SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ अट्ठारसमं कायठिइपयं अत्थाहिगारपरूवणं तेरसमं उवओग-चोद्दसमं आहारदारं श्री प्रज्ञापना सूत्र भाग २ असंखेज्जतिभागं। केवलिआहारए णं भंते! केवलिआहारए त्ति कालतो केवचिरं होइ? गोयमा! जहन्नेणं अंतोमुहत्तं, उक्कोसेणं देसूणं पुव्वकोडिं। अणाहारए णं भंते! अणाहारए त्ति कालओ केवचिरं होइ? गोयमा! अणाहारए दुविहे पन्नत्ते,तंजहा-छउमत्थअणाहारए य केवलिअणाहारए या छउमत्थअणाहारए णं भंते! पुच्छा। गोयमा!जहन्नेणं एगसमयं, उक्कोसेणं दो समया।केवलिअणाहारए णं भंते! केवलि०? गोयमा! केवलिअणाहारए दुविधे पन्नत्ते, तं जहा-सिद्धकेवलिअणाहारए य भवत्थकेवलिअणाहारए या सिद्धकेवलिअणाहारए णं पुच्छा। गोयमा!सादीए अपज्जवसिए। भवत्थकेवलिअणाहारए णं भंते! पुच्छा। गोयमा! भवत्थकेवलिअणाहारए दुविधे पन्नत्ते, तंजहा-सजोगिभवत्थकेवलिअणाहारए य अजोगिभवत्थकेवलि अणाहारए या सजोगिभवत्थकेवलिअणाहारए णं भंते! पुच्छा। गोयमा! अजहण्णमणुक्कोसेणं तिण्णि समया। अजोगिभवत्थकेवलिअणाहारए णं पुच्छा। गोयमा! जहन्नेण वि उक्कोसेण वि अंतोमुहत्तं। दारं १४। ।।सू०-१५।।५४६।। (મૂળ) હે ભગવન્! આહારક આહારક એ રૂપે ક્યાં સુધી હોય? હે ગૌતમ! આહારક બે પ્રકારે છે. તે આ પ્રમાણે-છપ્રસ્થ આહારક અને કેવલી આહારક. હે ભગવન્! છદ્મસ્થ આહારક ‘છદ્મસ્થ આહારક’ એ રૂપે કાળથી ક્યાં સુધી હોય? હે ગૌતમ! જઘન્યથી બે સમય ન્યૂન સુલ્લક ભવ (બસો છપ્પન આવલિકા) સુધી અને ઉત્કૃષ્ટ અસંખ્યાતો કાળ એટલે કાળથી અસંખ્યાતી ઉત્સર્પિણી અવસર્પિણી અને ક્ષેત્રથી અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ કાળ સુધી હોય છે. હે ભગવન્! કેવલી આહારક કેવલી આહારક” એ રૂપે કાળથી ક્યાં સુધી હોય? હે ગૌતમ! જેઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ કંઈક ન્યૂન પૂર્વકોટી વર્ષ સુધી હોય. હે ભગવન્! અનાહારક “અનાહારક એ રૂપે ક્યાં સુધી હોય? હે ગૌતમ! અનાહારક બે પ્રકારે છે. તે આ પ્રમાણે-છદ્મસ્થ અનાહારક અને કેવલી અનાહારક. હે ભગવન્! છદ્મસ્થ અનાહારક ક્યાં સુધી હોય? હે ગૌતમ! જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ એ સમય સુધી હોય. હે ભગવન્! કેવલી અનાહારક કેવલી અનાહારક’ એ રૂપે ક્યાં સુધી હોય? હે ગૌતમ! કેવલી- અનાહારક બે પ્રકારે છે. તે આ પ્રમાણેસિદ્ધ કેવલી અનાહારક અને ભવસ્થ કેવલી અનાહારક. સિદ્ધ કેવલી અનાહારક સંબંધે પૃચ્છા. હે ગૌતમ! સાદિ અનન્ત કાળ હોય. હે ભગવન્! ભવસ્થ કેવલી અનાહારક ક્યાં સુધી હોય? હે ગૌતમ! ભવસ્થ કેવલી અનાહારક બે પ્રકારે છે. તે આ પ્રમાણે–સયોગી ભવસ્થ કેવલી અનાહારક અને અયોગી ભવસ્થ કેવલી અનાહારક. હે ભગવન્! સયોગી ભવસ્થ કેવલી અનાહારક ક્યાં સુધી હોય? હે ગૌતમ! જઘન્ય અને ઉત્કૃષ્ટ સિવાય ત્રણ સમય સુધી હોય. અયોગી ભવસ્થ કેવલી અનાહારક સંબંધે પૃચ્છા. હે ગૌતમ! જઘન્ય અને ઉત્કૃષ્ટ સિવાય અન્તર્મુહૂર્ત સુધી હોય. (દ્વાર ૧૪) //૧૫/પ૪૬// (ટી.) હવે આહારકતાર કહે છે, તેમાં આ પ્રથમ સૂત્ર છે—ગાહીર અંતે'!–હે ભગવન્! આહારક કેટલા કાળ સુધી હોય-ઈત્યાદિ સત્ર સંગમ છે, પરન્ત ‘નહvi g"મવાહ કુમયિ]' ઇતિ–જઘન્યથી બે સમય ન્યૂન ક્ષક ભવ સુધી હોય છે, અહીં યદ્યપિ ચાર સમયની અને પાંચ સમયની વિગ્રહગતિ હોય છે. એ સંબંધે કહ્યું છે "उजुया य एगवंका दुहतोवंका गती विणिदिट्ठा । जुज्जइ तिचउवंकावि नाम चउपंचसमयाओ ॥" જુ ગતિ, એક સમયની અને બે સમયની વક્રગતિ કહેલી છે. તથા ત્રણ ચાર સમયની વક્રગતિ અને ચાર, પાંચ સમયની પણ વક્રગતિ ઘટી શકે છે. તો પણ બહુધા બે સમયની કે ત્રણ સમયની વક્રગતિ હોય છે, પણ ચાર, પાંચ સમયની વક્રગતિ હોતી નથી માટે તેની વિવક્ષા કરી નથી. તેમાં ઉત્કૃષ્ટથી ત્રણ સમયની વક્રગતિમાં આદિના બે સમય અનાહારક હોય છે. તેથી આહારકપણાના વિચારમાં બે સમય ન્યૂન ક્ષુલ્લકભવનું ગ્રહણ કર્યું છે. અજુગતિ અને એક સમયની વક્રગતિની વિવક્ષા કરી નથી, કેમ કે અહીં સૌથી જઘન્યનો વિચાર છે. “ઉત્કૃષ્ટથી અસંખ્યાતો કાળ છે? – ઇત્યાદિ બધું સુગમ છે, પરન્તુ 107
SR No.005762
Book TitlePragnapana Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri, Jayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages404
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_pragyapana
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy