SearchBrowseAboutContactDonate
Page Preview
Page 399
Loading...
Download File
Download File
Page Text
________________ श्री प्रज्ञापना सूत्र भाग २ छत्तीसइमं समुग्घायपयं सिद्धसरूव परूवणं નિરંપમાળો સો મણસો સદ્ગનિરોદ્ર રે સંન્ગસમદૃાારાજઘન્યયયોગવાળા પર્યાપ્ત માત્ર સંજ્ઞીના જેટલા મનોદ્રવ્યો હોય છે અને જેટલો તેનો વ્યાપાર હોય છે તેથી અસંખ્યાતગુણ હીન સમયે સમયે રોકતો અસંખ્યાતા સમયમાં મનનો સર્વથા રોધ કરે છે. એજ બાબત સત્રકાર કહે છ–“સે મસ્તે'! ઇત્યાદિ. પ્રસ્તુત કેવલી યોગનો નિરોધ કરવાને ઇચ્છતો પહેલા જઘન્યયોગવાળા સંજ્ઞી પર્યાપ્તાના (“મનોયોગનો” અહીં અધ્યાહાર છે) એટલે તેના મનોયોગની નીચે અસંખ્યાતગુણ હીન સમયે સમયે રોકતો અસંખ્યાતા સમયમાં સર્વથા પ્રથમ મનોયોગનો રોધ કરે છે. ‘તતોડનંતરર ' ત્યાર બાદ મનોયોગને રોક્યા પછી જઘન્યયોગવાળા બેઈન્દ્રિય પર્યાપ્તાના વચનયોગની નીચેના (અહીંવચનયોગ પદ અર્થાત્ જાણી લેવું)વચનયોગને અસંખ્યાતગુણહીન સમયે સમયે રોકતો સર્વથા બીજા વચનયોગનો રોધ કરે છે. એ સંબન્ધ ભાષ્યકાર કહે છે–“પન્નત્તમિત્તબિંદિયાદનવરૂપન્નવા. ૩ તનિશુવિહી સમયે સમયે નિમંતોniા સબવફનો રોટું સંવાર્દિ ન સમર્દિ' પર્યાપ્ત માત્ર બેઇન્દ્રિયના જઘન્ય વચનયોગના જે પર્યાયો છે તેથી અસંખ્યાતગુણહીન વચનયોગને સમયે સમયે રોકતો અસંખ્યાતા સમયે સર્વ વચનયોગનો વિરોધ કરે છે. 'તત્તોડગંતાં ' ઇત્યાદિ. તે વચનયોગ પછી તુરત ઈત્યાદિ પૂર્વવત્ સમજવું. પ્રથમ સમયમાં ઉત્પન્ન થયેલા અપર્યાપ્ત સૂક્ષ્મ પનક જીવનો એટલે જઘન્યયોગવાળા સૌથી અલ્પ વીર્યવાળા સૂક્ષ્મ પનક જીવનો જે કાયયોગ છે તેની નીચે અસંખ્યાતગુણહીન કાયયોગને સમયે સમયે રોકતો અસંખ્યાતા સમયે (“સમસ્ત એ પદનો અધ્યાહાર છે.')સમસ્તપણે ત્રીજા કાયયોગનો વિરોધ કરે છે. તે કાયયોગનો નિરોધ કરતો સૂક્ષ્મક્રિય અપ્રતિપાતી શુક્લધ્યાનને પ્રાપ્ત થાય છે. તે ધ્યાનના સામર્થ્યથી ભુખ અને ઉદરાદિના ખાલી ભાગને પૂરવા વડે શરીરના ત્રીજા ભાગના આત્મપ્રદેશો સંકુચિત થાય છે એટલે શરીરના બે તૃતીયાંશ ભાગમાં આત્મપ્રદેશો ઘનરૂપે થાય છે. જેમ કે સાત હસ્તપ્રમાણ શરીર હોય તો તેનો ત્રીજો ભાગ બે હાથ અને આઠ અંગુલ સંકુચિત થાય છે અને ચાર હાથ અને સોળ આંગળ પ્રમાણ આત્મપ્રદેશો ઘનરૂપે થાય છે.) તે પ્રમાણે ભાષ્યકાર કહે છે– "तत्तो य सुहमपणगस्स पढमसमयोववण्णस्स। जो किर जहन्नजोगो तदसंखेज्जगणमेक्केक्के ॥१॥ समएहिं रुंभमाणो ‘તિમા મુવંતો સંપફ સાયનો સંહારં વેવ મદિં ારા તે વાર પછી પ્રથમ સમયમાં ઉત્પન્ન થયેલા સૂક્ષ્મ પનકનો જે જઘન્ય કાયયોગ છે તેથી અસંખ્યાતગુણહીન કાયયોગને એક એક સમયે રોકતો અને શરીરના ત્રીજા ભાગનો ત્યાગ કરતો અસંખ્યાતા સમયમાં કાયયોગનો નિરોધ કરે છે. કાયયોગનાનિરોધ કાળે છેલ્લા અન્તર્મુહૂર્તવેદનીયાદિત્રણ કર્મમાં પ્રત્યેક કર્મની સ્થિતિ સર્વ અપવર્તનો કરણ વડે ઘટાડી ગુણશ્રેણિના ક્રમવડે કર્મપ્રદેશોની રચનાવાળી અયોગી અવસ્થાના કાલ પ્રમાણ કરે છે, તે આ પ્રમાણે–પ્રથમ સ્થિતિમાં થોડા પ્રદેશો હોય છે. બીજી સ્થિતિમાં તેથી અસંખ્યાતગુણા પ્રદેશો હોય છે. ત્રીજી સ્થિતિમાં તેથી અસંખ્યાતણા પ્રદેશો હોય છે. એ પ્રમાણે ચરમ સ્થિતિ સુધી જાણવું. તેની આ સ્થાપના છેવેદનીય નામ ગોત્ર એ પ્રથમ સમયે ગ્રહણ કરેલા દલિકની બનેલી ગુણશ્રેણિઓ છે. એમ પ્રતિસમય ગ્રહણ કરેલા દલિકની બનેલી ત્રણ કર્મમાં પ્રત્યેકની અસંખ્યાતી ગુણશ્રેણિઓ જાણવી, કારણ કે અન્તર્મુહૂર્તના સમયે અસંખ્યાતા છે. આયુષ્યની સ્થિતિ જે પ્રકારે બાંધી છે તેવીજ રહે છે. અને તેની ગુણશ્રેણિના ક્રમથી વિપરિત ક્રમવાળી દલિકની રચના જાણવી. સ્થાપના - આ બધોય મનોયોગાદિનો નિરોધ મજબુદ્ધિવાળાને સુખપૂર્વક બોધ થવા માટે આચાર્યે સ્થૂલંદષ્ટિથી વર્ણવ્યો છે. જો સૂકમ દૃષ્ટિથી તેનું સ્વરૂપ જાણવાની જિજ્ઞાસા થાય તો પંચસંગ્રહની ટીકા જોવી. તેમાં અત્યંત સૂક્ષ્મપર્ણવિસ્તારથી તેનું સ્વરૂપવર્ણવ્યું છે. અહીં ગ્રન્થ વધી જવાના ભયથી અમે કહ્યું નથી. તે 'ઇત્યાદિ. તે પ્રસ્તુત કેવલજ્ઞાની આ હમણાં કહેલા ઉપાય-ઉપાયના પ્રકાર વડેઇત્યાદિ બધું સુગમ છે, યાવત્ “અયોગતા–અયોગિપણાને પ્રાપ્ત કરે છે એટલે અયોગીપણાની પ્રાપ્તિને સન્મુખ થાય છે એ 390
SR No.005762
Book TitlePragnapana Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri, Jayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages404
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_pragyapana
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy