________________
२ स्थानकाध्ययने उद्देशः ३ वर्षधरादिस्वरूपम् ८७ सूत्रम्
श्री स्थानाङ्गसूत्र सानुवाद भाग १ કરાય છે, પરંતુ સમ (સરખો) વિભાગ નહિં. અને તે બે પર્વતથી દેવકુરુ અદ્ધચંદ્રાકાર કરાયેલ છે. આ કારણથી જ વક્ષારાકાર ક્ષેત્રને કરનારા બે પર્વત વક્ષાર (વખારા) પર્વત કહેવાય છે. બંનૂ' રૂત્યાદિ વર્ણન તેમજ જાણવું. વિશેષ એ કે–ઉત્તરકુરુક્ષેત્રમાં પશ્ચિમની પાસે ગંધમાદન અને પૂર્વની પાસે માલ્યવાન વખારાપર્વત છે (૨), 'રો સીદવે 'ત્તિ વૈતાદ્યનો નિષેધ કરવા. માટે દીર્ઘ' શબ્દનું ગ્રહણ કરેલ છે. વેઢ શબ્દનો વૈતાઢ્ય અથવા વિજયાઢ સંસ્કાર થાય છે. તે બે પર્વત ભરત અને ઐરાવતના મધ્ય ભાગમાં પૂર્વ અને પશ્ચિમથી લવણ સમુદ્રને સ્પર્શ કરીને રહેલ છે. તે બન્ને પચ્ચીશ યોજનના ઊંચા છે, પચ્ચીશ ગાઉ ઊંડા છે, પચ્ચાસ યોજન પહોળા છે, આયત સંડાણવાળા છે, સર્વ રૂપાય છે અને બન્ને પડખાથી બહાર કાંચનમંડનથી અંકિત છે. કહ્યું છે– पणुवीसं उविद्धो पन्नासं जोयणाण विच्छिन्नो [वित्थिनो] । वेयड्ढो रययमओ, भारहखेत्तस्स मज्झमि ॥६२।।
[વૃદ્ધક્ષેત્ર ૨૭૮] ભરત ક્ષેત્રના મધ્યમાં રૂપામય વેતાઠ્ય પર્વત છે જે પચ્ચીશ યોજન ઉંચાઈમાં અને પચ્ચાસ યોજન પહોળાઈમાં છે. (૬૨).
' 'મારા ' મિત્ય િવૈતાઢ્ય પર્વતમાં પશ્ચિમ ભાગમાં તમિસા ગુફા પચ્ચાસ યોજન લાંબી, બાર યોજન પહોળી અને આઠ યોજન ઊંચી છે. આયત ચતુરસ સંસ્થાનવાળી, વિજયદ્વાર પ્રમાણે તારવાળી (આઠ યોજન ઊંચા અને ચાર યોજન પહોળા), વજના કમાડથી ઢાંકેલી, બહુ મધ્યભાગમાં પોતપોતામાં બે યોજનના અંતરવાળી અને ત્રણ યોજનાના વિસ્તારવાળી ઉન્મગ્રજલા અને નિમગ્નજલા નામે બે નદીઓ વડે યુક્ત છે. તમિસાની માફક પૂર્વભાગમાં ખંડપ્રપાતા ગુફા જાણવી. 'ત્તિ તે બેમાં–તમિસા ગુફામાં કૃતમાલ્યક અને ખંડપ્રપાતા ગુફામાં નૃતમાલક નામના બે દેવ વસે છે. 'રાવણ' રૂત્યાદ્રિ ઐરાવત ક્ષેત્રમાં પણ ભરતક્ષેત્રની માફક જાણવું (૩), 'નવૂ રૂલ્યા૦િ (ચલ) હિમવાન વર્ષધર પર્વતમાં અગ્યાર કૂટશિખરો છે. તેના નામ આ પ્રમાણે છે–૧ સિદ્ધાયતન, ૨ ક્ષુલ્લહિમવતું, ૩ ભરત, ૪ ઇલા, ૫ ગંગા, ૬ શ્રી, ૭ રોહિતાશા, ૮ સિંધુ, ૯ સુરા, ૧૦ હૈમવત અને ૧૧ વૈશ્રમણ છે. પૂર્વદિશામાં સિદ્ધાયતનકૂટ છે, તે પછી ક્રમશઃ પશ્ચિમથી બીજા કૂટો સર્વ રત્નમય, અને કૂટના નામવાળા દેવતાના સ્થાનો છે. તે પાંચસો યોજન ઊંચા, મૂળમાં તેટલા જ પહોળા અને ઊપર તેના અર્ધા વિસ્તારવાળા છે. પહેલા કૂટમાં સિદ્ધાયંતન છે. તે સિદ્ધાયતન પચાસ યોજનાનું લાંબું, પચીશ યોજન પહોળું અને છત્રીશ યોજન ઊંચું છે. વળી આઠ યોજનાના લાંબા અને પ્રવેશમાં ચાર યોજનના પહોળા ત્રણ ધારો વડે યુક્ત, તેમ જ એક સો આઠ જિનપ્રતિમા સહિત છે. શેષ દશ ફૂટોમાં સાડીબાસઠ યોજનના ઊંચા, સવાએકત્રીશ યોજનના પહોળા તેમજ તેમાં નિવાસ કરનાર દેવતાઓના સિંહાસનવાળા પ્રાસાદો છે. અહિં પ્રસ્તુત પર્વતના અધિપતિનો નિવાસ હોવાથી અને દેવોના નિવાસભૂત કૂટોમાં પહેલો હોવાથી હિમવત્ કૂટનું ગ્રહણ કર્યું, અને સર્વ કૂટોમાં છેલ્લું હોવાથી વૈશ્રમણ કૂટનું ગ્રહણ કર્યું છે, કારણ કે અત્યારે ક્રિસ્થાનકનો અધિકાર ચાલે છે. વળી કહ્યું – ત્ય રેસહિ, 3 Mવિવિઝાડું) ૩ઠ્ઠમ મyTI JYywો નિકp $ )૬૨) વૃદક્ષેત્ર ૨૮૮ત્તિ)
કોઈ સ્થળે (સૂત્રમાં) વસ્તુના એક દેશનું ગ્રહણ અને કોઈ સ્થળે સમસ્ત વસ્તુનું ગ્રહણ કરાય છે, અને કેટલાએક સૂત્રો) કારણવશાત્ ઉત્ક્રમ (ક્રમ વગર) અને ક્રમપૂર્વક હોય છે, માટે સૂત્રની વિચિત્ર ગતિ-પદ્ધતિ છે. (૬૩)
ફૂટના સંગ્રહની ગાથાઓ નીચે પ્રમાણે છે– वेयड ९ मालवंते ९, विज्जुप्पह ९ निसह ९ णीलवंते य ९ ।
___णव णव कूडा भणिया, एकारस सिहरि ११ हिमवंते ११ ।।६४।। [बृहत्क्षेत्र० १३२] रुप्पि ८ महाहिमवंते ८, सोमणसे ७, गंधमायणनगे [गंधमायणे चेय] य ७ । अट्ठऽट्ठ सत्त सत्त य, वक्खारगिरीसु चत्तारि ।।१५।। [बृहत्क्षेत्र० १३३]
- 111