________________
बावीसतिमं किरियापयं चउवीसदंडएसु किरियापरूवणं जीवाईसु किरियाणं सहभावपरूवणं
श्री प्रज्ञा
પારિગ્રહિતી ક્રિયા કદાચ હોય અને કદાચ ન હોય, જેને પારિગ્રહિતી ક્રિયા હોય તેને આરંભિકી ક્રિયા અવશ્ય હોય. હે ભગવન્! જે જીવને આરંભિકી ક્રિયા હોય તેને માયાપ્રત્યયિકી ક્રિયા હોય-ઈત્યાદિ પૃચ્છા. હે ગૌતમ!જે જીવને આરંભિકી ક્રિયા હોય તેને માયાપ્રત્યયિકી ક્રિયા અવશ્ય હોય, જેને માયાપ્રત્યયિકી હોય તેને આરંભિકી ક્રિયા કદાચ હોય અને કદાચ ન હોય. હે ભગવન્! જે જીવને આરંભિકી ક્રિયા હોય છે તેને અપ્રત્યાખ્યાન ક્રિયા હોય-ઇત્યાદિ પૃચ્છા. હે ગૌતમ! જે જીવને આરંભિકી ક્રિયા હોય તેને અપ્રત્યાખ્યાન ક્રિયા કદાચ હોય અને કદાચ ન હોય, જેને અપ્રત્યાખ્યાન ક્રિયા હોય તેને આરંભિકી ક્રિયા અવશ્ય હોય. એ પ્રમણે મિથ્યાદર્શન પ્રત્યયિકી ક્રિયાની સાથે યોગ કરવો. એમ પારિગ્રહિક ક્રિયાનો પણ ઉપરની ત્રણ ક્રિયાઓની સાથે વિચાર કરવો. જેને માયાપ્રત્યયિકી ક્રિયા હોય છે તેને ઉપરની બે ક્રિયાઓ કદાચ હોય અને કદાચ ન હોય, જેને ઉપરની બે ક્રિયાઓ હોય છે તેને માયાપ્રયિકી અવશ્ય હોય. જેને અપ્રત્યાખ્યાન ક્રિયા હોય છે તેને મિથ્યાદર્શનપ્રત્યયિકી ક્રિયા કદાચ હોય અને કદાચ ન હોય, જેને મિથ્યાદર્શનપ્રત્યયિકી ક્રિયા હોય છે તેને અપ્રત્યાખ્યાન ક્રિયા અવશ્ય હોય છે. નરયિકને પ્રથમની ચાર ક્રિયાઓ પરસ્પર અવશ્ય હોય છે. જેને એ ચાર ક્રિયાઓ હોય છે તેને મિથ્યાદર્શનપ્રત્યયિકી ક્રિયા ભજનાએ હોય છે. એટલે કદાચ હોય અને કદાચ ન હોય. જેને મિથ્યાદર્શનપ્રત્યયિકી ક્રિયા હોય છે તેને એ ચાર ક્રિયાઓ અવશ્ય હોય છે. એ પ્રમણે સ્વનિતકુમાર સુધી જાણવું. પૃથિવીકાયિકથી આરંભી ચઉરિન્દ્રિય સધીના જીવોને પાંચ ક્રિયાઓ પરસ્પર અવશ્ય હોય છે. પંચેન્દ્રિય તિર્યંચને પ્રથમની ત્રણ ક્રિયાઓ પરસ્પર અવશ્ય હોય છે. જેને એ ક્રિયાઓ હોય છે તેને ઉપરની બન્ને ક્રિયાઓ ભજનાએ હોય છે. જેને ઉપરની બન્ને ક્રિયાઓ હોય છે તેને ત્રણે ક્રિયાઓ અવશ્ય હોય છે. જેને અપ્રત્યાખ્યાન ક્રિયા હોય છે તેને મિથ્યાદર્શનપ્રત્યયિકી ક્રિયા કદાચ હોય અને કદાચ ન હોય. જેને મિથ્યાદર્શનપ્રત્યયિકી ક્રિયા હોય છે તેને અપ્રત્યાખ્યાન ક્રિયા અવશ્ય હોય છે. મનુષ્યને જેમ જીવને કહ્યું છે તેમ જાણવું. વ્યત્તર, જયોતિષિક અને વૈમાનિકને નૈરયિકની પેઠે કહેવું. હે ભગવન્! જે સમયે (કાળે) જીવને આરંભિકી ક્રિયા હોય છે તે સમયે પારિગ્રહિક ક્રિયા હોય છે? એ પ્રમાણે ૧ જેને, ર જે સમયે, ૩ જે અંશે, અને ૪ જે પ્રદેશે-એ ચાર દંડકો
જાણવા. જેમ નરયિકોને કહ્યું તેમ સર્વ દેવોને યાવત્ વૈમાનિકો સુધી સમજવું. l/૧૨/૫૯૪al: (ટી૦) આજ ક્રિયાઓનું ચોવીશ દંડકના ક્રમથી નિરુપણ કરે છ– વેરા અંતે!'–હે ભગવન્! નૈરયિકોને કેટલી ક્રિયાઓ હોય છે? ઇત્યાદિ સુગમ છે. હવે આ ક્રિયાઓના પરસ્પરનિયત સંબન્ધનો વિચાર કરે છે. તે આ પ્રમાણે–જેને આરંભિકી ક્રિયા હોય છે તેને પારિગ્રહિક ક્રિયા કદાચ હોય અને કદાચ ન હોય. પ્રમત્તસંયતને ન હોય, બાકીનાને હોય. તથા જેને આરંભિકી કિયા હોય છે તેને માયાપ્રયિકી ક્રિયા અવશ્ય હોય છે. જેને માયાપ્રયિકી ક્રિયા હોય તેને આરંભિકી ક્રિયા કદાચ હોય અને કદાચ ન હોય. અપ્રમત્ત સંયતને ન હોય, બાકીનાને હોય. જેને આરંભિકી ક્રિયા હોય તેને અપ્રત્યાખ્યાન ક્રિયા કદાચ હોય અને કદાચ ન હોય. પ્રમત્ત સંયત અને દેશવિરતિને ન હોય, બાકીના અવિરતિસમ્યગ્દસ્યાદિને હોય.જેને અપ્રત્યાખ્યાન ક્રિયા હોય તેને આરંભિકી ક્રિયા અવશ્ય હોય. કારણ કે અપ્રત્યાખ્યાનીને-અવિરતિને અવશ્ય આરંભનો સંભવ છે. એ પ્રમાણે મિથ્યાદર્શનપ્રત્યયિકી સાથે પણ તેનું નિયતપણે વિચારવું. તે આ પ્રમાણે–જેને આરંભિકી ક્રિયા હોય છે તેને મિથ્યાદર્શનપ્રત્યયિકી ક્રિયા કદાચ હોય અને કદાચ ન હોય. મિથ્યાદષ્ટિને હોય, બાકીનાને ન હોય. જેને મિથ્યાદર્શનક્રિયા હોય તેને આરંભિકી ક્રિયા અવશ્ય હોય. કારણ કે મિથ્યાદૃષ્ટિવિરતિરહિત હોવાથી તેને અવશ્ય આરંભનો સંભવ છે. એ પ્રમાણે આરંભિકી ક્રિયાનો પરિગ્રવિકી વગેરે ઉપરની ચાર ક્રિયાની સાથે પરસ્પર નિયતપણાનો વિચાર કર્યો. એમ પરિગ્રહિક ક્રિયાનો ત્રણ ક્રિયાઓની સાથે, માયાપ્રત્યયિકી ક્રિયાનો બે ક્રિયાઓ સાથે વિચાર કર્યો. તે પ્રમાણે સત્રકાર કહે છ–‘વં પરિદિયા વિ તિદિં ૩વરિત્નાહિં સર્ષ સંઘવળા' એમ પારિગ્રહિકનો પણ ઉપરની ત્રણ ક્રિયાઓની સાથે વિચાર કરવો–ઈત્યાદિ સુગમ છે, કારણ કે તેની ભાવના પ્રસિદ્ધ છે. આજ અર્થને ચોવિસ દંડકના ક્રમથી બતાવે છે–‘ોરસ માફciાતો વત્તારિ' નરયિકને પ્રથમની ચાર ક્રિયાઓ હોય છે-ઇત્યાદિ. નરયિકાદિ ઉત્કૃષ્ટ અવિરતિ સમ્યગ્દષ્ટિ ગુણસ્થાન સુધી હોય છે, તે પછી હોતા નથી. તેથી નરયિકોને પ્રથમની ચાર ક્રિયાઓ
187