________________
बावीसतिमं किरियापयं पयारंतरेण किरियाभेदपरूवणं-आरंभियाइकिरियासामित्तपरूवणं श्री प्रज्ञापना सूत्र भाग २ || પયારંતરે વિરિયામેતપવળ ||
ફ ાં ભંતે! વિરિયાઓ વળત્તાઓ? ગોયમા! પંચ જિરિયાઓ પત્રત્તાઓ, તેં નહા—આમિયા, પાળિહિયા, मायावत्तिया, अपच्चक्खाणकिरिया, मिच्छादंसणवत्तिया ।
|| મારમિયાવિરિયાસામિત્તવરુવળ ||
आरंभिया णं भंते! किरिया कस्स कज्जति ? गोयमा ! अण्णयरस्सावि पमत्तसंजयस्स । परिग्गहिया णं भंते! किरिया कस्स कज्जइ ? गोयमा ! अण्णयरस्सावि संजयासंजयस्स । मायावत्तिया णं भंते! किरिया कस्स कज्जति ? गोयमा ! अण्णयरस्सावि अपमत्तसंजयस्स । अपच्चक्खाणकिरिया णं भंते! कस्स कज्जति ? गोयमा ! अण्णयरस्सावि अपच्चक्खाणिस्स । मिच्छादंसणवत्तिया णं भंते! किरिया कस्स कज्जति ? गोयमा ! अण्णयरस्सावि મિચ્છાવંતHિ IIસૢ૦-૧૧||૧૧||
(મૂળ) હે ભગવન્! કેટલી ક્રિયાઓ કહેલી છે? હે ગૌતમ! પાંચ ક્રિયાઓ કહી છે. તે આ પ્રમાણે-૧ આરંભિકી, ૨ પારિગ્રહિકી,
૩ માયાપ્રત્યયિકી, ૪ અપ્રત્યાખ્યાન ક્રિયા અને ૫ મિથ્યાદર્શનપ્રત્યયિકી. હે ભગવન્! આરંભિકી ક્રિયા કોને હોય છે? હે ગૌતમ! કોઇ પણ પ્રમત્ત સંયતને હોય છે. હે ભગવન્! પારિગ્રહિકી ક્રિયા કોને હોય છે? હે ગૌતમ! કોઇ સંયતાસંયત– દેશવિરતિને હોય છે. હે ભગવન્! માયાપ્રત્યયિકી ક્રિયા કોને હોય છે? હે ગૌતમ! કોઇ પણ અપ્રમત્ત સંયતને હોય છે. હે ભગવન્! અપ્રત્યાખ્યાન ક્રિયા કોને હોય છે? હે ગૌતમ! કોઇ પણ અપ્રત્યાખ્યાની–પ્રત્યાખ્યાન–વિરતિ રહિતને હોય છે. હે ભગવન્! મિથ્યાદર્શનપ્રત્યયિકી ક્રિયા કોને હોય છે? હે ગૌતમ! કોઇ પણ મિથ્યાર્દષ્ટિને હોય છે. ।।૧૧।।૫૯૩ (ટી૦) હવે બીજા પ્રકારે ક્રિયાઓનું નિરુપણ કરે છ —‘રૂ ં મંતે!'હે ભગવન્! કેટલી ક્રિયાઓ કહી છે? ઇત્યાદિ. આરંભિકી–આરંભ–પૃથિવ્યાદીની હિંસા કરવી, કહ્યું છે કે—
"संकप्पो संरंभो परितावकरो भवे समारम्भो । आरम्भो उद्दवतो सुट्टु नयाणं तु सव्वेसिं ॥ "
I
સંરંભ–(હિંસાનો)સંકલ્પ, પરિતાપ ઉત્પન્ન કરનાર સમારંભ, અને આરંભ એટલે ઉપદ્રવ–ઘાત કરવો એ બધા શુદ્ધ નયોનું મન્તવ્ય છે. આરંભ છે પ્રયોજન-કારણ જેનું તે આરંભિકી ક્રિયા કહેવાય છે. ‘પTMિહિય’ત્તિ-પારિગ્રહિકી પરિગ્રહ-ધર્મોપકરણ સિવાયની વસ્તુનો સ્વીકાર કરવો અને ધર્મોપકરણમાં પણ મૂર્છા-મમત્વનો પરિણામ, પરિગ્રહરૂપ અથવા પરિગ્રહ વડે ઉત્પન્ન થયેલી ક્રિયા તે પારિગ્રહિકી. ‘માયાવત્તિય 'ત્તિ-માયાપ્રત્યયા' માયા–વક્રતા, સરળપણાનો અભાવ. ઉપલક્ષણથી ક્રોધાદિ કષાયનું પણ ગ્રહણ કરવું. માયા પ્રત્યય–કારણ છે જેનું તે માયાપ્રત્યયિકી.‘અવત્ત્વવાળિિરય'ત્તિ-અપ્રત્યાખ્યાન–વિરતિના લેશમાત્ર પરિણામનો અભાવ, તે રૂપ ક્રિયા તે અપ્રત્યાખ્યાનક્રિયા.‘મિચ્છાવંસળવત્તિય’ત્તિ-મિથ્યાદર્શનપ્રત્યયા. મિથ્યાદર્શન-તત્ત્વરુચિનો અભાવ, તે જેનો પ્રત્યય–હેતુ છે તે મિથ્યાદર્શનપ્રત્યયિકી. એ ઉપર કહેલી ક્રિયાઓમાં જે ક્રિયા જેને હોય તે બતાવે છે– ‘આરંભિયા નં મંતે'-હે ભગવન્! આરંભિકી ક્રિયા કોને હોય? ઇત્યાદિ. આરંભિકી ક્રિયા ‘અન્યતરસ્યાપિ પ્રમત્તસંયતસ્ય'-કોઇ પણ પ્રમત્તસંયતને હોય છે. અહીં અપિ શબ્દ ભિન્ન ક્રમ જણાવે છે. અન્યતર–કોઇ પણ એક પ્રમત્તસંયતને પ્રમાદના સદ્ભાવમાં શરીરના દુષ્પ્રયોગ–અયતના વડે પૃથિવ્યાદિની હિંસાનો સંભવ છે. અપિશબ્દ બીજા નીચેના ગુણસ્થાનકવર્તી જીવોને આરંભિકી ક્રિયાનું નિયતપણું બતાવવા માટે છે. પ્રમત્તસંયતને પણ આરંભિકી ક્રિયા હોય છે તો પછી બાકીના દેશવિરતિપ્રમુખને હોય તેમાં શું કહેવું? એ પ્રમાણે પછીના સૂત્રોમાં પણ યથાયોગ્યપણે અપિશબ્દના અર્થનો વિચાર કરવો. પારિગૃહિકી સંયતાસયતનેદેશવિરતિને પણ હોય છે. કારણ કે તેને પણ પરિગ્રહ હોય છે. માયાપ્રત્યયિકી ક્રિયા અપ્રમત્તસંયતને પણ હોય છે. શી રીતે હોય છે? પ્રવચનના ઉદ્ગાહને ઢાંકવાને માટે વલ્લીકરણસમુદ્દેશાદિને વિષે જાણવી. અપ્રત્યાખ્યાન ક્રિયા, કોઇ પણ અપ્રત્યાખ્યાનીને– વિરતિરહિતને સમજવી. જે કાંઇપણ પ્રત્યાખ્યાન–વિરતિ ન કરે તે અપ્રત્યાખ્યાની જાણવો, મિથ્યાદર્શનક્રિયાં જે સૂત્રમાં કહેલા
185