SearchBrowseAboutContactDonate
Page Preview
Page 367
Loading...
Download File
Download File
Page Text
________________ श्री प्रज्ञापना सूत्र भाग २ - छत्तीसइमं समुग्घायपयं समुग्घायसमोहयासमोहयाणं जीवाईणमप्पाबडंय (ટી) હવે એ જ અલ્પબદુત્વનો નૈરયિકાદિ જીવ વિશેષમાં ચોવીશ દણ્ડકના ક્રમથી યથાસમ્ભવ વિચાર કરવાની ઇચ્છાવાળા સૂત્રકાર કહે છે–નેરા ' ઇત્યાદિ પ્રશ્નસૂત્ર છે. ભગવાન્ ઉત્તર આપે છે સૌથી થોડા નૈરયિકો મારણાન્તિક સમદુઘાતવાળા છે. કારણ કે મારણાન્તિક સંમુદ્દઘાત મરણકાળ હોય છે અને મરણ બાકીના જીવતા નારકોની અપેક્ષાએ ઘણા થોડાઓનું હોય છે. વળી બધા મરણ પામતા જીવોને સામાન્યપણે મરણસમદુઘાત હોતો નથી, પણ કેટલાએકને હોય છે. કેમકે “સમોઢયા વિ મતિ, મસમોહયા વિ શાંતિ'સમુદ્યાતવાળા પણ કરે છે અને સમુદ્યાત વિનાના પણ મરે છે-એવું શાસ્ત્રવચન છે. એ કારણથી સૌથી થોડા મારણાન્તિક સમુદ્યાતવાળા છે. તેથી પણ વૈક્રિય સમુદ્યાતવાળા અસંખ્યાતગુણા છે. કારણ કે સાતે નરક પૃથિવીમાં પરસ્પર દુઃખ ઉત્પન્ન કરવાને માટે ઘણા નારકોને નિરંતર ઉત્તર વક્રિયના પ્રારંભનો સમ્ભવ છે. તેઓથી પણ કષાયસમુદ્યાતવાળા સંખ્યાતગુણા છે. કારણ કે જેઓએ ઉત્તર વૈક્રિય કર્યું છે અને જેઓએ ઉત્તર વૈક્રિય કર્યું નથી એવા, અને સર્વ સંખ્યા વડે ઉત્તર વૈક્રિયના આરંભ કરનારા કરતાં સંખ્યાતગુણા કષાય સમુદ્યાતવાળા છે. તેઓથી પણ વેદના સમુદ્યાતવાળા સંખ્યાતગુણા છે. કારણ કે ક્ષેત્રજન્ય પરમધાર્મિકોએ કરેલી અને પરસ્પર ઉત્પન્ન કરેલી વેદનાઓ વડે પ્રાયઃ ઘણા હમેશાં વેદના સમુદ્ધાતને પ્રાપ્ત થયેલા હોય છે. તેઓથી પણ કોઇપણ એક સમુદ્યાતવડે રહિત જીવો સંખ્યાતગુણા છે. કારણ કે વેદના સમુદ્યાત સિવાય પણ સામાન્યપણે વેદનાનો અનુભવ કરતા ઘણા વધારે નારકો સમ્ભવે છે. હવે અસુરકુમારોનું અલ્પબદુત્વ કહે છે_*પતિ ' ઇત્યાદિ. પ્રશ્નસૂત્ર સુગમ છે. ભગવાન કહે છ– ગૌતમ! સૌથી થોડા અસુરકુમારો તૈજસ સમુદ્દઘાતવાળા છે. કારણ કે તૈજસ સમુદ્ધાત ઘણો કોપાવેશ હોય ત્યારે ક્વચિત્ કોઈકવાર કોઇકને થાય છે. તેથી તેજસ સમદુધાતવાળા સૌથી થોડા હોય છે. તેથી મારણાન્તિક સમદુધાતવાળા અસંખ્યાતગણી હોય છે. તેથી વેદના સમુદ્યાતવાળા અસંખ્યાતગુણા હોય છે. કારણ કે પરસ્પર યુદ્ધાદિ કરવામાં ઘણા વેદના સમુદ્દઘાતવાળા પ્રાપ્ત થાય છે. તેથી પણ કષાય સમુદ્રઘાતવાળા સંખ્યાતગુણા છે. કારણ કે ગમે તે કારણથી ઘણાઓને કષાય સમુદ્ધાતની પ્રાપ્તિનો સંભવ છે. તેઓથી પણ વૈક્રિયસમુદ્દઘાતવાળા સંખ્યાતગુણા છે, કારણ કે પરિચારણા-સંભોગાદિ અનેકનિમિત્તે અતિશય ઘણા અસુરકુમારોને ઉત્તરવૈક્રિય શરીરના આરંભનો સમ્ભવ છે. તેઓથી પણ સમુદ્યાતરહિત અસંખ્યાતગુણા છે. કારણ કે ઘણા ઉત્તમ જાતિવાળા અને સુખસાગરમાં લીન થયેલા દેવો પૂર્વના કરતાં અસંખ્યાતગુણા કોઈપણ સમુદ્યાતવડે રહિત હમેશાં હોય છે. જેમ અસુરકુમારોનું અલ્પબદુત્વ કહ્યું એ પ્રમાણે બધા ભવનપતિઓનું યાવત્ સ્વનિતકુમારો સુધી જાણવું. . • હવે પૃથિવીકાયિક સંબધે અલ્પબદુત્વ કહે છ–“ઈસ ' ઇત્યાદિ. અહીં કષાય સમુઘાતવાળા અને વેદના સમુદ્યાતવાળા સંખ્યાતગુણા અને સમુદ્ધાતરહિત અસંખ્યાતગુણા સંબધે સુગમ હોવાથી સ્વયં વિચાર કરી લેવો. “પર્વ' 'ઇત્યાદિ. એ પ્રમાણે–પૃથિવીકાયિકના પ્રકાર વડે યાવત્ વનસ્પતિકાયિક સુધી અલ્પબદુત્વ કહેવું. વાયુકાયિકો સંબધે વિશેષ કહેવાની ઇચ્છાવાળા સૂત્રકાર કહે છે–“નવર' ઇત્યાદિ. પરન્તવાયુકાયિકોના અલ્પબદુત્વના વિચારમાં એમ કહેવું-સૌથી થોડા વાયુકાયિકો વૈક્રિય સમુદ્યાતવાળા છે. કારણ કે બાદરપર્યાપ્તાના સંખ્યાતમા ભાગ માત્રને વૈક્રિય લબ્ધિનો સંભવ છે. તેઓથી પણ મારણાનિક સમુદ્યાતવાળા અસંખ્યાતગુણા છે. કારણ કે પર્યાપ્તા, અપર્યાપ્તા સૂક્ષ્મ અને બાદર ભેટવાળા બધાય વાયુકાયિકોને મરણ સમુઘાતનો સંભવ છે, તેઓથી પણ કષાય સમુદ્યાતવાળા સંખ્યાતગુણો છે. તેથી પણ વેદના સમુદ્યાતવાળા વિશેષાધિક છે. તેથી સમુદ્યાતરહિત અસંખ્યાતગુણા છે. કારણ કે સર્વ સમુદ્યાતને પ્રાપ્ત થયેલા વાયુકાયિકની અપેક્ષાએ સ્વભાવસ્થિત વાયુકાયિકો સ્વભાવથી જ અસંખ્યાતગુણા છે. બેઈન્દ્રિયસૂત્રમાં સૌથી થોડા બેઈન્દ્રિયો મારણાન્તિક સમુદ્યાતવાળા છે. કારણ કે પ્રશ્ન સમયે અમુકજ બેઇન્દ્રિયોના મરણનો સંભવ છે. તેથી વેદના સમુદ્યાતવાળા અસંખ્યાતગુણા છે. કારણ કે ટાઢ, તડકા વગેરેના સંબન્ધથી ઘણા મોટા ભાગને વેદના સમુદ્ધાતનો સંભવ છે. તેથી કષાય સમુદ્યાતવાળા અસંખ્યાતગુણા છે. કારણ - કે તેથી અતિશય ઘણા બેઇન્દ્રિયોને લોભાદિ કષાય સમુદ્દઘાતનો સદ્ભાવ છે. તેઓથી પણ સમુઘાતરહિત સંખ્યાતગુણા છે. ‘પર્વ' એ પ્રમાણે બેઇન્દ્રિય સંબધે પ્રકાર વડે યાવત્ ચઉરિન્દ્રિયો સુધી કહેવું. તિર્યંચ પંચેન્દ્રિય સૂત્રમાં સૌથી થોડા તેજસ * 358
SR No.005762
Book TitlePragnapana Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri, Jayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages404
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_pragyapana
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy