SearchBrowseAboutContactDonate
Page Preview
Page 393
Loading...
Download File
Download File
Page Text
________________ श्री प्रज्ञापना सूत्र भाग २ छत्तीसइमं समुग्घायपयं केवलिसमुग्घायवत्तव्वया સંસ્કાર-એ નવ આત્માના ગુણોનો અત્યંત ઉચ્છેદ થવો એ મોલ–એમ માને છે તેના મતનો નિરાસ કર્યો છે એમ સમજવું. કારણ કે જ્ઞાન એ આત્માનો નિરુપચરિત-વાસ્તવિક સ્વભાવ છે અને તેથી તેનો વિનાશ થતો નથી. અન્યથા આત્માનો અભાવ થાય. આત્માનો નિરન્વય-સર્વથા નાશ થતો નથી. કારણ કે સતનો સર્વથા વિનાશ ઘટતો નથી. “નાસતો વિદતે માવો નાખવો વિતે સતિ: અસ વસ્તુની ઉત્પત્તિ થતી નથી અને સદ્ વસ્તુનો નાશ થતો નથી. એ ન્યાય છે. “જિનો'—જેણે રાગાદિશત્રુઓને જિત્યા છે એવા, આ કથન વડે ગોશાલકના મતનો નિરાસ કર્યો.કારણ કે તેના મતે મુક્તિપદને પ્રાપ્ત થયેલ હોવા છતાં પણ તેને વાસ્તવિક રીતે વીતરાગ માનતા નથી, કેમકે મુક્તિપદને પ્રાપ્ત થયા હોવા છતાં પણ તીર્થનો તિરસ્કાર થતો જોઇને અહીં આવે છે–એવું તેમનું કથન છે. પણ વીતરાગનું પરાભવની વૃદ્ધિથી અહીં આવવું અસંભવિત છે. પુનઃ કેવા છે?તે કહે છે–“નરામરવિપ્રમુક્તા:' જરા અને મરણથી રહિત છે. જરા અને મરણનું ગ્રહણ અન્યનું ઉપલક્ષણ-સૂચક છે, તેથી સમસ્ત રોગ અને શોકાદિ સાંસારિક ક્લેશથી મુકાયેલા જાણવા. એ વડે એકાન્તથી મોક્ષસુખનું ઉપાદેયપણું કહે છે. કારણ કે અન્યને એવા પ્રકારના સ્વરૂપવાળા સ્થાનનો અસંભવ છે. સંસારમાં શ્રેષ્ઠ સુખને પ્રાપ્ત થયેલું હોય તો પણ એવા પ્રકારનું સ્થાન નથી. કારણ કે સર્વ વસ્તુનું પણ છેવટે મરણવિનાશ છે. સિદ્ધિ-સર્વકર્મના ક્ષય વડે આત્માનું સ્વરૂપમાં અવસ્થાન, એવી વર-સર્વગતિમાં ઉત્તમ તે વરગતિરૂપ સિદ્ધિને પ્રાપ્ત થયેલા છે. હવે સર્વ કેવલી સમુદ્યતને પ્રાપ્ત થતા પ્રથમ આવર્જીકરણ કરે છે. તે પ્રમાણે કેવલિસમુઘાતની પ્રક્રિયા કહેવાની ઇચ્છાવાળા ભાષ્યકાર સમુદ્યાત શબ્દના વ્યાખ્યાનપૂર્વક કહે છે–“તથા ૩બંસાદિયHસમુધાય સમુષારો તે સુમળા પુત્ર ૩ નીવરમાં વેફ" તેમાં આયુષ્યના અંશથી અધિક કર્મનો ઘાત કરવો તે સમુદ્દઘાત, તેને પ્રાપ્ત થવાની ઇચ્છાવાળા કેવલી પૂર્વે આવાજીકરણ કરે છે. આવર્જીકરણનો શો શબ્દાર્થ છે? આવર્જન કરવું–આત્માને મોક્ષના અભિમુખ કરવો, મોક્ષ પ્રતિ જોડવો એ તાત્પર્ય છે. અથવા બાવર્ચત મને'જેવડેમોક્ષ અભિમુખ કરાયતે આવર્જ-શુભ, મન, વચન અને કાયાનો વ્યાપાર વિશેષ. કહ્યું છે કે “સાવઝનમુવો વાવા વા" આવર્જન-ઉપયોગ અથવા વ્યાપાર. તેથી બન્ને સ્થળે પણ પૂર્વેન હોય તેનું કરવું એ વિવક્ષોમાં “4િ'પ્રત્યય થવાથી આવકરણ કહેવાય છે. બીજા આચાર્યો આવર્જિતકરણ એવો શબ્દ કહે છે, તેનો આ શબ્દાર્થ છેઆવર્જિત-અભિમુખ-સન્મુખ કરાયેલો. લોકમાં એમ બોલે છે કે 'સાવર્તિતોષ્ય મયા'તેને સન્મુખ કરેલો છે. તથાભવ્યત્વ વડે આવર્જિત-મોક્ષ સન્મુખે કરાયેલા આત્માનું કરણ-શુભયોગનો વ્યાપાર તે આવર્જિતકરણ. બીજા આચાર્યો ‘માન્નિયારા' એવો પાઠ કહે છે. તેનો શબ્દસંસ્કાર આ પ્રમાણે કરે છે—'સાયનિજાર' અહીં અન્વયાર્થ આ છે–આજ્ઞામર્યાદા અર્થમાં છે ‘કેવલિની દષ્ટિવડે યોજન-શુભ યોગોનો વ્યાપાર અહીં ભાવમાં ‘મા' પ્રત્યય થવાથી આયોજિકાકરણ થાય છે. અન્ય આચાર્યો ‘કાસયારા' કહે છે. તેનો પણ આ અન્વર્થ-વ્યુત્પત્તિ-નો અર્થ થાય છે–આવશ્યક-અવશ્યપણે કરવું તે આવશ્યકકરણ. જેમકે કેટલાએક કેવલી સમુઘાત કરે અને કેટલા ન કરે, પરન્તુ આ આવશ્યકકરણ તો બધા ય કેવલી કરે છે. l/ર૬ll૭૧૭. कतिसमइए णं भंते! आउज्जीकरणे पन्नत्ते? गोयमा! असंखेज्जसमइए अंतोमुहुत्तिए आउज्जीकरणे पण्णत्ते। कतिसमइए णं भंते! केवलिसमुग्घाए पन्नत्ते? गोयमा! अट्ठसमइते पन्नत्ते, तंजहा–पढमे समए दंडं करेति, बीइए समए कवाडं करेति, ततिए समए मंथकरेति, चउत्थेसमए लोगं पूरेइ, पंचमे समए लोयं पडिसाहरति, छट्टे समए मंथं पडिसाहरति, सत्तमे समए कवाडं पडिसाहरति, अट्ठमे समए दंडं पडिसाहरति, दंडं पडिसाहरित्ता तओ पच्छा सरीरत्थे भवति ।।सू०-२७।।७१८॥ (મૂળ) હે ભગવન્!કેટલા સમયનું આયોજીકરણ કહ્યું છે? હે ગૌતમ! અસંખ્યાતા સમયના અન્તર્મુહુર્ત પ્રમાણ આયોજીકરણ કહ્યું છે. હે ભગવન્! કેવલી સમુદ્યાત કેટલા સમયનો છે? હે ગૌતમ!આઠ સમય પ્રમાણ કહ્યો. તે આ પ્રમાણે—પ્રથમ સમયે 384.
SR No.005762
Book TitlePragnapana Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri, Jayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages404
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_pragyapana
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy