SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ तेविसइमं कम्मपयडीपयं कतिविधाणुभाव दारं श्री प्रज्ञापना सूत्र भाग २ પાત્તે, તે નહા—દા તદ્દા ૧, ફદા હવા ર, ફેંદા ાંબા રૂ, રૂકા રસ્તા ૪, ફેંદા પાતા ,દા તી ૬, રૂદા નિતી.૭, ફ્લે તાવળે, ૮ દા નસોજિત્તી ૧, ડ્વે દાળ-જમ્મુ-વત્ત-વીયિ-પુસ્તિકાર-પરમે ૨૦, રૂદřરતા ૨,તસ્તરતા १२, पियस्सरया १३, मणुण्णस्सरया १४, जं वेएइ पोग्गलं वा पोग्गले वा पोग्गलपरिणामं वा वीससा वा पोग्गलाणं परिणामं तेसिं वा उदरणं सुभणामं कम्मं वेएइ, एस णं गोयमा ! सुभनामे कम्मे, एस णं गोयमा ! सुभणामस्स कम्मस्स जाव चोद्दसविहे अणुभावे पण्णत्ते । दुहणामस्स णं भंते!० पुच्छा । गोयमा ! एवं चेव, णवरं अट्ठासद्दा, जाव हीणस्सरया, दीणस्सरया, अकंतस्सरया, जं वेदेति सेसं तं चेव जाव चोद्दसविहे अणुभावे પત્તે ।।સૢ૦-૨૦||૬૦૮|| (મૂળ) હે ભગવન્! જીવે બાંધેલા શુભનામકર્મનો કેટલા પ્રકારનો વિપાક છે? હે ગૌતમ! શુભનામ કર્મનો ચૌદ પ્રકારનો વિપાક કહ્યો છે. તે આ પ્રમાણે છે—૧ ઇષ્ટ શબ્દ, ૨ ઇષ્ટ રૂપ, ૩ ઇષ્ટ ગન્ધ, ૪ ઇષ્ટ રસ, ૫ ઇષ્ટ સ્પર્શ, ૬ ઇષ્ટ ગતિ, ૭ ઇષ્ટ સ્થિતિ, ૮ ઇષ્ટ લાવણ્ય, ૯ ઇષ્ટ યશઃકીર્તિ, ૧૦ ઇષ્ટબલ, વીર્ય અને પુરુષકાર–પરાક્રમ, ૧૧ ઇષ્ટસ્વર, ૧૨ કાન્ત સ્વર, ૧૩ પ્રિય સ્વર અને ૧૪ મનોજ્ઞ સ્વર. જે પુદ્ગલ, પુદ્ગલો, પુદ્ગલપરિણામ અને વિસસા પુદ્ગલપરિણામને વેદે છે, અને તેઓના ઉદય વડે શુભનામ કર્મ વેદે છે. હે ગૌતમ! એ શુભનામ કર્મ છે. હે ગૌતમ! એ શુભનામ કર્મનો ચૌદ પ્રકારનો વિપાક કહ્યો છે. હે ભગવન્! દુઃખ-અશુભ નામ કર્મનો કેટલા પ્રકારનો વિપાક છે? હે ગૌતમ! એમ જ સમજવો. પરન્તુ અનિષ્ટ શબ્દ, યાવત્ હીનસ્વર, દીનસ્વર અને અકાન્તસ્વર જાણવો. જે વેદે છે–ઇત્યાદિ બધું તેમજ જાણવું. યાવત્—ચૌદ પ્રકારનો અશુભનામ કર્મનો વિપાક કહ્યો છે. ।।૧૦।।૬૦૮ ॥ (ટી)નામકર્મ બે પ્રકારનું જે-શુભનામ કર્મ અને અશુભ નામકર્મ. તેમાં શુભનામ કર્મને આશ્રયી સૂત્ર કહે છે—‘સુમનામમ્મસ ં મંતે'! ઇત્યાદિ. હે ભગવન્! શુભનામ કર્મનો વિપાક કેટલા પ્રકારનો છે ઇત્યાદિ પ્રશ્નસૂત્ર પૂર્વની પેઠે સમજવું. ઉત્તર—ચૌદ પ્રકારનો વિપાક કહ્યો છે. તેજ ચૌદ પ્રકાર બતાવે છે—‘ફુદ્દા સદ્દા' ઇષ્ટ શબ્દો ઇત્યાદિ. આ શબ્દાદિ પોતાનાજ લેવા, કારણ કે અહીં નામકર્મના વિપાકનો વિચાર છે. કોઇ આચાર્યો ‘વાદિત્રાદિથી ઉત્પન્ન થયેલા શબ્દો' કહે છે, તે અયુક્ત છે. કારણ કે તે અન્ય કર્મના ઉદયથી થાય છે. ‘રૂષ્ટા ગતિઃ’—ઇષ્ટ ગતિ–મદોન્મત્ત હસ્તી વગેરેના જેવી ગતિ. ‘શિવિકાદિ ઉપર ચઢવાથી' ઇષ્ટ ગતિ એવો કોઇ અર્થ ક૨ે છે. ‘કૃષ્ટા સ્થિતિ:'—સહજ સ્થિતિ ‘સિહાસનાદિને વિષે સ્થિતિ' એમ અન્ય આચાર્ય કહે છે. ‘રૂષ્ટ લાવખ્ય’—કાન્તિવિશેષ, કેસર વગેરેના વિલેપનથી ઉત્પન્ન થયેલું લાવણ્ય એમ અન્ય આચાર્ય કહે છે. ‘ફષ્ટા યશ:ીર્તિ:’યશ વડે યુક્ત કીર્તિ કહેવાય છે. યશ અને કીર્તિની આ વિશેષતા છે–દાન અને પુણ્યથી થાય તે કીર્તિ અને પરાક્રમથી થાય તે યશ કહેવાય છે. ‘દું નડ્ડાળમ્મબાવીરિયપુસિારપુર મે' ઇતિ, ‘ઇષ્ટ ઉત્થાન, કર્મ, બલ, વીર્ય, પુરુષકાર અને પરાક્રમ.ઉત્થાન–શ૨ી૨ની ચેષ્ટાવિશેષ, કર્મ–આરેચન–જુદા કરવું, ભ્રમણ કરવું વગેરે કર્મ, બલ—શરીરનું સામર્થ્ય, વીર્ય–જીવથી ઉત્પન્ન થયેલ, તેજ પુરુષકાર–અભિમાનવિશેષ, તે પોતાને વિષે કર્યું હોય તો પરાક્રમ કહેવાય છે. ‘રૂષ્ણસ્વર 'ઇષ્ટ સ્વર,પ્રિય સ્વર, તેમાં ‘ઇષ્ટ શબ્દો’ એ સામાન્યપણે કથન છે તો પણ ‘આ ઇસ્ટ સ્વર’ એ વિશેષ કથન તેથી અન્ય ઘણાની અપેક્ષાએ સમજવું. ‘કાન્તવરતા’ કાન્ત-મનોહર, સમાન્ય રીતે ઇચ્છવા યોગ્ય સ્વર, પ્રિયસ્વરતા' વારંવા૨ અભિલાષા કરવા યોગ્ય સ્વર, 'મનોજ્ઞસ્વરતા’–ભાવ–પ્રેમ નહિ હોવા છતાં પણ પોતાના વિષે પ્રીતિ ઉત્પન્ન કરનાર મનોજ્ઞ કહેવાય છે, એવા પ્રકારનો સ્વર તે મનોજ્ઞ સ્વર. ‘નં વેજ્ઞ' જે વીણા, વર્ણક–વિલેપન, ગન્ધ, તાબુક, પટ્ટ, શિબિકા, સિંહાસન, કુંકુમ, દાન, રાજાનો યોગ અને ગુટિકારૂપ પુદ્ગલને વેદે છે, કારણ કે વીણાદિના સંબન્ધથી ઇષ્ટ શબ્દાદિ થાય છે, એનો માર્ગને વિષે પ્રસન્ન ચિત્તને અનુસરનારી ૧. વીણાના સંબન્ધથી ઇષ્ટ શબ્દ, વર્ણક-પીઠીના સંબન્ધથી ઇષ્ટ રૂપ, ગન્ધ-સુગન્ધી દ્રવ્યના સંબન્ધથી ઇષ્ટ ગન્ધ, તાંબુલના સંબન્ધથી ઇષ્ટ સ્પર્શ, પટ્ટરેશમી વસ્રના સંબન્ધથી ઇષ્ટ સ્પર્શ, શિબિકા પાલખીના સંબન્ધથી ઇષ્ટ ગતિ, સિંહાસનના સંબન્ધથી ઇષ્ટ સ્થિતિ, કુંકુમ-કેસરના યોગથી ઇષ્ટ લાવણ્ય, દાનના સંબન્ધથી યશઃકીર્તિ, રાજાના યોગથી ઇષ્ટ ઉત્થાનાદિ અને ગુટિકાના યોગથી ઇષ્ટ સ્વર વગેરે થાય છે. 207
SR No.005762
Book TitlePragnapana Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri, Jayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages404
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_pragyapana
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy