________________
श्री प्रज्ञापना सूत्र भाग २ अट्ठावीसइमं आहारपयं चउवीसदंडएसु सचित्ताहारदारं-णेरइएसु२-८आहारद्विआइदारसत्तगं અણુપણું અને બાદરપણું આહારને યોગ્ય સ્કન્ધોના થોડા પ્રદેશ અને ઘણા પ્રદેશની અપેક્ષાએ જાણવું. હે ભગવન્!જે અણુ-થોડા પ્રદેશવાળા દ્રવ્યોનો પણ આહાર કરે છે. તે શું ઉર્ધ્વ—ઉપરના પ્રદેશોમાં રહેલા, નીચેના પ્રદેશોમાં રહેલાં કે તીરછા પ્રદેશોમાં રહેલાં દ્રવ્યોનો આહાર કરે છે? ભગવાનું કહે છે-હે ગૌતમ! ઉપરના પ્રદેશમાં રહેલા, નીચેના પ્રદેશોમાં રહેલાં અને તીરછા રહેલાં દ્રવ્યોનો પણ આહાર કરે છે. અહીં ઉર્ધ્વપણું અધીપણું અને તીરછાપણું જેટલા ક્ષેત્રમાં નૈરયિક રહેલો હોય તેટલા ક્ષેત્રમાં તે ક્ષેત્રની અપેક્ષાએ જાણવું.
હે ભગવન! જે ઉર્ધ્વ પ્રદેશાવગાઢ અધ: પ્રદેશાવગાઢ કે તીરછા પ્રદેશાવગાઢ દ્રવ્યોનો આહાર કરે છે તે શું આદિમાં આહાર કરે છે મધ્યમાં આહાર કરે છે કે અન્તમાં આહાર કરે છે? પ્રશ્નનું આ તાત્પર્ય છે–વૈરયિકો પોતાના ઉપભોગને યોગ્ય અનન્તપ્રદેશિક દ્રવ્યો અન્તર્મુહૂર્ત કાળ સુધી ગ્રહણ કરે છે. તેથી સંશય થાય છે કે ઉપભોગને યોગ્ય અન્તર્મુહૂર્ત પ્રમાણ કાળની આદિમાં-પ્રથમ સમયે આહાર કરે છે. મધ્ય સમયોમાં આહાર કરે છે કે છેલ્લા સમયે આહાર કરે છે? ભગવાન્ ઉત્તર આપે છે-હે ગૌતમ! આદિમાં પણ આહાર કરે છે, મધ્યમાં પણ આહાર કરે છે અને અન્તપણે પણ આહાર કરે છે. તાત્પર્ય એ છે કે ઉપભોગને યોગ્ય અન્તર્મુહૂર્તપ્રમાણ કાળની આદિમાં મધ્યમાં, અને છેલ્લા સમયે પણ આહાર કરે છે. હે ભગવન્! જે આદિમાં, મધ્યમાં અને અન્તમાં પણ આહાર કરે તે શું સ્વવિષય-પોતાના આહારને યોગ્ય દ્રવ્યોનો આહાર કરે છે કે અવિષય-પોતાના આહારને અયોગ્ય દ્રવ્યોનો આહાર કરે છે? ભગવાન કહે છ– ગૌતમ! સ્વવિષય દ્રવ્યોનો આહાર કરે છે. પણ અવિષય દ્રવ્યોનો આહાર કરતો નથી. હે ભગવાન! જે સ્વવિષય દ્રવ્યોનો આહાર કરે છે તે શું આનુપૂર્વી-અનુક્રમ વડે કે અનાનુપૂવી વડે આહાર કરે છે? આનુપૂર્વી-જેમ નજીક હોય તેમ, તેથી વિપરીત અનાનુપૂર્વી. ભગવાન ઉત્તર આપે છે–આનુપૂર્વી વડ–જે દ્રવ્યોના નજીકનાક્રમને અનુસરીને આહાર કરે છે. સૂત્રમાં દ્વિતીય વિભક્તિ તૃતીયાના અર્થમાં જાણવી. કેમકે આચારાંગ સૂત્રમાં મળિ પુકા'નિના મૃણા-અગ્નિ વડે સ્પર્શ કરાયેલા એ અર્થ છે. પણ અનાનુપૂર્વી વડે આહાર કરતો નથી. ઉપરનીચે કે તીરછા જેમ નજીક હોય તેમ આહાર કરે છે, પણ નજીકના ક્રમને ઓળંગીને આહાર કરતો નથી એ ભાવાર્થ છે. હે ભગવન્! જેનો આનુપૂર્વીનજીકના ક્રમથી આહાર કરે છે તે શું ત્રણ દિશામાં રહેલા પદ્ગલ દ્રવ્યોનો આહાર કરે છે, ચાર દિશા, પાંચ દિશા કે છ દિશામાં રહેલાં પુદ્ગલદ્રવ્યનો આહાર કરે છે? અહીં લોકના નિષ્કટને અન્ને જઘન્ય પદે ત્રણ દિશામાં રહેલજ દ્રવ્ય પ્રાપ્ત થાય છે, પણ બે દિશામાં રહેલ કે એક દિશામાં રહેલ દ્રવ્ય પ્રાપ્ત થતું નથી માટે ત્રણ દિશાથી આરંભીને પ્રશ્ન કર્યો છે. ભગવાન્ ઉત્તર આપે છે તે ગૌતમ!અવશ્ય છ દિશામાંથી આવેલાં પગલદ્રવ્યોનો આહાર કરે છે. કારણ કે નૈરયિકો ત્રસનાડીના મધ્ય ભાગમાં રહેલા છે અને ત્યાં અવશ્ય છ દિશાના આહારનો સંભવ છે.”
‘સાર ૫ડુત્ર' ઇત્યાદિ. ઓસન્નશબ્દ બાહુલ્યવાચક છે, જેમકે બોસન્ન રેવા સાયવેvi વેવતિ' બહુધા દેવો સાતવેદનીય વેદે છે. ઓસત્ર કારણ એટલે બાહુલ્ય કારણ, સામાન્ય કારણ, અને તે અશુભ વિપાકજ છે. તો પણ પ્રાયઃ મિથ્યાદૃષ્ટિ કૃષ્ણાદિ વર્ણવાળાં પુદ્ગલોનો આહાર કરે છે, પણ ભવિષ્યના તીર્થકરાદિ તેવાંદ્રવ્યોનો આહાર કરતા નથી. તેથી ‘ઓસન્ન” એમ કહ્યું છે. વર્ણથી કાળાં અને નીલવર્ણવાળાં, ગધથી દુર્ગન્ધવાળાં, રસથી તિક્ત અને કટુરસવાળાં અને સ્પર્શથી કર્કશ–બરસઠ, ગુરુ અને શીતસ્પર્શવાળાં પુદ્ગલદ્રવ્યોનો આહાર કરે છે ઇત્યાદિ. આહાર કરતા પુદ્ગલોના પુરાણ-પૂર્વના વર્ણગુણો, ગન્ધગુણો, રસગુણો અને સ્પર્શગુણોને વિપરિણાવી, પરિપીડ્ય-પરિપીડન કરી, પરિશાટન કરી, પરિવિધ્વંસ કરી, આ ચારે પદો એકાર્થક અને વિનાશ અર્થના વાચક છે. તેમજ તે ભિન્ન ભિન્ન દેશના શિષ્યો ઉપર ઉપકાર કરવા માટે સૂત્રમાં ગ્રહણ કરેલાં છે. તથા બીજા અપૂર્વ વર્ણ ગુણો, ગન્ધ ગુણો, રસ ગુણો અને સ્પર્શ ગુણોને ઉત્પન્ન કરી પોતાના શરીર ક્ષેત્રમાં રહેલાં પુદ્ગલોને સવ્વપૂબયા' સર્વાત્મા વડે એટલે સર્વ આત્મપ્રદેશો વડે આહાર રૂપે ગ્રહણ કરે છે. ૩૬૪૪ો.
गेरइया णं भंते! जे पोग्गले आहारत्ताए गिण्हंति ते णं तेसिं पोग्गलाणं सेयालंसि कतिभागं आहारेन्ति, कतिभागं 'आसाएंति? गोयमा! असंखेज्जतिभागं आहारेन्ति,अणंतभागं आसाएंति। णेरइया णं भंते!जे पोग्गले आहारत्ताए * 260