________________
बारसमं सरीरपयं देवाणं बद्ध-मुक्कसरीरपरूवणा
श्री प्रज्ञापना सूत्र भाग १ અવસર્પિણી વડે અને ક્ષેત્રથી અંગુલના પ્રથમ વર્ગમૂળને ત્રીજા વર્ગમૂળની સાથે ગુણતાં જે સંખ્યા આવે, જેમ કે અંગુલમાત્ર ક્ષેત્રના પ્રદેશરાશિનું પ્રમાણ અસત્કલ્પનાથી બસો છપ્પન છે, તેના પ્રથમ વર્ગમૂળ સોળને ત્રીજા વર્ગમૂળરૂપ બે વડે ગુણવા, અને ગુણવાથી અસત્કલ્પનાએ બત્રીશ પ્રદેશો આવે, એટલા પ્રદેશપ્રમાણ ખંડ વડે અપહાર કરતાં જેટલામાં શ્રેણિ પૂરી થાય છે તેટલામાં મનુષ્યો પણ પૂરા થાય છે.
પ્ર૦–પૂર્વે કહેલા પ્રમાણના ખંડો વડે એક શ્રેણિનો અપહાર કરતાં અસંખ્યાતા ઉત્સર્પિણી-અવસર્પિણીઓ કેમ લાગે? ઉ૦–ક્ષેત્ર અતિસૂક્ષ્મ હોવાથી. સૂત્રમાં પણ કહ્યું છે કે “કાળ સૂક્ષ્મ છે અને તેથી અધિક સૂક્ષ્મ ક્ષેત્ર છે. અંગુલપ્રમાણ શ્રેણિમાં (સમયે સમયે એક એક પ્રદેશનો અપહાર કરતા) અસંખ્યાતી ઉત્સર્પિણી-અવસર્પિણીઓ લાગે છે. ઔદારિક મુક્ત શરીરો - સામાન્ય મુક્તની પેઠે જાણવાં. બદ્ધ વૈક્રિય શરીરો સંખ્યાતા છે, કારણ કે ગર્ભમાં કેટલાકને જ વૈક્રિયલમ્બિનો સંભવ છે. મુક્ત
રીરો સામાન્ય મક્તની પેઠે જાણવાં. આહારક શરીરો સામાન્ય આહારકની જેમ અને બદ્ધ તૈજસ કામણ શરીરો બદ્ધ દારિકની પેઠે સમજવા. તથા મુક્ત તેજસ અને કામણ સામાન્ય મુક્તની જેમ જાણવા.
બન્નરોને ઔદારિક શરીરો નરયિકોની જેમ સમજવા. તેઓને બદ્ધ વૈક્રિયશરીરો અસંખ્યાતા છે. તેમાં કાળથી પરિમાણપ્રતિસમય એક એકનો અપહાર કરવામાં આવે તો અસંખ્યાતી ઉત્સર્પિણી-અવસર્પિણી વડે અપહરાય. ક્ષેત્રથી પરિમાણઅસંખ્યાતી શ્રેણિઓ, એટલે અસંખ્યાતી સૂચિ શ્રેણિઓમાં જેટલા આકાશપ્રદેશો હોય તેટલા વ્યન્તરો છે. તે શ્રેણિઓ કેટલી છે? પ્રતરના અસંખ્યાતમા ભાગ પ્રમાણ છે. વૈક્રિય શરીરો નૈરયિકોની પેઠે વન્તરોને જાણવા. કેવળ સૂચિમાં વિશેષતા છે. તે બાબત સૂત્રકાર જણાવે છે. પરંતુ માત્ર તે શ્રેણિઓની વિખ્રભસૂચી કહેવી જોઇએ. અને તે પ્રસિદ્ધ હોવાથી કહી નથી. કેવી રીતે પ્રસિદ્ધ છે? ઉત્તર-અહીં મહાદંડકમાં પંચેન્દ્રિય તિર્યંચ નપુંસકો કરતાં અસંખ્યાતગુણહીન વ્યત્તરો કહ્યા છે. તેથી એની વિષ્કભસૂચી પણ તિર્યંચ પંચેન્દ્રિયની વિષ્કસૂચી કરતાં અસંખ્યાતગુણહીન કહેવી જોઇએ. મૂલ ટીકાકાર પણ કહે છે
કારણ કે મહાદંડકમાં પંચેન્દ્રિય તિર્યંચ નપુંસકો કરતાં અસંખ્યાતગુણા ઓછા વ્યન્તરો કહેલાં છે, તેથી વિષ્કમભસૂચી પણ તે કરતાં અસંખ્યાતગુણ હીન કહેવી.’ હવે પ્રતિભાગ કહેવાય છે–પ્રતિભાગ-ખંડ, સંખ્યાતા સેંકડો યોજનાના વર્ગપ્રમાણ પ્રતિભાગ ખંડ પ્રતરને પૂરવામાં કે અપહરવામાં જાણવો. અહીં ‘પૂરવામાં કે અપહરવામાં’ એ વાક્યનો શેષ-અધ્યાહાર છે. સંખ્યાતા સેંકડો યોજનાના વર્ગપ્રમાણ શ્રેણિખંડને વિષે એક એક વત્તા સ્થાપીએ તો આખું પ્રતર પૂરું ભરાઈ જાય. અથવા એક એક વ્યન્તરનો અપહાર કરતાં સંખ્યાતા સેંકડો યોજનાના વર્ગપ્રમાણ એક એક શ્રેણિખંડ અપહરીએ તો એક તરફ વ્યરો ખાલી થાય અને બીજી તરફ આખું પ્રતર ખાલી થાય. મુક્ત શરીરો ઔધિક મુક્તની પેઠે જાણવા. આહારક શરીરો નરયિકોની જેમ, બદ્ધ તેજસ અને કાર્મણ શરીર બદ્ધ વૈક્રિયની પેઠે અને મુક્ત શરીરો ધિક મુક્તની જેમ જાણવા. જ્યોતિષ્કોને ઔદારિક શરીરો નરયિકની જેમ હોય છે. બદ્ધ ક્રિય શરીર અસંખ્યાતા છે. તેમાં કાળને આશ્રયી માર્ગણામાં પ્રતિસમય એક એકનો અપહાર કરવામાં આવે તો અસંખ્યાતી ઉત્સર્પિણી અને અવસર્પિણી વડે બધા અપહરાય. ક્ષેત્રથી અસંખ્યાતી શ્રેણિઓ છે અને તે પ્રતરના અસંખ્યાતમા ભાગ પ્રમાણ છે, તે બાબત સૂત્રકાર કહે છે-જ્યોતિષિકોને એમ જ સમજવું. પરંતુ એટલો વિશેષ છે કે તે શ્રેણિઓની વિખંભ સૂચી કહેવી જોઇએ. આ પણ સુપ્રસિદ્ધ હોવાથી કહી નથી, કારણ કે મહાદંડકમાં વ્યત્તરથી
જ્યોતિષિકો સંખ્યાતગુણા કહ્યા છે, તેથી તેઓની વિખંભસૂચી પણ વ્યત્તરોની વિખંભસૂચી કરતાં સંખ્યાતગુણી જાણવી. તે બાબત મૂલ ટીકાકાર કહે છે-“કારણ કે વ્યન્તરોથી જ્યોતિષિકો સંખ્યાતગુણા કહેલા છે, તેથી તેઓની વિખ્રભસૂચી પણ વ્યન્તરો કરતાં સંખ્યાતગણી હોય છે. પરંતુ પ્રતિભાગમાં સ્પષ્ટ વિશેષતા છે તે સૂત્રકાર જણાવે છે–બસો છપ્પન અંગુલના વર્ગપ્રમાણ પ્રતિભાગ-શ્રેણિનો ખંડ ખતરને પૂરવામાં કે અપહરવામાં ઉપયોગી છે. અહીં પણ આ ભાવાર્થ છે બસો છપ્પન
421