________________
श्री प्रज्ञापना सूत्र भाग २
इगवीसमं सरीरपयं आहारगसरीरे विहिदारं હોય છે. જેઓની અચુત કલ્પમાં બાવીશ સાગરોપમની સ્થિતિ છે તેઓને ઉત્કૃષ્ટ પૂરા ત્રણ હાથ શરીર હોય છે.
“નખાતીત'-ઇત્યાદિ. રૈવેયક કલ્પાતીત દેવોને વિશે એક ભવધારણીય શરીર હોય છે-ઇત્યાદિનો વિચાર કર્યો છે. “નવરં ૩ોલેજું તો રળીનો 'ત્તિ-પરનું ઉત્કૃષ્ટથી બે હાથ પ્રમાણ શરીર હોય છે. એ નવમાં રૈવેયકને વિશે એકત્રીશ સાગરોપમની સ્થિતિવાળા દેવોને આશ્રયી જાણવું. બાકીના સાગરોપમની સ્થિતિવાળાને વિશે આ પ્રમાણે છે–પહેલા રૈવેયકને વિશે જેઓની બાવીશ સાગરોપમની સ્થિતિ છે તેઓનું ત્રણ હાથ ભવધારણીય શરીર છે, જેઓની ત્યાં જ તેવીશ સાગરોપમની સ્થિતિ છે તેઓનું શરીર બે હાથ અને એક હાથના આઠ અગિયારાંશ પ્રમાણ છે. બીજા શૈવેયકમાં પણ જેઓની તેવીશ સાગરોપમની સ્થિતિ છે તેઓને એટલું જ ભવધારણીય શરીર હોય છે. જેઓની ત્યાં ચોવીશ સાગરોપમની સ્થિતિ છે તેઓને ભવધારણીય શરીર બે હાથ અને હાથના સાત અગિયારાંશ પ્રમાણ હોય છે. ત્રીજા રૈવેયકમાં પણ જેઓનીચોવીશ સાગરોપમની સ્થિતિ છે તેઓને એટલું જ ભવધારણીય શરીર હોય છે. જેઓની ત્યાં પચીશ સાગરોપમની સ્થિતિ છે તેઓને બે હાથ અને હાથના છ અગિયારાંશ ભવધારણીય શરીર હોય છે. ચોથા રૈવેયકને વિશે પણ જેઓની પચીશ સાગરોપમની સ્થિતિ છે. તેઓને એટલું જ ભવધારણીય શરીર હોય છે. જેઓની ત્યાં છવીશ સાગરોપમની સ્થિતિ છે તેઓને બે હાથ અને હાથના પાંચ અગિયારાંશ પ્રમાણ શરીર હોય છે. પાંચમા સૈવેયકમાં પણ જેઓની છવીશ સાગરોપમની સ્થિતિ છે તેઓને એટલુંજ ભવધારણીય શરીર હોય છે. જેઓની ત્યાં સત્યાવીશ સાગરોપમની સ્થિતિ છે તેઓને બે હાથ અને હાથના ચાર અગિયારાંશ ભવધારણીય શરીર હોય છે. છઠ્ઠા સૈવયકમાં પણ જેઓની સત્યાવીશ સાગરોપમની સ્થિતિ છે તેઓને એટલુંજ ભવધારણીય શરીર હોય છે. જેઓની ત્યાં અઠ્યાવીશ સાગરોપમની સ્થિતિ છે તેઓને બે હાથ અને હાથના ત્રણ અગિયારાંશ ભવધારણીય શરીર હોય છે. સાતમા રૈવયકમાં પણ જેઓની અઠ્યાવીશ સાગરોપમની સ્થિતિ છે તેઓને એટલુંજ શરીર હોય છે. જેઓની ત્યાં ઓગણત્રીશ 'સાગરોપમની સ્થિતિ છે તેઓને ભવધારણીય શરીર બે હાથ અને હાથના બે અગિયારાંશ પ્રમાણ હોય છે આઠમાં રૈવેયકમાં પણ જેઓની ઓગણત્રીશ સાગરોપમની સ્થિતિ છે તેઓને એટલુંજ શરીર હોય છે. જેઓની ત્યાં ત્રીશ સાગરોપમની સ્થિતિ છે, તેઓને બે હાથ અને એક હાથનો અગિયારમો ભાગ ભવધારણીય શરીર હોય છે. નવમાં નૈવેયકમાં જેઓની સ્થિતિ ત્રીશ સાગરોપમની છે તેઓને ભવધારણીય શરીર એટલુંજ હોય છે. જેઓની ત્યાં એકત્રીશ સાગરોપમની સ્થિતિ છે તેઓને પરિપૂર્ણ બે હાથનું ભવધારણીય શરીર હોય છે. “પર્વ અનુત્તરે' ઇત્યાદિ. એ પ્રમાણે–ચૈવેયક દેવોને કહ્યા પ્રમાણે અનુત્તરૌપપતિક દેવોને પણ સૂત્ર કહેવું. પરન્તુ ભવધારણીય શરીર ઉત્કૃષ્ટથી એક હાથ પ્રમાણ કહેવું. એ તેત્રીશ સાગરોપમની સ્થિતિવાળા દેવોને આશ્રયી જાણવું. જેઓની વિજયાદિ ચાર વિમાનને વિશે એકત્રીશ સાગરોપમની સ્થિતિ છે તેઓને સંપૂર્ણ બે હાથ પ્રમાણ ભવધારણીય શરીર હોય છે. જેઓની ત્યાં જ મધ્યમ બત્રીશ,સાગરોપમની સ્થિતિ છે તેઓને એક હાથ અને એક હાથનો અગિયારમો ભાગ ભવધારણીય શરીર હોય છે. જેઓની ત્યાં સવર્થસિદ્ધ મહાવિમાનમાં તેત્રીશ સાગરોપમની સ્થિતિ છે તેઓને એક હાથ ભવધારણીય શરીર હોય છે. જઘન્ય બધે આગળના અસંખ્યાત ભાગ પ્રમાણ જાણવું. ૭પ૭૫||
ITIEાર રિસરી વિદિતા || आहारगसरीरेणं भंते! कतिविहे पन्नत्ते? गोयमा! एगागारे पन्नत्ते।जदिएगागारे पण्णत्ते किंमणूस-आहारगसरीरे, अमणूसआहारगसरीरे? गोयमा! मणूसआहारगसरीरे, नो अमणूसआहारगसरीरे। जदिमणूसआहारगसरीरे किं सम्मुच्छिममणूसआहारगसरीरे, गब्भवक्कंतियमणूसआहारगसरीरे ? गोयमा! नो संमुच्छिममणूसआहारगसरीरे, गब्भवक्कंतियमणूसआहारगसरीरे। जइ गब्भवक्कंतियमणूसआहारगसरीरे किं कम्मभूमगगब्भवक्कंतियमणूसआहारगसरीरे,अकम्मभूमगगब्भवक्कंतियमणूसआहारगसरीरे, अंतरद्दीवगगब्भवक्कंतियमणूसआहरगसरीरे? गोयमा! कम्मभूमगगब्भवक्कंतियमणुसआहारगसरीरे, नो अकम्मभूमगगब्भवक्कंतियमणुसआहारग सरीरे, नो . 152