________________
श्री प्रज्ञापना सूत्र भाग १
तेरसमं परिणामपयं अजीवपरिणामा (ટી) વન્ય પરિણાને મંત! સિવિશે' હે ભગવન્! બધનપરિણામ કેટલા પ્રકારે છે? ઇત્યાદિ. હે ગૌતમ! ' સ્નિગ્ધબન્ચનપરિણામ અને રૂક્ષબન્ચનપરિણામ એ બે પ્રકારે છે. સ્નિગ્ધ છતાં તેના બન્ધનના પરિણામ તે સ્નિગ્ધબન્ચનપરિણામ અને રૂક્ષ છતાં તેના બન્ધનના પરિણામ તે રૂક્ષબન્ચનપરિણામ. કેવા પ્રકારના સ્નિગ્ધ અને કેવા પ્રકારના રૂક્ષનો બન્ચનપરિણામ થાય છે? એ માટે બંધનપરિણામનું લક્ષણ-સ્વરૂપ બતાવે છે–“સમનિયાણ' ઇત્યાદિ. સ્કંધનો “સમષિતાય' પરસ્પર સમાનગુણ સ્નિગ્ધતામાં બન્ધ થતો નથી. તથા પરસ્પર સમકક્ષતામાં સમાનગુણ રૂક્ષતામાં પણ બન્ધ થતો નથી, પરન્તુ વિમાત્રાધક્ષત્વેન' જો સ્નિગ્ધતાની કે રૂક્ષતાની વિષમ માત્રા-પ્રમાણ હોય તો પરસ્પરબન્ધ થાય છે. તાત્પર્ય એ છે કે સમાનગુણ સ્નિગ્ધ પરમાણુ આદિનો સમાનગુણ સ્નિગ્ધ પરમાણુ વગેરેની સાથે સંબન્ધ થતો નથી, તેમ સમાનગુણવાળા રૂક્ષ પરમાણુ આદિનો સમાનગુણવાળા રૂક્ષ પરમાણુ આદિની સાથે સંબન્ધ થતો નથી, પરન્તુ જો વિષમગુણવાળો હોય તો સ્નિગ્ધ સ્નિગ્ધની સાથે અને રૂક્ષ રૂક્ષની સાથે સ્નેહ કે રૂક્ષપણાનું વિષમ પ્રમાણ હોવાથી તેઓનો પરસ્પર બન્ધ થાય છે. “વિષમ માત્રા વડે બન્ધ થાય છે એમ કહ્યું, માટે વિષમ માત્રાનું નિરૂપણ કરે છે–f fબહેન સુયોહિણી' ઇત્યાદિ. જો સ્નિગ્ધ પરમાણુઆદિનો સ્નિગ્ધગુણવાળા પરમાણુઆદિની સાથે બબ્ધ થાય તો અવશ્ય બે ત્રણ આદિ અધિકગુણવાળા પરમાણુઆદિની સાથે થાય, જો રૂક્ષગુણવાળા પરમાણુ વગેરેની સાથે રૂક્ષગુણવાળા પરમાણુ વગેરેનો બન્ધ થાય તો પણ બે ત્રણ આદિ અધિકગુણવાળા પરમાણુ આદિની સાથે જ થાય, અન્યથા ન થાય. જો સ્નિગ્ધનો રૂક્ષની સાથે બન્ધ થાય તો કેવી રીતે થાય? તે બતાવે છે–fબદ્ધસ તુવષે' ઇત્યાદિ. સ્નિગ્ધનો રૂક્ષની સાથે બન્ધ થાય તો જઘન્યગુણ સિવાય વિષમ કે સમાન હોય તો બન્ધ થાય છે. તાત્પર્ય એ છે કે એકગુણ સ્નિગ્ધ કે એકગુણ રૂક્ષને છોડી બાકીનાનો બધા દ્વિગુણાધિક સ્નિગ્ધાદિ કે દ્વિગુણાધિક રૂક્ષાદિની સાથે બન્ધ થાય છે. એમ બન્ધપરિણામ કહ્યો. હવે ગતિ પરિણામ કહે છે-“ફરિણામે i પંક્તિ'! ૧. ાિથરૂક્ષત્વાન્ ૧ (તત્વાર્થ અ.પ. સૂ. ૩૨) સ્નિગ્ધપણાથી અને રૂક્ષપણાથી પુદ્ગલોનો પરસ્પર બન્ધ થાય છે. એટલે સ્નિગ્ધ અને રૂલ યુગલોનો સંયોગ થવાથી સ્નેહહેતુક અને રૂક્ષત્વહેતુક પુદ્ગલોનો બન્ધ થાય છે. તે બન્ધ સજાતીય અને વિજાતીય એમ બે પ્રકારનો છે. તેમાં સ્નિગ્ધની સાથે સ્નિગ્ધનો બન્ધ અને રૂક્ષની સાથે રૂક્ષનો બન્ધ તે સજાતીય અથવા સદશ બન્ધ છે. અને સ્નિગ્ધ અને રૂક્ષનો પરસ્પર બન્ધ તે વિજાતીય કે વિસદશ બન્ધ છે. આ સૂત્ર સામાન્ય રીતે સ્નેહહેતુક, રૂક્ષતાહેતુક પુદ્ગલોના બન્ધનું વિધાન કરે છે. તેનો અપવાદ છે તે બતાવે છે-“ નવચણાનામ્" (તત્ત્વાર્થ અ.૫. સૂ. ૩૩) જઘન્યગુણવાળા-એકગુણવાળા સ્નિગ્ધ અને જઘન્યગુણવાળાએક ગુણવાળા રૂલ પુદ્ગલોનો સજાતીય અને વિજાતીય બન્ધ થતો નથી. તાત્પર્ય એ છે કે જઘન્યગુણવાળા સ્નિગ્ધ પગલોનો જઘન્યગુણવાળા સ્નિગ્ધ કે જઘન્યગુણવાળા રૂક્ષ પુદ્ગલોની સાથે, તેમ જઘન્યગુણવાળા રૂક્ષ પુદ્ગલોનો જઘન્યગુણવાળા સ્નિગ્ધ કે જઘન્યગુણવાળા રૂક્ષ પુદ્ગલોની સાથે બન્ધ થતો નથી. કારણ કે તેમાં પરિણામની શક્તિનો અભાવ છે. જઘન્ય સ્નેહગુણ થોડો હોવાથી જઘન્યગુણવાળા રૂક્ષ પુદ્ગલને પરિણાવવા સમર્થ નથી. આ સૂત્રનો ફલિતાર્થ એ છે કે–મધ્યમગુણવાળા કે ઉત્કૃષ્ટગુણવાળા સ્નિગ્ધ અને રૂષ પુદ્ગલોનો સદ્દશ કે વિસ૬શ બન્ધ થાય છે. તેનો પણ અપવાદ છે, તે જણાવે છે–'ગુખસાથે સદશાના' (તત્ત્વાર્થ અ.૫. સૂ. ૩૪). ગુણની સમાનતા હોય તો સશનો બન્ધ થતો નથી. તાત્પર્ય એ છે કે સંખ્યાતા, અસંખ્યાતા કે વાવતુ-અનન્ત ગુણવાળા સ્નિગ્ધ પુદ્ગલોનો તેવા જ પ્રકારના સ્નિગ્ધ પુદ્ગલોની સાથે કે તેવા પ્રકારના રૂક્ષ પુદ્ગલોનો સમાન ગુણવાળા રૂક્ષ પુદ્ગલોની સાથે બન્ધ થતો નથી. તેનો ફલિતાર્થ એ થાય છે કે ગુણની વિષમતા હોય તો સદશ પુદ્ગલોનો બન્ધ થાય છે, અને ગુણની સમાનતા હોય તો વિસદશ પુદ્ગલોનો બન્ધ થાય છે. હવે ગુણની વિષમતાની મર્યાદાને નિયત કરે છે–ધિMિાનાં તુ' (તત્ત્વાર્થ અ.૫. સૂ. ૩૫) બે, ત્રણ આદિ ગુણઅંશ વડે અધિક હોય તો સ્નિગ્ધ અને રૂક્ષ પુદ્ગલોનો સદશ બન્ધ પણ થાય છે. જેમકે–એક જઘન્યગુણવાળો નિગ્ધ પરમાણુ હોય તો ત્રિગુણ સ્નિગ્ધ પરમાણુની સાથે બન્ધ થાય છે, તેમ જઘન્યગુણવાળા રૂલ પરમાણનો ત્રિગુણાધિક-ત્રિગુણ રૂલ પરમાણુની સાથે બન્ધ થાય છે. એટલે આ બધા સૂત્રોનું તાત્પર્ય એ છે કે-૧ જઘન્યગુણવાળા નિગ્ધ કે રૂક્ષ પુદ્ગલોનો જઘન્યગુણવાળા સ્નિગ્ધ કે રૂલ પરમાણુઓ સાથે સદશ કે વિસદશ બન્ધ થતો નથી. ૨ જાન્યગુણવાળા પુદ્ગલોનો એકાધિક ગુણવાળા પુદ્ગલોની સાથે સશ બન્ધ થતો નથી પણ વિસદશ બન્ધ થાય છે, જઘન્યગુણવાળા સાથે દ્વિગુણાધિક પુદ્ગલોનો સદશ અને વિસદશ બન્ધ થાય છે. જઘન્ય સિવાયના ગુણવાળા પુદ્ગલો સાથે તેના સમાન જઘન્યગુણ સિવાયના પુદ્ગલોનો સહા બન્ધ થતો નથી, વિસદશ બન્ધ થાય છે. જઘન્ય ગુણ સિવાયના પુદ્ગલો સાથે એકાધિક જઘન્યતર પુદ્ગલોનો સદશ બન્ધ થતો નથી પણ વિસદશ બન્ધ થાય છે. જઘન્યતર ગુણવાળા પુલોનો દ્વિગુણાધિકાદિ જઘન્યતર પુદ્ગલો સાથે સદશ અને વિસદશ બન્ધ થાય છે. 430