SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ श्री प्रज्ञापना सूत्र भाग २ वीसइमं अंतकिरियापयं वीसइमपयस्स अत्थाहिगारा पढमं अंतकिरिया बीयं अणंतर किरियादारं वि अंतकिरियं पकरेंति, परंपरागया वि अंतकिरियं पकरेंति। तेउ-वाउ-बेइंदिय-तेइंदिय-चरिंदिया णो अणंतरागया अंतकिरियं पकरेंति, परंपरागया अंतकिरियं पकरेंति। सेसा अणंतरागया वि अंतकिरियं पकरेंति, परंपरागया वि अंतकिरियं पकरेंति ।।सू०-२।।५५७।। (મૂળ) હે ભગવન્! નૈરયિકો અનન્તર–તરત પછીના ભવમાં આવેલા અન્તક્રિયા કરે કે પરંપરાએ આવેલા અત્તક્રિયા કરે? હે ગૌતમ! અનન્તર–પછીના ભાવમાં આવેલા પણ અન્તક્રિયા કરે અને પરંપરાએ આવેલા પણ અન્તક્રિયા કરે. એ પ્રમાણે રત્નપ્રભાપૃથિવીના નૈરયિકો યાવત્ પંકપ્રભાના નૈરયિકો અન્તક્રિયા કરે. ધૂમપ્રભા પૃથિવીના નરયિકો સંબંધ પૃચ્છા. હે ગૌતમ! અનન્તર-તુરત પછીના ભાવમાં આવેલા અન્તક્રિયા ન કરે, પણ પરંપરાએ આવેલા અન્તક્રિયા કરે. એ પ્રમાણે નીચેની સાતમી પૃથિવીના નૈરયિકો સુધી જાણવું. અસુરકુમારો યાવત્ સ્વનિતકુમારો, પૃથિવીકાયિકો, અષ્કાયિકો અને વનસ્પતિકાયિકો તુરત પછીના ભાવમાં આવેલા પણ અન્તક્રિયા કરે અને પરંપરાથી આવેલા પણ અન્તક્રિયા કરે. તેજસ્કાય, વાયુકાય, બેઈન્દ્રિય, ઇન્દ્રિય અને ચઉરિન્દ્રિયો પછીના ભવમાં આવેલા અન્તક્રિયા ન કરે, પણ પરંપરાએ આવેલા અન્તક્રિયા કરે. બાકીના જીવો પછીના ભાવમાં આવેલા પણ અન્તક્રિયા કરે અને પરંપરાએ આવેલા પણ અન્તક્રિયા કરે. /ર //૫૫૭ll. (ટી)) તેમાં પ્રથમ અન્તક્રિયાને કહેવાની ઇચ્છાવાળા સૂત્રકાર કહે છે–“નીવે અંતે!' ઇત્યાદિ. અન્ત-અવસાન, નાશ, અહીં પ્રસંગથી કર્મનો નાશ જાણવો, તેનું ક્રિયા-કરવું. કર્મનો નાશ કરવો તે અન્તક્રિયા. અન્ય આગમમાં અન્તક્રિયાશબ્દ મોક્ષ અર્થમાં રૂઢ-પ્રસિદ્ધ છે. કારણ કે “વૃત્નવર્નક્ષયાત્ મોક્ષ " (તત્ત્વાર્થ અ૦ સૂ૦) એવું શાસ્ત્રવચન છે. હે ભગવન્! જીવ અન્તક્રિયા કરે? ભગવાન્ ઉત્તર આપે છે હે ગૌતમ! “ અ રે ય: –કોઈ જીવ છે જે કરે', “મો યો ને કુર્યા–કોઈ જીવ છે જે કરતો નથી”. અર્થાત્ કોઇ કરે છે અને કોઇ કરતો નથી. તાત્પર્ય એ છે કે જે તથાવિધ ભવ્યત્વના પરિપાક થવાથી મનુષ્ય ભવ વગેરે પૂર્ણ સામગ્રી પામીને અને તે સામગ્રીના સામર્થ્યથી ઉત્પન્ન થયેલ અતિપ્રબલ વર્ષોલ્લાસ વડે ક્ષપકશ્રેણિ ઉપર આરૂઢ થઈ કેવળ જ્ઞાન પામી અઘાતી કર્મોનો પણ ક્ષય કરે છે તે અન્તક્રિયા કરે, બીજા તેથી વિપરીત હોવાથી ન કરે. એ પ્રમાણે નૈરયિકાદિ ચોવીશ દંડકના ક્રમથી વૈમાનિક સુધી વિચારવું. સૂત્રપાઠ આ પ્રમાણે છે–ફા અંતે! મંતરિયું રેન્ના? mયમ! અલ્યાફા રેન્ના, ગન્ધારૂપ નો રેનના' ઇત્યાદિ. હે ભગવન્! નરયિક અન્તક્રિયા કરે? હે ગૌતમ! કોઈ કરે અને કોઈ ન કરે વગેરે. હવે નૈરયિકોમાં વર્તતો અન્તક્રિયા કરે કે ન કરે? એ સંબંધ પ્રશ્ન - કરવાની ઇચ્છાવાળા સૂત્રકાર આ સૂત્ર કહે છે-“મેરફ મંતે'!-ઇત્યાદિ ભગવાન્ ઉત્તર કહે છે–હે ગૌતમ! એ અર્થ સમર્થ-યુક્તિયુક્ત નથી. કારણ કે અહીં સર્વ કર્મનો ક્ષય પ્રકર્ષને પ્રાપ્ત થયેલા સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્રના સમુદાયથી થાય છે, પરન્તુ નૈરયિકાવસ્થામાં તેવા પ્રકારના ભવસ્વભાવથી ચારિત્રનો પરિણામ હોતો નથી. એ પ્રમાણે અસુરકમારથી માંડી વૈમાનિક સુધીમાં પ્રતિષેધ કરવો. પરન્ત મનુષ્યોમાં આવેલો કોઈ અન્તક્રિયા કરે કે જેને ચારિત્રાદિની સામગ્રી પરિપૂર્ણ પ્રાપ્ત થઈ હોય અને જે તેનાથી રહિત હોય તે ન કરે. એ પ્રમાણે અસુરકુમારથી માંડી વૈમાનિક સુધીના પ્રત્યેક નરયિકાદિ ચોવીશ દંડકના અનુક્રમથી કહેવા. એ પ્રમાણે એ ચોવીશ વાર ચોવીશ દંડકો થાય છે. હવે એ નૈરયિકાદિ પોતપોતાના ભવ પછીના મનુષ્યભવમાં આવી અન્તક્રિયા કરે કે તિર્યંચાદિના ભવોના અત્તર વડે પરંપરાએ આવેલા પણ અન્તક્રિયા કરે એ નિરૂપણ કરવાની ઇચ્છાવાળા સૂત્રકાર કહે છે–“નેરફયા જે અંતે'! ઇત્યાદિ પ્રશ્નસૂત્ર સુગમ છે. ભગવાન્ ઉત્તર આપે છે– હે ગૌતમ! તુરત પછીના ભવમાં આવીને પણ અન્તક્રિયા કરે અને પરંપરાએ આવીને પણ અન્તક્રિયા કરે. તેમાં રત્નપ્રભા, શર્કરપ્રભા, વાલુકાપ્રભા અને પંકપ્રભાથી તુરત આવીને પણ કરે અને પરંપરાએ આવીને પણ કરે. અને ધૂમપ્રભાપૃથિવીથી તેવા પ્રકારના ભવસ્વભાવથી પરંપરાએ આવેલા જ અન્તક્રિયા કરે. એજ વિશેષને પ્રતિપાદન કરવાની ઇચ્છાવાળા સૂત્રકાર સાત સૂત્રો કહે 114
SR No.005762
Book TitlePragnapana Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri, Jayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages404
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_pragyapana
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy