SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ वीसइमं अंतकिरियापयं वीसइमंपयस्स असण्णिआउयपरूवणं श्री प्रज्ञापना सूत्र भाग २ ખૈરયિકનું આયુષ્ય બાંધતો જઘન્યથી દસ હજાર વરસ અને ઉત્કૃષ્ટ પલ્યોપમના અસંખ્યાતમા ભાગનું આયુષ્ય બાંધે. તિર્યંચનું આયુષ્ય બાંધતો જઘન્ય અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ પલ્યોપમના અસંખ્યાતમા ભાગનું આયુષ્ય બાંધે. એ પ્રમાણે મનુષ્યાયુષ્ય સંબંધે પણ જાણવું. દેવાયુષ્ય નૈરયિકના આયુષ્યની પેઠે જાણવું. હે ભગવન્! એ નૈરિયક અસંશી આયુષ્ય, યાવત્ દેવઅસંશી આયુષ્યમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે? હે ગૌતમ! સૌથી થોડું દેવઅસંશી આયુષ્ય બાંધે છે, તેથી મનુષ્યઅસંશી આયુષ્ય અસંખ્યાતગુણ છે, તેથી તિર્યંચ અસંશી આયુષ્ય અસંખ્યાતગુણ છે, અને તેથી નૈયિક અસંજ્ઞી આયુષ્ય અસંખ્યાતગુણ છે. ।।૧૩૫૬૮॥ પ્રજ્ઞાપના ભગવતીમાં વીશમું અન્તક્રિયાપદ સમાપ્ત. (ટી૦) અસંશી દેવોમાં ઉત્પન્ન થાય છે એમ કહેવામાં આવ્યું છે અને તે દેવોમાં આયુષ્ય વડે ઉપજે છે માટે અસંજ્ઞીઆયુષ્યનું નિરૂપણ કરે છે—‘વિદે મંતે'! ઇત્યાદિ. અસંશી છતાં પરભવને યોગ્ય આયુષ્ય બાંધે તે અસંજ્ઞી આયુષ્ય કહેવાય છે. ‘નેરશ્ય અસનિમાÇ'નૈરયિકને યોગ્ય અસંજ્ઞીએ બાંધેલું આયુષ્ય નૈરયિક અસંજ્ઞી આયુષ્ય કહેવાય છે. એમ બીજા આયુષ્ય પણ જાણવાં. અહીં અસંશીઆયુષ્ય અસંશીઅવસ્થામાં અનુભવાતું આયુષ્ય પણ કહેવાય, પરન્તુ અહીં તેનો પ્રસંગ નથી, માટે અસંશીએ કરેલું–બાંધેલું આયુષ્ય તે અસંશીઆયુષ્ય-એવા પ્રકારના સંબવિશેષને જણાવવા માટે કહે છે—અસન્નીન' ઇત્યાદિ. અસંશી આયુષ્ય બાંધતો રત્નપ્રભાના પ્રથમ પ્રસ્તટને આશ્રયી દસ હજાર વર્ષનું આયુષ્ય ‘વરેફ' બાંધે છે. અને ‘ઉત્કૃષ્ટ પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ બાંધે છે'. આ રત્નપ્રભાના ચોથા પ્રતરમાં મધ્યમ સ્થિતિવાળા નારકને આશ્રયી જાણવું. પ્રથમ પ્રસ્તરમાં જઘન્ય સ્થિતિ દસ હજાર વરસ, અને ઉત્કૃષ્ટ નેવું હજાર, બીજા પ્રત૨માં જઘન્ય સ્થિતિ દસ લાખ અને ઉત્કૃષ્ટ નેવું લાખ, એજ ત્રીજા પ્રતરની જઘન્ય સ્થિતિ અને ઉત્કૃષ્ટ પૂર્વકોટી વરસ, એવં ચોથા પ્રતરમાં જઘન્ય સ્થિતિ અને ઉત્કૃષ્ટ સાગરોપમનો દસમો ભાગ, તેથી અહીં પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ મધ્યમ સ્થિતિ સમજવી. તિર્યંચ સૂત્રમાં પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ યુગલિક તિર્યંચોને આશ્રયી જાણવો. ‘ ́ મનુઞયંપિ' એમ મનુષ્યાયુષ્ય પણ જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ સમજવો. અહિં પણ પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ યુગલિક મનુષ્યને આશ્રયી જાણવો. દેવાયુષ્ય નૈરયિકાયુષ્યની પેઠે જાણવું. જેમ નૈરયિકાસંજ્ઞીઆયુષ્ય જઘન્યથી દસ હજાર વરસ અને ઉત્કૃષ્ટથી પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ કહ્યું છે તેમ દેવાસંશીઆયુષ્ય કહેવું. અહીં અસંશી આયુષ્યનું અલ્પબહુત્વ કહેવામાં આવ્યું છે તે આયુષ્યના ટુંકાપણા અને દીર્ઘપણાને આશ્રયી સમજવું. પ્રજ્ઞાપના ટીકાના અનુવાદમાં વીસમું અન્તક્રિયાપદ સમાપ્ત., અરિહંત ભગવંતે પરિગ્રહધારીને દુર્ગતિમાં જવું જ પડે એમ નથી કહ્યું પણ એમ તો કહ્યું જ છે કે પરિગ્રહ એ દુર્ગતિમાં લઈ જવાની શક્યતા ધરાવનારો એક ગ્રહ છે. અરિહંત ભગવંતે આસક્તિને જ પરિગ્રહ કહ્યો છે. એ વાત સાચી પણ એમણે પરિગ્રહમાં આસક્તિને ઉત્પન્ન કરાવવાની તાકાત પડી છે એમ પણ કહ્યું છે. એ પરિગ્રહધારીયોએ ભુલવું ન જોઈએ. અરિહંત ભગવંતના શાસનના પંચપરમેષ્ઠિ પદમાં સ્થાન મેળવનાર આત્મા પોતાને અરિહંતથી અધિક બતાવવાની બાલિશચેષ્ટા કરે જ નહીં અને બીજા કોઈ પોતાને અરિહંતથી અધિક માનવાની ચેષ્ટા કરતા હોય તો એને ચલાવી લે નહીં. · જયાનંદ 129
SR No.005762
Book TitlePragnapana Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri, Jayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages404
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_pragyapana
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy