SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ अट्ठारसमं कायठिइपयं अत्थाहिगारपरूवणं अट्ठमं लेस्सादारं श्री प्रज्ञापना सूत्र भाग २ (મૂળ) હે ભગવન્ સકષાયી (કષાય સહિત) ‘સકષાયી' એ રૂપે કાળથી ક્યાં સુધી હોય? હે ગૌતમ! સકષાયી ત્રણ પ્રકારના છે. તે આ પ્રમાણે−૧ અનાદિ અનન્ત, ૨ અનાદિ સાન્ત અને સાદિ સાન્ત. તે યાવત્ કંઇક ન્યૂન અર્ધ પુદ્ગલપરાવર્ત સુધી હોય છે. હે ભગવન્! ક્રોધકષાયી–ઇત્યાદિ પૃચ્છા. હે ગૌતમ! જઘન્ય અને ઉત્કૃષ્ટ અન્તર્મુહૂર્ત સુધી હોય. એ પ્રમાણે માનકષાયી અને માયાકષાયી જાણવા. હે ભગવન્! લોભકષાયી ‘લોભકષાયી’ એ રૂપે ક્યાં સુધી હોય? હે ગૌતમ! જઘન્ય એક સમય, અને ઉત્કૃષ્ટ અન્તર્મુહૂર્ત સુધી હોય. હે ભગવન્! અકષાયી (કષાય રહિત) ‘અકષાયી’ એ રૂપે કાળથી ક્યાં સુધી હોય? હે ગૌતમ! અકષાયી બે પ્રકારના છે, તે આ પ્રમાણે—સાદિ અનન્ત અને સાદિ સાન્ત. તેમાં જે સાદિ સાન્ત છે તે જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અન્તર્મુહૂર્ત સુધી હોય. (દ્વાર ૭) ૫૮૫૩૯. (ટી) વેદદ્વાર કહ્યું, હવે કષાયદ્વાર કહે છે–તેમાં આ પ્રથમ સૂત્ર છે—‘સસારૂં ં મંતે'! ઇત્યાદિ. સહ-વિદ્યમાન છે કષાય જેઓને તે સકષાય–જીવના પરિણામ વિશેષ, તેવા પરિણામ જેઓને છે તે સકષાયી—કષાયસહિત પરિણામવાળા જીવો. આ બધું સૂત્ર પણ સર્વેદ સૂત્રની પેઠે સામાન્યપણે વિચારવું. કારણ કે તે સમાન ભાવના વડે કહેલું છે. ‘જોહ સારૂં નું મંતે'! ઇત્યાદિ. ક્રોધકષાયી જઘન્યથી પણ અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી પણ અન્તર્મુહૂર્ત સુધી હોય છે. કારણ કે તે ક્રોધકષાયનો ઉપયોગ જઘન્યથી અને ઉત્કૃષ્ટથી પણ અન્તર્મુહૂર્ત પ્રમાણ છે કારણ કે તેવા પ્રકારનો જીવસ્વભાવ છે. આ ચારે સૂત્ર `પણ ક્રોધાદિના વિશિષ્ટ ઉપયોગની અપેક્ષાએ છે. લોભકષાયી જઘન્યથી એક સમય પર્યન્ત હોય છે. જ્યારે કોઇ ઉપશમક– ઉપશમાવનાર ઉપશમશ્રેણિના અન્ને ઉપશાન્ત વીતરાગ થઇને શ્રેણિથી પડતો લોભના અણુઓને પ્રથમ સમયે વેદતો કાળ કરીને દેવલોકમાં ઉત્પન્ન થાય અને ત્યાં ઉત્પન્ન થતો ક્રોધકષાયી, માનકષાયી કે માયાકષાયી હોય ત્યારે એક સમય પર્યન્ત લોભકષાયી હોય છે. જો એમ છે તો ક્રોધાદિનો પણ કાળ એક સમય કેમ ન હોય? તેવા પ્રકારના જીવસ્વભાવથી ન હોય. તે આ પ્રમાણે–શ્રેણિથી પડતો માયાના અણુઓને વેદવાના પ્રથમ સમયે, માનના અણુઓના વેદવાના પ્રથમ સમયે ક્રોધના અણુઓના વેદવાના પ્રથમ સમયે જો કાળ કરે અને કાળ કરીને દેવલોકમાં ઉત્પન્ન થાય તો પણ તેવા પ્રકારના સ્વભાવથી જે કષાયોદય વડે કાળ કર્યો હતો તે કષાયોદયને ત્યાં પણ પ્રાપ્ત થઇ અન્તર્મુહૂર્ત સુધી વેદે. અને એ આ સૂત્રના પ્રામાણ્યથી જણાય છે, માટે ક્રોધાદિને વિષે અનેક સમયો હોય છે. અકષાય સૂત્ર અવેદ સૂત્રની જેમ જાણવું. કષાયદ્વાર સમાપ્ત થયું. ૧૮૫૩૯॥ || અઠ્ઠમ તેરસાવા || सलेस्से णं भंते! सलेस्से त्ति पुच्छा। गोयमा ! सलेस्से दुविधे पन्नत्ते, तं जहा - अणादीए वा अपज्जवसिते, अणादीए वा सपज्जवसिते । कण्हलेस्से णं भंते! कण्हलेस्से त्ति कालतो केवचिरं होइ ? गोयमा ! जहन्नेणं अंतोमुहुत्तं, उक्कोसेणं तेत्तीसं सागरोवमाई अंतोमुहुत्तमब्भइयाई । नीललेस्सं णं भंते! नीललेस्से त्ति पुच्छा। गोयमा ! जहन्नेणं अंतोमुहुत्तं, उक्कोसेणं दस सागरोवमाई पलितोवमासंखिज्जइभागमब्भइया । काउलेस्से णं पुच्छा। गोयमा! जहन्नेणं अंतोमुहुत्तं, उक्कोसेणं तिण्णि सागरोवमाइं पलितोवमासंखिज्जति भागमब्भइयाई। तेलेस्से णं पुच्छा । गोयमा ! जहन्नेणं अंतोमुहुत्तं, उक्कोसेणं दो सागरोवमाइं पलितोवमासंखिज्जति भागमब्भइयाई । पम्हलेस्से णं पुच्छा। गोयमा! जहन्नेणं अंतोमुहुत्तं, उक्कोसेणं दस सागरोवमाई अंतोमुहुत्तमब्भइया । सुक्कलेस्से णं पुच्छा। गोयमा! जहन्नेणं अंतोमुहुत्तं उक्कोसेणं तेत्तीसं सागरोवमाई अंतोमुहुत्तमब्भइयाई। अलेस्से णं पुच्छा। નોયમા! સારી અપન્નવસિતે। વારં૮ ।।સૂ॰-૧||૪|| (મૂળ) હે ભગવન્! સલેશ્ય (લેશ્યા સહિત) ‘સલેશ્ય' એ રૂપે ક્યાં સુધી હોય? હે ગૌતમ! સલેશ્ય બે પ્રકારના છે. તે આ પ્રમાણે—અનાદિ અનન્ત અને અનાદિ સાન્ત. હે ભગવન્! કૃષ્ણલેશ્યાવાળો ‘કૃષ્ણલેશ્યાવાળો' એ રૂપે કાળથી ક્યાં સુધી હોય? હે ગૌતમ! જઘન્ય અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અન્તર્મુહૂર્ત અધિક તેત્રીશ સાગરોપમ સુધી હોય. હે ભગવન્! 99
SR No.005762
Book TitlePragnapana Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri, Jayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages404
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_pragyapana
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy