો હોય તો દુઃખે પ્રવેશ કરી શકાય અને કાર્યની હાનિ માટે તે થાય છે, પરંતુ ચાર દરવાજા હોય તો ગમે તે દરવાજો અનુકૂળ થાય અને કાર્યની સિદ્ધિ માટે થાય છે. એવી રીતે એક સ્થાનક અધ્યયનરૂપી નગર પણ અર્થાધિગમના ઉપાયરૂપી દ્વારો*વડે રહિત હોય તો અર્થનું જાણવું અશક્ય થાય છે. ૬. તર્ભદાર - એક ધારવાળું શાસ્ત્ર પણ દુઃખે જાણી શકાય છે અને વિશેષ ભેદ સહિત ચાર ધારવાળું હોય તો અર્થ સુખે જાણી શકાય છે. . ૭. નિરુક્તિકાર - આ કારણથી દ્વારનો ઉપચાસ ફળવાળો છે. તે ઉપક્રમાદિ દ્વારોના ક્રમશઃ બે, ત્રણ, બે અને બે ભેદ થાય છે. ' નિસ્તુ' –વ્યુત્પત્તિ તો આ પ્રમાણે છે_*#માં” ઉપક્રમ એ (૧) ભાવ સાધન છે. શાસ્ત્રને ન્યાસ દેશ (જે સ્થાને લાવવું છે તે) સ્થાને નજીકમાં લાવવું. જે દ્વારા ગુરુના વચનયોગથી ઉપક્રમ કરાય છે તે (૨) કરણ સાધન, શિષ્યનો શ્રવણ ભાવ છતે જેમાં ઉપક્રમ કરાય છે તે (૩) અધિકરણ સાધન, આથી ઉપક્રમ કરાય છે અથવા વિનીત શિષ્યના વિનયથી ઉપક્રમ કરાય છે તે (૪) અપાદાન સાધન. એવી રીતે નિક્ષેપરિક્ષિતે વાડનેનામિત્તસ્મારિતિ વા નિક્ષેપચાર:' નિક્ષેપણ તે નિક્ષેપ, જે વડે, જેમાં, અને જેનાથી નિક્ષેપ કરાયેલ છે તે નિક્ષેપના વ્યાસ અને સ્થાપના એ પર્યાયનામ છે. એમ જ મનુનમનામ: ૧ ઈત્યાદિ જે વડે, જે છતે અને જેથી સૂત્રના ન્યાસને અનુકૂળ વ્યાખ્યા કરવી તે અનુગમ. એમ જ નયન નય ઇત્યાદિ વસ્તુનું જાણવું તે નય, અથવા જે વડે જે છતે અને જેથી વસ્તુ જણાય તે નય, અનંત ધર્માત્મક વસ્તુના એક અંશનું જે જ્ઞાન તે નય કહેવાય છે. આ ઉપક્રમાદિ દ્વારોનો આવી રીતે ક્રમ કરવામાં શું પ્રયોજન છે? તે કહેવાય છે. ૮.કમદ્વાર ઃ- જે ઉપક્રમ રહિત છે તે સમીપભૂત નથી, જે સમીપભૂત નથી તેનો નિક્ષેપ નથી કરાતો, જે નામાદિ વડે નિક્ષેપ નથી કરાયેલ તે અર્થથી અનુગમ કરાતો નથી, જે અર્થથી નથી જાણેલ તે નયોથી વિચારાતું નથી. એવી રીતે એક જ ક્રમ છે. ડાં – दारक्कमोऽयमेव उ, निक्खिप्पइ जेण नासमीवत्थं । अणुगम्मइ नाऽणत्थं, नाऽणुगमो नयमयविहीणो ॥११॥ [विशेषावश्यक० ९१५.त्ति] - 5
SR No.005767
Book TitleSthanang Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sthanang
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy