SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ श्री प्रज्ञापना सूत्र भाग १ तइयं अप्पाबहुयं पयं चउत्थं कायदारं તેથી અપર્યાપ્તા ત્રસકાયિકો અસંખ્યાતગુણા છે. તેથી અપયા તેજસ્કાયિકો અસંખ્યાતગુણા છે. તેથી અપર્યાપ્તા પૃથિવીકાયિકો વિશેષાધિક છે. તેથી અપર્યાપ્તા અપ્લાયિકો વિશેષાધિક છે, તેથી અપર્યાપ્તા વાયુકાયિકો વિશેષાધિક છે, તેથી પર્યાપા તેજસ્કાયિકો સંખ્યાતગુણા છે, તેથી પર્યાપ્ત પૃથિવીકાયિકો વિશેષાધિક છે, તેથી પર્યાપ્તા અખાયિકો વિશેષાધિક છે, તેથી પર્યાપ્તા વાયુકાયિકો વિશેષાધિક છે, તેથી અપર્યાપ્તા વનસ્પતિકાયિકો અનંતગુણા છે, તેથી અપર્યાપ્તા સકાયિકો વિશેષાધિક છે, તેથી પર્યાપ્ત વનસ્પતિકાયિકો સંખ્યાતગુણા છે, તેથી પર્યાપ્ત સકાયિકો વિશેષાધિક છે અને તેથી સકાયિકો વિશેષાધિક છે. ll૨oll૧૫૬/l (ટી૦) પર્યાપ્તા અપર્યાપ્તા એવા સકાયિકાદિ સમુદાયનું અલ્પબહુત કહે છે–સૌથી થોડા પર્યાપ્તા ત્રસકાયિકો છે, તેથી અપર્યાપ્ત ત્રસકાયિકો અસંખ્યાતગુણા છે, કેમકે પર્યાપ્ત બેઈન્દ્રિયાદિથી અપર્યાપ્ત બેઈન્દ્રિયો અસંખ્યાતગુણા છે. તેથી અપર્યાપ્ત તેજસ્કાયિકો અસંખ્યાતગુણા છે, કારણ કે તેઓ અસંખ્યાતા લોકાકાશ પ્રદેશપ્રમાણ છે, તેથી અપર્યાપ્ત પૃથિવી, અપૂ અને વાયુઓ અનુક્રમે વિશેષાધિક છે, તેથી પર્યાપ્ત તેજસ્કાયિકો સંખ્યાતગુણા છે, કારણ કે સૂક્ષ્મ અપર્યાપ્તાથી પર્યાપ્તા સંખ્યાતગુણા છે. તેથી પૃથ્વી, અપૂ અને વાયુકાય પર્યાપ્તા ક્રમથી વિશેષાધિક છે. તેથી અપર્યાપ્ત વનસ્પતિકાય અનંતગુણા છે. તેથી પર્યાપ્તા વનસ્પતિકાય. સંખ્યાતગુણા છે, ઇત્યાદિ સુગમ છે. હવે સૂક્ષ્મબાદરનું અલ્પબદુત્વ કહે છે. ll૨૦૧૫૬ll एएसि णं भंते! सुहमाणं सुहुमपुढविकाइयाणं सुहुमआउकाइआणं सुहुमतेउकाइआणं सुहुमवाउकाइआणं सुहुमवणस्सइकाइआणं सुहुमनिओयाण य कयरे कयरेहितो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा? गोयमा! सव्वत्थोवा सुहुमतेउकाइया, सुहुमपुढविकाइआ विसेसाहिया, सुहुमआउकाइआ, विसेसाहिआ, सुहुमवाउकाइआविसेसाहिया,सुहुमनिगोदा असंखेज्जगुणा,सुहुमवणस्सइकाइया अणंतगुणा,सुहुमा विसेसाहिया Iટૂ-૨૦૧૭ના (મૂળ) હે ભગવન્! એ સૂક્ષ્મ જીવો, સૂક્ષ્મ પૃથિવીકાયિકો, સૂક્ષ્મ અખાયિકો, સૂક્ષ્મ તેજસ્કાયિકો, સૂક્ષ્મ વાયુકાયિકો, સૂક્ષ્મ વનસ્પતિકાયિકો, અને સૂક્ષ્મ નિગોદોમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે? હે ગૌતમ! સૌથી થોડા સૂક્ષ્મ તેજસ્કાયિકો છે, તેથી સૂક્ષ્મ પૃથિવીકાયિકો વિશેષાધિક છે, તેથી સૂક્ષ્મ અપ્લાયિકો વિશેષાધિક છે, તેથી સૂક્ષ્મ વાયુકાયિકો વિશેષાધિક છે, તેથી સૂક્ષ્મ નિગોદો અસંખ્યાતગુણા છે, તેથી સૂક્ષ્મ વનસ્પતિકાયિકો અનંતગુણા છે અને તેથી સૂક્ષ્મો (સૂક્ષ્મનામ કર્મોદયવાળા જીવો) વિશેષાધિક છે. //ર ૧/૧૫૭ll , (ટી.) એ પ્રમાણે કાયદ્વારમાં પાંચ સૂત્રોનું પ્રતિપાદન કર્યું. હવે આજ કારમાં સૂક્ષ્મ અને બાદરાદિના ભેદથી પંદર સૂત્રો (૨૧ થી ૩૫ સુધી) કહે છે-સૌથી થોડા સૂક્ષ્મ તેજસ્કાયિકો છે. કારણ કે તેઓ અસંખ્યાતા લોકાકાશના પ્રદેશો જેટલા છે. તેથી સૂક્ષ્મ પૃથિવીકાયિકો વિશેષાધિક છે, કારણ કે તેઓ ઘણા અસંખ્યાતા લોકાકાશના પ્રદેશ પ્રમાણ છે, તેથી સૂક્ષ્મ અખાયિકો વિશેષાધિક છે, કારણ કે તેઓ અતિ ઘણા અસંખ્યાતા લોકાકાશ પ્રદેશપ્રમાણ છે, તેથી સૂક્ષ્મ વાયુકાયિકો વિશેષાધિક છે, કારણ કે તેથી પણ ઘણા મોટા અસંખ્યાતા લોકાકાશના પ્રદેશ પ્રમાણ છે, તેથી સૂક્ષ્મ નિગોદો અસંખ્યાતગુણ છે, અહીં સૂક્ષ્મનું ગ્રહણ બાદરનો નિષેધ કરવા માટે છે. નિગોદો (સાધારણ વનસ્પતિકાયિક શરીરો) બે પ્રકારના છે. તેમાં સૂરણકન્દ વગેરે બાદર નિગોદો છે અને સૂક્ષ્મ નિગોદો સર્વલોકમાં વ્યાપ્ત છે. તે સૂક્ષ્મ નિગોદો દરેક ગોળામાં અસંખ્યાતા છે, તેથી તેઓ સૂક્ષ્મ વાયુકાયિકોથી અસંખ્યાતગુણા છે. તેથી સૂક્ષ્મ વનસ્પતિકાયિકો અનન્તગુણ છે, કારણ કે દરેક નિગોદમાં અનન્તા જીવો હોય છે. તેથી સામાન્ય સૂક્ષ્મ જીવો વિશેષાધિક છે, કારણ કે સૂક્ષ્મ પૃથિવીકાયિકોનો પણ તેમાં પ્રક્ષેપ થાય છે..રિ૧/૧૫૭ના एएसिणं भंते!सुहुमअपज्जत्तगाणंसुहुमपुढविकाइयाअपज्जत्तगाणंसुहुमआउकाइयाअपज्जत्तगाणंसुहुमतेउकाइयाअपज्जत्तयाणं सुहुमवाउकाइयाअपज्जत्ताणंसुहुमवणस्सइकाइयाअपज्जत्तयाणंसुहुमनिगोदअपज्जत्ताण य 176
SR No.005761
Book TitlePragnapana Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri, Jayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_pragyapana
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy