SearchBrowseAboutContactDonate
Page Preview
Page 382
Loading...
Download File
Download File
Page Text
________________ छत्तीसइमं समुग्घायपयं मारणांतियसमुग्घायसमोहयजीवाईणं ओगाहफासाइ परूवणं श्री प्रज्ञापना सूत्र भाग २ એ પ્રમાણે ઉપર કહેલા પ્રકાર વડે જેમ પૂર્વે સામાન્યપણે જીવોનો વેદનાસમુદ્ધાતને આશ્રયી વિચાર કર્યો તેમ નૈરયિકનો પણ કરવો. પરન્તુ જીવના પાઠને સ્થાને નૈરયિકનો પાઠ ઉચ્ચારવો. જેમકે “હે ભગવન્! વેદનાસમુદ્દઘાત વડે સમુઘાતને પ્રાપ્ત થયેલો નરયિક સમુઠ્ઠાત કરીને જે પુદ્ગલોને બહાર કાઢે છે, આત્માથી જુદા કરે છે–ઇત્યાદિ.બધું એ પ્રમાણે વૈમાનિક સુધી કહેવું. એટલે નિરયિકને કહેલા પ્રકાર વડે બાકીના પણ સ્થાનોમાં પોતપોતાના દંડકના પાઠપૂર્વક બધું વૈમાનિકો સુધી એટલે વૈમાનિકના પાઠ સુધી કહેવું. એમ વેદનાસમુદ્દાત કહ્યો. હવે સમાન વક્તવ્યતા હોવાથી કષાયસમુદ્યતને અતિદેશ-સમાનપણે કહેવાની ઇચ્છાવાળા સૂત્રકાર કહે છે_*વં સાયમનુષાનો વિ માળિયળ્યો' એમ કષાયસમુદ્રઘાત પણ કહેવો. એટલે વેદનાસમુઘાત સંબન્ધ પ્રકાર વડે સામાન્યપણે જીવપદમાં અને ચોવીશ દંડકના અનુક્રમથી કષાયસમુદ્દઘાત પણ કહેવો. તે આ પ્રમાણ—હે ભગવ? કષાયસમુધાતને પ્રાપ્ત થયેલો જીવ કષાયસમુદ્દઘાત કરીને જે પુદ્ગલો બહાર કાઢે છે” એટલે શરીરમાં રહેલા જે પુદ્ગલો કષાયસમુદ્દઘાત વડે ઉત્પન્ન થયેલ પ્રયત્ન વિશેષથી પોતાના શરીરથી બહાર આત્મપ્રદેશોથી પણ જુદા કરે છે, “હે ભગવન્!તે પુદ્ગલો વડે કેટલું ક્ષેત્ર આપૂર્ણ-વ્યાપ્ત હોય અને કેટલું ક્ષેત્ર સ્પર્શેલું હોય?હેગૌતમ! અવશ્ય છ દિશામાં વિસ્તાર અને જાડાઇ વડે શરીરપ્રમાણ ક્ષેત્ર છે, એટલું વ્યાપ્ત હોય, એટલું ક્ષેત્ર સ્પર્શેલું હોય. પ્રથમ કષાયસમુદ્યાત ત્રસજીવોને થાય છે. કારણ કે તેઓને જ અત્યંત તીવ્ર અધ્યવસાયનો સંભવ છે. એકેન્દ્રિયોને તો પૂર્વ ભવના સંબન્ધથી કષાયસમુદ્યાત હોય છે. ત્રસ જીવો ત્રસનાડીમાં હોય છે પણ તેની બહાર હોતા નથી, અને ત્રસનાડીમાં રહેલા પોતાના શરીર પ્રમાણ જેનો વિસ્તાર અને જાડાઇ છે એવા ક્ષેત્રને આત્માથી જુદા પડેલા પુદ્ગલો વડે લોકાન્ત નિષ્ફટ રહિત હોવાથી છ એ દિશામાં વ્યાપ્ત કરે છે, સ્પર્શે છે તે અવશ્ય ઘટે છે. માટે નિયમ છણિ' અવશ્ય છ દિશામાં એમ કહ્યું છે. ‘તેટલું ક્ષેત્ર આપૂર્ણ–વ્યાપ્ત થયેલું એટલું ક્ષેત્ર સ્પર્શેલું છે.' ઇત્યાદિ બધું સમાન છે. હવે મરણસમુદ્યાત સંબન્ધ કહેવાની ઇચ્છાવાળા સૂત્રકાર કહે છ– નીવે અંતે! મારતિય સમુધા' ઇત્યાદિ પૂર્વવત્ જાણવું, મારણાન્તિક સમુદ્દઘાતને પ્રાપ્ત થયેલો કોઇ જીવ મારણાન્તિક સમુદુઘાત કરી તૈજસાદિશરીરના અન્તર્ગત જે પુદ્ગલોને નિડ્ડમડ્ડ-બહાર કાઢે છે, આત્મપ્રદેશોથી જુદા કરે છે, તે પુદ્ગલો વડે હે ભગવન્!કેટલું ક્ષેત્રવ્યાપ્ત હોય?ભગવાનું કહે છે-હે ગૌતમ! વિસ્તાર અને જાડાઇમાં પોતાના શરીર પ્રમાણ તથા લંબાઇમાં જઘન્યથી પોતાના શરીર કરતાં અધિક અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ ક્ષેત્ર હોય, જ્યારે તેટલા માત્ર ક્ષેત્રમાં ઉત્પન્ન થાય ત્યારે જાણવું અને ઉત્કૃષ્ટથી અસંખ્યાતા યોજના પ્રમાણ સમજવું. એ જ્યારે તેટલા ક્ષેત્રમાં ઉત્પન્ન થાય ત્યારે અથવા બીજી રીતે જાણી લેવું. તે એક દિશામાં હોય પણ વિદિશામાં ન હોય, કારણ કે સ્વભાવથી જીવ પ્રદેશના ગમનનો દિશામાં સંભવ છે. એટલું ક્ષેત્ર વ્યાપ્ત થાય છે, એટલું ક્ષેત્ર સ્પર્શેલું હોય છે. કારણ કે જઘન્યથી અને ઉત્કૃષ્ટથી આત્મપ્રદેશો વડે એટલા ક્ષેત્રનું વ્યાપ્ત થવું સંભવે છે. હવે વિગ્રહગતિને આશ્રયી વ્યાપ્ત થવાના અને સ્પર્શના કાળનું પ્રમાણ કહે છે–રે ને અંતે'! ઇત્યાદિ. હે ભગવન્! તે ક્ષેત્ર કેટલા કાળે વ્યાપ્ત થાય? ઇત્યાદિ. ઉત્કૃષ્ટથી લંબાઇમાં હમણાં જેનું કહ્યું છે એવું તે ક્ષેત્ર વિગ્રહગતિને આશ્રયી વાસ' અહીં તૃતીયાના અર્થમાં ષષ્ઠી વિભક્તિ હોવાથી કેટલા કાળે વ્યાપ્ત થાય અને કેટલા કાળે સ્પર્શેલું હોય? તાત્પર્ય એ છે કે વિગ્રહગતિને આશ્રયી કેટલા કાળે ઉત્કૃષ્ટથી લંબાઇમાં અસંખ્યાતા યોજન પ્રમાણ ક્ષેત્ર પુદ્ગલો વડે વ્યાપ્ત થાય અને સ્પર્શેલુ હોય? ભગવાન કહે છે– ગૌતમ! એક સમય, બે સમય,ત્રણ સમય અને ચાર સમયની વિગ્રહગતિવડે વ્યાપ્ત થાય અને સ્પર્શેલું હોય.અહીં પાંચ સમયની પણ વિગ્રહગતિ સંભવે છે પરન્તુ તે કદાચિત્ જ હોય છે માટે તેની વિવક્ષા કરી નથી. અહીં આ ભાવાર્થ છે-ઉત્કૃષ્ટપદેલંબાઇમાં અસંખ્યાતાયોજન પ્રમાણ ક્ષેત્ર વિગ્રહગતિને આશ્રયી ઉત્કૃષ્ટચાર સમય વડે વ્યાપ્ત થાય અથવા સ્પર્શેલું હોય છે. (પ્રવે) ચાર સમયની કે પાંચ સમયની વિગ્રહગતિ કેમ સંભવે? (૧૦)-ત્રસનાડીથી બહાર નીચેના ભાગથી ઉપરના ભાગમાં અથવા ઉપરના ભાગથી નીચેના ભાગમાં ઉત્પન્ન થતો જીવ વિદિશાથી દિશામાં કે દિશાથી વિદિશામાં ઉત્પન્ન થાય ત્યારે એક સમયે ત્રસનાડીમાં પ્રવેશ કરે, બીજા સમયે ઉપર અથવા નીચે - 373
SR No.005762
Book TitlePragnapana Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri, Jayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages404
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_pragyapana
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy