SearchBrowseAboutContactDonate
Page Preview
Page 523
Loading...
Download File
Download File
Page Text
________________ श्री प्रज्ञापना सूत्र भाग १ पन्नरसं इंदियपयं पढमो उद्देसो पुट्ठदारं-पविट्ठदारं (મૂ૦) હે ભગવન્! સ્પષ્ટ-સ્પર્શ કરાયેલા-ઇન્દ્રિયના સંબંધને પ્રાપ્ત થયેલા શબ્દો સાંભળે કે અસ્પષ્ટ–નહિ સ્પર્શ કરાયેલા શબ્દો સાંભળે? હે ગૌતમ! સ્પષ્ટ શબ્દો સાંભળે, પણ અસ્પષ્ટ શબ્દો ન સાંભળે. હે ભગવન્! સ્પષ્ટ રૂપ જુએ કે અસ્પષ્ટ રૂપ જુએ? હે ગૌતમ! સ્પષ્ટ રૂપ ન જુએ પણ અસ્પષ્ટ રૂપ જુએ. હે ભગવન્! સ્પષ્ટ ગબ્ધ સુંઘે કે અસ્પષ્ટ ગન્ય સુંઘે? હે ગૌતમ! પૃષ્ટ ગબ્ધ સુંઘે, પણ અસ્કૃષ્ટ ગબ્ધ ન સુધે. એ પ્રમાણે રસ અને સ્પર્શ સંબન્ધ પણ જાણવું. પરન્તુ “રસ આસ્વાદે છે અને સ્પર્શને વેદે છે' એ પાઠ કહેવો. હે ભગવન્! પ્રવિષ્ટ-ઈન્દ્રિયોમાં પ્રવેશ કરેલા શબ્દ સાંભળે કે અપ્રવિષ્ટ શબ્દ સાંભળે? હે ગૌતમ! પ્રવિષ્ટ શબ્દ સાંભળે. પણ અપ્રવિષ્ટ શબ્દ ન સાંભળે-ઇત્યાદિ જેમ સ્કૃષ્ટ સંબંધે કહ્યું તેમ પ્રવિષ્ટ સંબંધે જાણવું. /૧૩૪૩૭ll (ટી) હવે ધૃષ્ટદ્વાર કહે છે-“પુકારું મંત! સારું સુપતિ' પ્રાકૃત હોવાથી સૂત્રમાં “શબ્દ' નપુંસકલિંગ છે, અન્યથા સંસ્કૃત ભાષામાં “શબ્દ' પુલિંગ હોય છે. અહીં ‘શ્રોત્રેન્દ્રિય' એ કર્તવાચક પદ અથપત્તિગમ્ય છે. હે ભગવન્! શ્રોત્રેન્દ્રિય સ્પષ્ટ શબ્દોને સાંભળે? તેમાં “પૃશ્યતે રૂતિ ગૃાર' શરીર ઉપર ધૂલકણની પેઠે જેનો શ્લેષાત્મક સંબન્ધ થાય તે સ્પષ્ટ-સ્પર્શમાત્રને પ્રાપ્ત થયેલા કહેવાય છે. કારણ કે “પુરનું વ તપુનિ' શરીરને વિષે ધૂળની પેઠે સ્પર્શ કરાયેલા “શશ્વને-પ્રતિપદન્ડેડ િિત શબ્દાઃ જે વડે અર્થોનું પ્રતિપાદન કરાય તે શબ્દો, તેને સાંભળે-ગ્રહણ કરે? તાત્પર્ય એ છે કે-શ્રોત્રેન્દ્રિય સ્પષ્ટમાત્ર શબ્દ દ્રવ્યને જાણે છે, પણ ધ્રાણેન્દ્રિયાદિની પેઠે બદ્ધસ્કૃષ્ટ દ્રવ્યને નહિ, કારણ કે શબ્દદ્રવ્યો ધ્રાણેજિયાદિના વિષયભૂત દ્રવ્ય કરતાં સૂક્ષ્મ છે અને ઘણાં છે. તેમજ તે ક્ષેત્રમાં રહેલાં શબ્દયોગ્ય દ્રવ્યને વાસિત કરનારા છે, તેથી સૂક્ષ્મ હોવાથી, અતિઘણાં હોવાથી અને અન્ય દ્રવ્યને વાસિત કરનાર હોવાથી આત્મપ્રદેશોની સાથે સ્પષ્ટમાત્ર-સ્પર્શમાત્રને પ્રાપ્ત થયેલાં નિવૃત્તિ ઈન્દ્રિયમાં પ્રવેશ કરીને જલદી ઉપકરણેન્દ્રિયને-શબ્દગ્રહણ કરવાની શક્તિને અભિવ્યક્ત કરે છે. વળી શ્રોત્રેન્દ્રિય પોતાના વિષયને જાણવામાં ધ્રાણેન્દ્રિય કરતાં વધારે સમર્થ છે, તેથી તે સૃષ્ટમાત્ર શબ્દદ્રવ્યને જાણે છે, પરન્તુ અસ્પષ્ટ-સર્વથા આત્મપ્રદેશો સાથે સંબન્ધને નહિ પ્રાપ્ત થયેલા દ્રવ્યોને જાણતી નથી. કારણ કે તેનો શ્રોત્રેન્દ્રિયને પ્રાપ્ત થયેલા વિષયને જાણવાનો સ્વભાવ છે. જે પ્રકારે શ્રોત્રેન્દ્રિય પ્રાપ્તકારી–પ્રાપ્ત થયેલા વિષયને જાણવાના સ્વભાવવાળી છે, તે પ્રકારે નદિસૂત્રની ટીકાદિમાં ચર્ચા કરી છે માટે તે ત્યાંથી જાણી લેવું. પુરું અંતિ! રૂવાડું –હે ભગવન્! સ્પષ્ટ રૂપને જુએ-ઇત્યાદિ સુગમ છે. ઉત્તર કહે છે– ગૌતમ! ચક્ષુ સ્પષ્ટ રૂપને ન જુએ, પરન્તુ અસ્પષ્ટ રૂપને જુએ, કારણ કે ચક્ષુ અપ્રાપ્ત વિષયને ગ્રહણ કરે છે અને તે અપ્રાપ્તકારિત્વ તત્ત્વાર્થટીકામાં સવિસ્તરપણે સિદ્ધ કરેલું છે માટે ત્યાંથી જાણી લેવું. ગત્પાદિવિષયક સૂત્રો સ્પષ્ટ છે, પરન્તુ સૃષ્ટાનું સ્થાન માજિપ્રતિ'—સ્કૃષ્ટ ગબ્ધને સુંઘે છે-ઇત્યાદિ જો કે કહ્યું છે, તો પણ બદ્ધસ્પષ્ટ ગબ્ધને સુંઘે છે એમ જાણવું, કારણ કે આવશ્યક નિર્યુક્તિમાં કહ્યું છે કે "पुढे सुणेइ सदं रूवं पुण पासइ अपुढे तु। गंधं रसं च फासं बद्धपुढे वियागरे"। સ્પષ્ટ શબ્દ સાંભળે છે, અને અસ્પષ્ટ રૂપને જુએ છે, ગંધ, રસ અને સ્પર્શ બદ્ધસ્કૃષ્ટને જાણે છે. તેમાં સ્પષ્ટ એટલે પૂર્વની પેઠે આત્મપ્રદેશોની સાથે સંબન્ધમાત્રને પ્રાપ્ત થયેલા, અને બદ્ધ એટલે આત્મપ્રદેશો વડે અપનાવેલા, કારણ કે વીર્ય પદિ' બદ્ધ એટલે પ્રદેશોવડે આત્મકૃત-એકમેક કરાયેલા-એવું શાસ્ત્રનું વચન છે અહીં બદ્ધ વિશેષણ છે અને સ્પષ્ટ વિશેષ છે, અને તેઓનો વિશેષણ સમાસ થાય છે. અહીં સ્પર્શમાત્રથી સ્પષ્ટ થાય છે. જેમકે શબ્દ. તેથી સ્પર્શમાત્રને નિષેધ કરીને સ્પર્શવિશેષની અડચણ વિના પ્રતિપતિ બોધ થાય માટે બદ્ધ વિશેષણનું ગ્રહણ કરેલું છે. એટલે બદ્ધરૂપ થયેલા સ્પષ્ટ વિષયને જાણે છે, અન્યને જાણતી નથી. શાથી? કારણ કે ગંધાદિ દ્રવ્યો.બાદર-સ્થૂલ છે, અલ્પ છે, અને ભાવુક-વાસક (કોઇને વાસિત કરનારા) નથી, વળી ઘાણ વગેરે ઇન્દ્રિયો પણ શ્રોત્રેન્દ્રિયની અપેક્ષાએ મન્દ શક્તિવાળી છે. હવે પ્રવિષ્ટ અને અપ્રવિષ્ટ વિષયનો વિચાર કરે છે–પવિઠ્ઠાઈ ભંતે! સદાઈ' હે ભગવન્! પ્રવિષ્ટ શબ્દો સાંભળે? ઇત્યાદિ સૂત્ર પાઠસિદ્ધ છે, પરન્તુ સ્પર્શ શરીરમાં ધૂલીના કણની પેઠે થાય છે અને પ્રવેશ મુખમાં કોળીયાની પેઠે થાય છે. એમ શબ્દાર્થ ભિન્ન હોવાથી સ્પષ્ટ અને પ્રવિષ્ટ સંબન્ધી સૂત્રોનો ભિન્ન વિષય જાણવો. ll૧૩૪૩૭ll 446
SR No.005761
Book TitlePragnapana Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri, Jayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_pragyapana
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy