SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ अट्ठारसमं कायठिइपयं अत्थाहिगारपरूवणं बारसमं संजयदारं श्री प्रज्ञापना सूत्र भाग २ વચ્ચે સમ્યક્તનું પ્રતિપાદન કરો છો? (૧૦)–અહીં વિભંગ જ્ઞાનની સ્થિતિ ઉત્કૃષ્ટથી પણ કંઈક ન્યૂન પૂર્વકોટી અધિક તેત્રીશ સાગરોપમની છે, અને તે પ્રમાણે પૂર્વે કહ્યું છે કે “વિનાની ના પર્વ સમયે ૩ોલે તેરીએ સારવારે સૂણા પુષ્યોડી મભયારું'' ઇતિા વિર્ભાગજ્ઞાની જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટ કાંઈક ન્યૂન પૂર્વકોટી અધિક તેત્રીશ સાગરોપમ સુધી હોય છે. તેથી એટલા કાળ સુધી નિરંતર વિભંગ જ્ઞાન નહિ રહેતું હોવાથી વચ્ચે સમ્યક્ત પ્રાપ્ત કરે છે. ત્યાર પછી અપતિત વિભજ્ઞાન સહિત જ મનુષ્યપણું પામી સંયમને પાળી બે વાર વિજયાદિમાં ઉત્પન્ન થાય ત્યારે બીજા છાસઠ સાગરોપમ સમ્યગ્દષ્ટિને હોય છે. એ પ્રમાણે અવધિદર્શનનો કાળ બે છાસઠ–એકસો બત્રીશ સાગરોપમ છે. (પ્ર)વિભંગ જ્ઞાનની અવસ્થામાં અવધિદર્શનનો કર્મપ્રકૃતિ વગેરે ગ્રન્થોમાં નિષેધ કર્યો છે તો વિભંગશાનના સદ્ભાવમાં અવધિદર્શન કેમ હોય? (૧૦)–એમ માનવામાં દોષ નથી, કારણ કે સુત્રમાં વિલંગ અવસ્થામાં પણ અવધિદર્શન પ્રતિપાદન કરેલું છે. તે આ પ્રમાણે–આ સૂત્રનો અભિપ્રાય છે કે વિશેષ વિષયક વિભંગ જ્ઞાન અને સામાન્ય વિષયક અવધિદર્શન હોય છે. જેમ સમ્યગ્દષ્ટિને વિશેષ વિષયક અવધિજ્ઞાન અને સામાન્ય વિષયક અવધિદર્શન હોય છે. કેવળ વિર્ભાગજ્ઞાનીને પણ અવધિદર્શન . હોય છે, તે અનાકારમાત્ર-સામાન્ય માત્ર વિષયક હોવાથી અવધિજ્ઞાનીના અવધિદર્શન જેવું છે, માટે તે પણ અવધિદર્શન કહેવાય છે. પણ વિભંગદર્શન કહેવાતું નથી. મૂલટીકાકાર એ વિચાર સંબંધે કહે છે–“હંસા ૧ વિખેરી નો 17મેવ તો તો છેવટ્ટીગો સાફોગાગો' ઇતિા જેથી દર્શન વિભંગ અને અવધિજ્ઞાનને તુલ્ય છે. માટે કાંઈક અધિક બે છાસઠ સાગરોપમ કાળ થાય છે. તેથી અમે પણ વિર્ભાગજ્ઞાનમાં અવધિદર્શનનો વિચાર કર્યો છે. કાર્મગ્રન્થિકો કહે છે કે યદ્યપિ સાકાર અને અનાકાર રૂપ વિશેષતા હોવાથી વિર્ભાગજ્ઞાન અને અવધિદર્શન જુદું છે, તો પણ વિર્ભાગજ્ઞાન વડે યથાર્થ નિશ્ચય થતો નથી, કારણ કે તે મિથ્યાત્વરૂપ છે, તેમ અવધિદર્શન વડે સમ્યગનિર્ણય થતો નથી, કારણ કે તે અનાકારમાત્ર છે માટે વિભંગણાનથી અવધિદર્શનની જુદી વિવેક્ષા કરવાનું કંઈપણ પ્રયોજન નથી. તેના અભિપ્રાયથી વિલંગ અવસ્થામાં અવધિદર્શન હોતું નથી. આ સ્વમતિકલ્પિત નથી, પૂર્વાચાર્યોએ પણ એવા પ્રકારના મતવિભાગની વ્યવસ્થા કરી છે. વિશેષણવતીમાં પૂજ્ય જિનભદ્રગણિ ક્ષમાશ્રમણે કહ્યું છે કે "सुत्ते विभंगस्स वि परूवियं ओहिदसणं बहुसो। कीस पुणो पडिसिद्धं कम्मपगडीपगरणम्मि ॥ विभंगेवि दरिसणं सामन्नविसेसविसयओ सुत्ते। तं चऽविसिट्ठमणागारमेत्तं तोऽवहिविभंगाणं ॥ મૂડીમયે પુખ સારેયવિલેસમાવિા વિમેનાગવંસ વિસામણછચત્તાગો" [વિશેષ ગા૦૧૦૪-૧૦૬] સૂત્રમાં વિલંગને પણ અવધિદર્શન બહુવાર જણાવ્યું છે, તો કર્મપ્રકૃતિ પ્રકરણમાં શા માટે તેનો નિષેધ કર્યો છે? સૂત્રમાં સામાન્ય અને વિશેષરૂપ વિષયવડે વિભંગને પણ દર્શન હોય છે અને તે દર્શન અનાકારમાત્ર હોવાથી અવધિ અને વિભંગને અવધિદર્શન અવિશિષ્ટ (વિશેષતા સિવાય) હોય છે. કર્મપ્રકૃતિનો મત આ છે કે સાકાર અને અનાકારની વિશેષતા છતાં પણ અનિશ્ચયપણાથી વિર્ભાગજ્ઞાન અને દર્શનની વિશેષતા નથી. બીજા આચાર્યો વ્યાખ્યા કરે છે કે-સાતમી નરકમૃથિવીના નિવાસી નારકોની કલ્પના કરવાનું શું પ્રયોજન છે? સામાન્ય રીતે નારક, તિર્યંચ, મનુષ્ય અને દેવ ભવમાં પર્યટન કરતા અવધિજ્ઞાન અને વિભંગશાન એટલા કાળ સુધી હોય છે. ત્યાર પછી મોક્ષ પ્રાપ્ત થાય છે. કેવળદર્શનીનું સૂત્ર કેવળજ્ઞાનીના સૂત્રની પેઠે વિચારવું. દર્શનદ્વાર સમાપ્ત. ll૧૨I૫૪૩ || વીરરસનં રjનથવારે || संजए णं भंते! संजते त्ति पुच्छा। गोयमा! जहन्नेणं एगं समयं, उक्कोसेणं देसूणं पुव्वकोडिं। असंजते णं भंते! असंजए त्ति पुच्छा। गोयमा! असंजते तिविधे पन्नत्ते, तं जहा-अणादिए वा अपज्जवसिते, अणादिए वा सपज्जवसिते, सातीए वा सपज्जवसिते। तत्थ णंजे से सातीए सपज्जवसिते से जहन्नेणं अंतोमुहुत्तं, उक्कोसेणं '105
SR No.005762
Book TitlePragnapana Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri, Jayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages404
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_pragyapana
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy