SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ श्री प्रज्ञापना सूत्र भाग २ तेविसइमं कम्मपयडीपयं बीओ उद्देसो मूलोत्तरपयडिभेद परूवणं રસ હોય તે તિક્તરસનામ. એમ બાકીના રસનામ પણ જાણી લેવા. દૃશ્યતે–જે સ્પર્શાય એટલે સ્પર્શેન્દ્રિયનો વિષય હોય તે સ્પર્શ. તે કર્કશ, મૃદુ, લઘુ, ગુરુ, સ્નિગ્ધ, રુક્ષ, શીત અને ઉષ્ણના ભેદથી આઠ પ્રકારે છે. તેનું કારણ સ્પર્શનામ પણ આઠ પ્રકારે છે. તેમાં જેના ઉદયથી પ્રાણીઓના શરીરને વિષે પત્થર વગેરેની જેમ કર્કશ–બરસઠ સ્પર્શ હોય તે કર્કશસ્પર્શનામ. એમ બાકીના સ્પર્શનામ પણ જાણી લેવા. જેના ઉદયથી પ્રાણીઓના શરી૨ ગુરુ–ભારે નહિ, તેમ લઘુ-હલકાં પણ નહિ પરન્તુ અગુરુલઘુપરિણામવાળાં હોય છે તે અગુરુલઘુનામ. જેના ઉદયથી શરીરની અન્દર વધતા પડજીભ, ગલવૃન્દ (કાકડા)લમ્બક અને ચોરદાંત વગે૨ે શરીરના અવયવો વડે પોતે જ હણાય, અથવા સ્વયં ગળે ફાંસો ખાવો, સ્વયં પર્વત ઉપરથી પડવું વગેરેથી આત્મઘાત કરે તે ઉપઘાતનામ. જેના ઉદયથી પ્રતાપી મનુષ્ય પોતાના દર્શનમાત્રથી કે વાક્પટુતાથી મહાનૃપની સભામાં પણ જઇને સભ્યોને પણ ક્ષોભ ઉત્પન્ન કરે અને પ્રતિવાદીની પ્રતિભાનો નાશ કરે તે પરાઘાતનામ. કોણી, હળ અને ગોમૂત્રિકાના આકા૨ે અનુક્રમે બે ત્રણ અને ચાર સમય પ્રમાણ વિગ્રહ ગતિથી બીજા ભવમાં ઉત્પત્તિ સ્થાને જતાં જીવની આકાશ પ્રદેશની શ્રેણિને અનુસરે નિયત ગમનની પરિપાટી–ક્રમ તે આનુપૂર્વી, તે વિપાક વડે વેદવા લાયક નામકર્મ પણ કારણને વિષે કાર્યના ઉપચારથી આનુપૂર્વીનામ. તે ચાર પ્રકા૨ે છે, જેમ કે, નૈરયિકાનુપૂર્વીનામ, તિર્યંચાનુપૂર્વીનામ, મનુષ્યાનુપૂર્વીનામ અને દેવાનુપૂર્વીનામ. જેના ઉદયથી આત્માને ઉચ્છ્વાસ અને નિઃશ્વાસની લબ્ધિ પ્રાપ્ત થાય તે ઉચ્છ્વાસનામ. (પ્ર0)—જો એમ છે તો ઉચ્છ્વાસ પર્યાપ્તિ નામ કર્મનો ક્યાં ઉપયોગ છે? (60)—ઉચ્છવાસ નામ કર્મના ઉદયથી ઉચ્છ્વાસ અને નિઃશ્વાસ યોગ્ય પુદ્ગલોને ગ્રહણ કરવા અને મૂકવા સંબન્ધી લબ્ધિ ઉત્પન્ન થાય છે. અને તે લબ્ધિ ઉચ્છ્વાસપર્યાપ્તિ સિવાય પોતાનું કાર્ય કરતી નથી. બાણને ફેંકવાની શક્તિવાળો છતાં પણ ધનુષને ગ્રહણ કરવાની શક્તિ સિવાય ફેંકી શકતો નથી. તેથી ઉચ્છ્વાસ પર્યાપ્ત ઉત્પન્ન કરવા માટે ઉચ્છ્વાસપર્યાપ્તિ નામકર્મનો ઉપયોગ છે. એ પ્રમાણે બીજી પ્રકૃતિઓનો પણ યથાસંભવ ભિન્ન વિષય સૂક્ષ્મ બુદ્ધિથી વિચારવો. જેના ઉદયથી પ્રાણીઓના શરીર સ્વરૂપે અનુષ્ણ છતાં ઉષ્ણ પ્રકાશ રૂપ આતપ કરે તે આતપનામ. તેનો વિપાક સૂર્યમંડલમાં રહેલા પૃથિવીકાયિકોને જ હોય છે. અગ્નિને હોતો નથી. કારણ કે સિદ્ધાન્તમાં પણ તેનો નિષેધ કર્યો છે. અગ્નિમાં ઉષ્ણપણું ઉષ્ણસ્પર્શનામ કર્મના ઉદયથી અને ઉત્કટ રક્તવર્ણનામના ઉદયથી પ્રકાશકપણું છે. તથા જેના ઉદયથી પ્રાણીઓના શરીરો યતિ અને દેવના ઉત્તર વૈક્રિય શરીર તથા ચન્દ્ર, નક્ષત્ર તારાના વિમાનો, રત્ન, અને ઔષધિની પેઠે અનુષ્ય પ્રકાશ રૂપે ઉદ્યોત ક૨ે તે ઉદ્યોતનામ. વિહાયના ગતિઃ-આકાશમાં ગમન કરવું તે વિહાયોગતિ. (પ્ર0)—આંકાશ સર્વવ્યાપક હોવાથી આકાશથી બીજે ગતિનો સંભવ નથી તો શા માટે ‘વિહાયમૂ’વિશેષણ આપ્યું છે? કારણ કે વિહાયસૂપદ વડે નિષેધ ક૨વા યોગ્ય કંઇ પણ નથી. (૦)તમારી શંકા બરાબર છે, પરન્તુ ગતિમાત્ર કહેવામાં આવે તો નામ કર્મની પ્રથમ પ્રકૃતિ પણ ગતિ નામ છે, તેથી પુનરુક્તપણાની આશંકા થાય તેનો નિષેધ ક૨વા માટે ‘વિહાયમૂ’ એવું વિશેષણ આપવામાં આવ્યું છે, પણ નારકાદિ પર્યાયના પરિણામરૂપ ગતિ તે વિહાયોગતિ નથી. તે બે પ્રકાર છે—પ્રશસ્ત અને અપ્રશસ્ત. તેમાં પ્રશસ્ત ગતિ હંસ, ગજ અને વૃષભાદિને હોય છે, અપ્રશસ્ત ગતિ ગધેડા, ઉંટ અને પાડા વગેરેની હોય છે. તે વિપાક વડે વેદવા લાયક વિહાયોગતિ નામ કર્મ પણ બે પ્રકારે છે—પ્રશસ્તવિહાયોગતિનામ અને અપ્રશસ્તવિહાયોગતિનામ. વૃક્ષત્તિ-ગ૨મી વગેરેથી પીડિત થયેલા વિવક્ષિત એક સ્થાનકથી ઉદ્વેગ પામે અને છાયાદિને આશ્રય કરવા માટે બીજે સ્થાને જાય તે ત્રસ–બેઇન્દ્રિયાદિ જીવો. તે પર્યાયના પરિણામ વડે વેદવા લાયક નામકર્મ પણ ત્રસનામ. જેના ઉદયથી ગરમી વગેરેનો સંબન્ધ છતાં પણ તે સ્થાનનો ત્યાગ કરવા માટે અસમર્થ એવા પૃથિવી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિરૂપ સ્થાવર થાય તે સ્થાવરનામ. ‘બાદરનામ' જેના ઉદયથી જીવો બાદર થાય તે બાદરનામ. બાદરપણું એ જીવોનો પરિણામ વિશેષ છે. જેના ઉદયથી પૃથિવ્યાદિ એક એક જીવનું શરીર ચક્ષુથી ગ્રાહ્ય નહિ હોવા છતાં ઘણા જીવોનો સમુદાય ચક્ષુથી ગ્રહણ થાય, તેથી વિપરિત ,218
SR No.005762
Book TitlePragnapana Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri, Jayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages404
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_pragyapana
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy