________________
श्री प्रज्ञापना सूत्र भाग २
अट्ठावीसइमं आहारपयं बीओ उद्देसो सरीरदारे-पज्जत्तिदारे आहारयाइपरूवणं પદોમાં—બધાય પદોમાં એકવચન અને બહુવચનની અપેક્ષાએ પ્રશ્નવડે અને ઉપલક્ષણથી ઉત્તર વડે એ જીવાદિ દણ્ડકો કહેવા. શું બધે ય સામાન્યપણે કહેવા? નહિ, જેને જે હોય તેને તે પુછવું એટલે તે સંબન્ધે સૂત્ર કહેવું. જેને જે નથી તે તેને ન પુછવું એટલે તે બાબત સૂત્ર ન કહેવું. ક્યાં સુધી એમ કહેવું? એ શટ્ટાના સમાધાનમાં ચરમ દંડકના કથન સુધી કહેવું–એમ સૂત્રકાર કહે છે—‘નાવ માસામળપત્ત્તત્તીર્ અપન્ગTMણું'યાવત્ ભાષામનપર્યાન્નિવડે અપર્યાપ્તા નારક, દેવ અને મનુષ્ય વિષે કહેવું. ઇત્યાદિના અર્થનો પૂર્વે વિચાર કર્યો છે. અહીં પ્રસ્તુત અર્થનો વિચાર કરવા માટે પૂર્વાચાર્યોએ કહેલી આ ગાથાઓ છે—
" सिद्धेगिदियसहिया जहिं तु जीवा अभङ्गयं तत्थ । सिद्धेगिदियवज्जोहिं होइ जीवेहिं तियभङ्गो ॥१॥ असण्णीसु य नेरइदेवमणुए होंति छब्भङ्गा । पुढविदगतरुगणेसु य छब्भङ्गा तेउलेसा ॥२॥ कोहे माणे माया छब्भङ्गा सुरगणेसु सव्वेसुं । माणे माया लोभे णेरइएहिंपि छब्भङ्गा ॥३॥ आभिणिबोहियनाणे सुयनाणे खलु तहेव सम्मत्ते । छब्भङ्गा खलु नियमा बियतियचउरिदिए भवे ||४|| उवरिल्लापज्जत्तीसु चउसु णेरइयदेवमणुएसुं । छब्भङ्गा खलु नियमा वज्जे पढमा उ अपजत्ती ॥५॥ सणी विसुद्धलेसा सञ्चय हिट्ठिल्ल तिसु य नाणेसु । थीपुरिसाण य वेदे वि छब्भङ्ग अवेय तियभङ्गो ||६|| सम्मामिच्छामणवइमणनाणे बालपंडियविउव्वी । आहारसरीरंमि य नियमा आहारया होंति ॥७॥ ओहिंमि विभङ्गमि य नियमा आहारया उ नायव्वा । पञ्चिदिया तिरिच्छा मणुया पुण होंति विब्भंगे ॥८॥ ओरालसरीरंमि य पज्जत्तीणं च पञ्चसु तहेव । तियभङ्गो जियमणुए होंति आहारगा सेसा ||९|| णोभवअभविय त्रेसा अजोगिणो तहय होंति असरीरी । पढमाए अपज्जत्तीऍ ते उ नियमा अणाहारा ||१०|| सन्नासन्नविउत्ता अवेय अकसाइणो य केवलिणो । तियभङ्ग एक्कवयणे सिद्धाऽणाहारया होंति ॥११॥" સિદ્ધ અને એકેન્દ્રિય સહિત જ્યાં જીવો છે ત્યાં બીજો ભાંગો નથી. સિદ્ધ અને એકેન્દ્રિય સિવાયના જીવોમાં ત્રણ ભાંગા . જાણવા. ૧ અસંશી, નારક, દેવ અને મનુષ્યોમાં છ ભાંગા હોય છે. પૃથિવી, અસ્ અને વનસ્પતિસમૂહને વિષે તેજોલેશ્યાની અપેક્ષાએ છ ભાંગા થાય છે. ૨ સર્વ દેવોમાં ક્રોધ, માન અને માયા સંબન્ધુ છ ભાંગા થાય છે. માન, માયા, અને લોભ સંબન્ધે નારકોમાં પણ છ ભાંગા થાય છે. ૩ આભિનિબોધિકજ્ઞાન, શ્રુતજ્ઞાન અને સમ્યક્ત્વના છ ભાંગા અવશ્ય બેઇન્દ્રિય, તેઇન્દ્રિય અને ચરિન્દ્રિયને વિષે થાય છે. ૪ ઉ૫૨ની ચાર અ૫ર્યાપ્તિઓમાં નારક, દેવ અને મનુષ્યોને વિષે છ ભાંગા થાય છે. પ્રથમ (આહા૨) અપર્યાપ્તિ અવશ્ય વર્જવી. ૫ સંશી, વિશુદ્ધ લેશ્યા, સંયત, નીચેના ત્રણ જ્ઞાન, સ્ત્રીવેદ અને પુરુષવેદમાં પણ છ ભાંગા અને વૈદરહિતને ત્રણ ભાંગા થાય છે. ૬ સભ્યગ્મિથ્યાત્વ,મનોયોગ,વચનયોગ, મન:પર્યવજ્ઞાન,બાલપંડિત–દેશવિરતિ, વૈક્રિયલબ્ધિવાળા, અને આહા૨ક શરીરમાં અવશ્ય આહારકો હોય છે. ૭ અવધિજ્ઞાન અને વિભંગજ્ઞાનમાં અવશ્ય આહારક જાણવા. પંચેન્દ્રિય તિર્યંચો અને મનુષ્યો વિભંગજ્ઞાનમાં હોય છે. ૮ ઔદારિકશરીરમાં પાંચે પર્યાપ્તિઓમાં જીવ અને મનુષ્યોને વિષે તેમજ ત્રણ ભાંગા હોય છે અને બાકીના બધા આહારક હોય છે. ૯ નોભવ્યઅભવ્ય, અલેશ્યા—લેશ્યારહિત અયોગી અને અશરીરી તથા પ્રથમ અપર્યાપ્તિમાં વર્તમાન જીવો અનાહારક હોય છે. ૧૦ સંજ્ઞા અને અસંજ્ઞા વિયુક્ત, વેદરહિત, અકષાયી અને કેવલજ્ઞાનીને ત્રણ ભાંગા જાણવા. એકવચન વડે સિદ્ધો અનાહારક હોય છે. ૧૧
આ બધી ગાથાઓ પૂર્વે કહેલા અર્થને જણાવનારી હોવાથી તેના અર્થનો વિચાર કરેલો છે, માટે ગ્રન્થ વધી જવાના ભયથી ફરીથી તેનો વિચા૨ ક૨તા નથી, પરન્તુ ‘વયળે સિદ્ધા અળાહારવા હોંતિ' અહીં ‘દ્ભવયળે' એ સ્થળે તૃતીયાના અર્થમાં સપ્તમી છે એટલે એકવચન વડે બધે સિદ્ધો અનાહારક હોય છે એમ જાણવું. દ્વિતીય ઉદ્દેશક સમાપ્ત. ।।૧૯।।૬૬૦।। શ્રીમદાચાર્યમલયગિરિવિરચિત પ્રજ્ઞાપના સૂત્રની ટીકાના અનુવાદમાં અઠ્યાવીશમું આહારપદ સમાસ.
.288