SearchBrowseAboutContactDonate
Page Preview
Page 355
Loading...
Download File
Download File
Page Text
________________ श्री प्रज्ञापना सूत्र भाग २ छत्तीसइमं समुग्घायपयं एगत्तेणं अतीताइसमुग्घाय परूवणं થવાના હોય તેને કદાચ અસંખ્યાતા હોય અને કદાચ અનન્તા હોય. એ પ્રમાણે વૈમાનિકપણામાં પણ કદાચિત્ અસંખ્યાતા અને કદાચિત્ અનન્તા હોય છે. અસુરકુમારને નૈરયિકપણામાં અતીત કાળે અનન્તા થયેલા હોય છે. ભવિષ્ય કાળે કોઈને થવાના હોય છે અને કોઈને થવાના ન હોય. જેને થવાના હોય તેને કદાચિત્ સંખ્યાતા હોય, કદાચિત્ અસંખ્યાતા હોય અને કદાચિત્ અનન્તા હોય. અસુરકુમારને અસુરકુમારપણામાં અતીત કાળે અનન્તા થયેલા હોય અને ભવિષ્ય કાળે એકોત્તર–એકથી માંડી અનન્ત સુધી જાણવા. એ પ્રમાણે નાગકુમારપણામાં યાવત્ વૈમાનિકપણામાં જેમ નરયિકને કહ્યું તેમ કહેવું. એમ યાવત્ સ્વનિતકુમારને પણ વૈમાનિકપણામાં કહેવું. પરન્તુ સર્વને સ્વસ્થાનમાં એકોત્તર–એકાદિ અનન્ત પંયત અને પરસ્થાનમાં અસુરકુમારની પેઠે જાણવું. પ્રથિવીકાયિકને નૈરયિકપણામાં યાવતુ સ્વનિતકુમારપણામાં અતીત કાળે અનન્ના થયેલા છે. ભવિષ્ય કાળે કોઈને થવાના હોય છે અને કોઈને હોતા નથી. જેને હોય છે તેને કદાચિત સંખ્યાતા હોય, કદાચિત્ અસંખ્યાતા હોય અને કદાચિત્ અનન્ના થવાના હોય. પૃથિવીકાયિકપણામાં યાવત્ મનુષ્યપણામાં અતીત કાળે અનંતા થયેલા હોય છે અને ભવિષ્યમાં થવાના કોઈને હોય અને કોઈને ન હોય. જેને હોય છે તેને એકોત્તર–એકથી માંડી અનત્તા સુધી જાણવા. વ્યત્તરપણામાં જેમ નરયિકપણામાં કહ્યું છે તેમ કહેવું. જ્યોતિષ્ક અને વૈમાનિકપણામાં અતીતકાળે અનન્ના થયેલા છે. ભવિષ્યમાં થવાના કોઈને હોય અને કોઈને ન હોય. જેને હોય તેને કદાચ અસંખ્યાતા હોય અને કદાચ અનન્તા હોય. એ પ્રમાણે યાવતું મનુષ્ય સંબંધે પણ જાણવું, વ્યત્તર, જ્યોતિષ્ક અને વૈમાનિકો જેમ અસુરકુમારો કહ્યા તેમ કહેવા. પરન્તુ સ્વસ્થાનને આશ્રયી એકોત્તર–એકથી માંડી અનન્ત સુધી જાણવા. યાવત્ વૈમાનિકોને વૈમાનિકપણામાં કહેવું. એ પ્રમાણે એ ચોવીશ ચોવીશગુણા દંડકો થાય છે. //૬/૬૯૭ll (ટી) હવે પ્રત્યેક દંડકના ચોવીશ એવા ચોવીશ દંડકસૂત્રો વડે કષાય સમુદ્દઘાતનો વિચાર કરવાની ઇચ્છાવાળા સૂત્રકાર કહે - ‘પાસ ' ઇત્યાદિ. એક એક નૈરયિકને નૈરયિકપણામાં અતીત કાળે કેટલા કષાયસમુદ્યાતો થયેલા છે? ઇત્યાદિ. તેમાં નરયિકોને નૈરયિકપણા વિષે પ્રશ્નસૂત્ર સુગમ છે. પુરસ્કૃત-ભવિષ્યકાળના વિચારમાં કષાયસમુદ્ધાતો કોઇને થવાના હોય છે અને કોઈને હોતા નથી. તેમાં જેનું શેષ આયુષ્ય ક્ષીણ થયેલું છે એવો પ્રશ્નસમયે ભવનાઅન્ને વર્તતો નૈરયિક કષાયસમુદ્યતને પ્રાપ્ત કર્યા સિવાય જ નરકભવથી નીકળી તુરત પછીના ભવમાં સિદ્ધ થશે કે પરમ્પરાએ બીજા ભવોમાં સિદ્ધ થશે પણ ફરી નરકગામી નહિ થાય તેને નૈરયિકપણામાં ભવિષ્યમાં થવાના કષાયસમુદ્ધાતો હોતા નથી.બાકીનાને હોય છે. જેને હોય છે તેને પણ જઘન્યથી એક, બે કે ત્રણ કષાયસમુદ્ધાતો હોય છે અને તે જેઓનું શેષ આયુષ્ય ક્ષીણ થયેલું છે એવા અને કષાયસમુદ્યાતને પ્રાપ્ત થનારાને જાણવા. ઉત્કૃષ્ટથી સંખ્યાતા, અસંખ્યાતા કે અનન્તા હોય છે. તેમાં જેઓને સંખ્યાતા વરસનું આયુષ્ય બાકી છે તેઓને સંખ્યાત, અસંખ્યાતા વરસનું આયષ જેઓનું બાકી છે તેઓને અસંખ્યાતા સમજવા. અથવા એકવાર જઘન્યસ્થિતિવાળા નરકમાં ઉત્પન્ન થવા વાળાને સંખ્યાતા, વારંવાર જઘન્યસ્થિતિવાળા નરકમાં ઉત્પન્ન થનારને કે એકવાર કે અનેકવાર દીસ્થિતિવાળા નરકમાં ઉત્પન્ન થવાવાળાને અસંખ્યાતા અને અનન્તવાર ઉત્પન્ન થવાવાળાને ભવિષ્યકાળે અનન્તા કષાયસમદુધાતો જાણવા. તથા જે પ્રમાણે નરયિકને નૈરયિકપણામાં કહ્યું તેમ અસુરકુમારપણામાં અતીત સૂત્ર જાણવું. અને તે પ્રમાણે જ પુરસ્કૃત સૂત્રમાં “કોઈને થવાના હોય છે અને કોઈને હોતા નથી જે નરકથી નીકળી અસુરકુમારપણું પ્રાપ્ત કરશે નહિતેને અસુરકુમારપણામાં ભવિષ્યકાળ કષાયસમુદ્યાતો થવાના નથી. જે અસુરકુમારપણું પામશે તેને થવાના છે. તે કષાયસમુદ્ધાતો જઘન્યપદે સંખ્યાતા હોય છે, કારણ કે જઘન્યસ્થિતિમાં પણ અસુરકુમારને સંખ્યાતા કષાયસમુઘાતો થાય છે. કેમકે તેઓ લોભાદિ બહુકષાયવાળા છે. ઉત્કૃષ્ટપદે અસંખ્યાતા કે અનન્તા હોય છે. તેમાં એકવાર દીર્ઘસ્થિતિવાળામાં કે અનેકવાર જઘન્યસ્થિતિવાળામાં ઉત્પન્ન થવાવાળાને અસંખ્યાતા અને અનન્તવાર ઉત્પન્ન થવાવાળાને અનન્તા કષાયસમુદ્ધાતો હોય છે. એ પ્રમાણે નૈરયિકોને નાગકુમારસ્વાદિ સ્થાનોમાં યાવત્ સ્વનિતકુમારપણામાં નિરન્તર કહેવું. તે પ્રમાણે સૂત્રકાર કહે છ– પર્વ નાવ' ઇત્યાદિ. “એ પ્રમાણે નરયિકને થાવત્ સ્વનિતકુમારપણામાં કહેવું. પૃથિવીકાયિકપણામાં અતીતસૂત્ર તેમજ કહેવું. પુરસ્કૃત-ભવિષ્યના વિચારમાં કોઈને હોય છે, 346
SR No.005762
Book TitlePragnapana Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri, Jayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages404
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_pragyapana
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy