________________
श्री प्रज्ञापना सूत्र भाग १
प्रथम पद मणुस्स जीव पण्णवणा કામિંજુય, વંજુલગ, તેતર, વર્તકા—બતક, લાવક, કપોત–હોલા, કપિંજલ, પારાવત–પારેવા, ચટક (ચકલા), ચાસ, કુકડા, શુક, બર્હી–મોર, મદનશલાકા, કોકિલ (કોયલ), સેહ, વરિલ્લગ-ઇત્યાદિ. એમ લોમપક્ષી કહ્યા. સમુદ્ગ પક્ષી કેટલા પ્રકારના છે? સમુદ્ગક પક્ષી એક પ્રકારના કહ્યા છે. તેઓ અહીં અઢી દ્વીપમાં નથી, બહારના દ્વીપ–સમુદ્રોમાં હોય છે. એમ સમુદ્ગક પક્ષી કહ્યા. વિતતપક્ષી કેટલા પ્રકારના છે? વિતતપક્ષી એક પ્રકારના કહ્યા છે. તેઓ અહીં નથી, પણ બહારના દ્વીપ–સમુદ્રોમાં હોય છે. એમ વિતતપક્ષી કહ્યા. તે ખેચરો સંક્ષેપથી બે પ્રકારના છે. તે આ પ્રમાણે—સંમૂર્છિમ અને ગર્ભજ. તેમાં જે સંમૂર્ચ્છિમ છે તે સઘળા નપુંસક છે. તેમાં જે ગર્ભજ છે તે ત્રણ પ્રકારના છે. તે આ પ્રમાણે–સ્રી, પુરુષ અને નપુંસક. એ પ્રકારના પર્યાપ્તા અને અપર્યાપ્તા એ ખેચર પંચેન્દ્રિય તિર્યંચયોનિકોના યોનિથી ઉત્પન્ન થયેલાં બાર લાખ ક્રોડ જાતિકુલો હોય છે–એમ કહ્યું છે. ‘સાત, આઠ, નવ, સાડાબાર, દસ, દસ, નવ અને બાર લાખ ક્રોડ જાતિકુલો (બેઇન્દ્રિયાદિથી માંડીને ખેંચર પંચેન્દ્રિય તિર્યંચ સુધી) અનુક્રમે જાણવા.' એમ ખેચર પંચેન્દ્રિય તિર્યંચયોનિકો કહ્યા, અને એમ પંચેન્દ્રિય તિર્યંચયોનિકો કહ્યા. ।।૫૮૫
(ટી૦) હવે ખેચર પંચેન્દ્રિય તિર્યંચોનું સ્વરૂપ કહેવાની ઇચ્છાવાળા સૂત્રકાર કહે છે—ખેચરપંચેન્દ્રિય-આકાશમાં ઉડતા તિર્યંચયોનિકો કેટલા પ્રકારના છે? આચાર્ય કહે છે-ખેચર પંચેન્દ્રિય તિર્યંગ્યોનિકો ચાર પ્રકારના કહ્યા છે-‘તવ્ યથા-પર્મપક્ષી' ઇત્યાદિ. ચર્મમય પાંખો—ચામડાની પાંખો જેઓની છે તે ચર્મપક્ષી, અને લોમ–રુંવાંટા, પીંછાની પાંખો જેઓની છે તે લોમપક્ષી. ગમન કરવા છતાં પણ સમુદ્ગક–પેટીની પેઠે બંધ રહેલી સંકુચિત પાંખો જેઓની છે તે સમુદ્ગકપક્ષી, હમેશાં વિતત–ઉઘાડેલી પાંખો જેઓની છે તે વિતતપક્ષી. ‘સે×િä' ઇત્યાદિ. ચર્મપક્ષી કેટલા પ્રકારના છે? ચર્મપક્ષી અનેક પ્રકારના કહ્યા છે. તે આ પ્રમાણે‘વભુતી’ ઇત્યાદિ. એ ભેદો લોક થકી જાણી લેવા. બીજા જે તેવા પ્રકારના છે તે ચર્મપક્ષી જાણવા. ઉપસંહાર કહે છે– ‘એમ ચર્મ પક્ષી કહ્યા.’ લોમપક્ષીનું પ્રતિપાદન કરવા માટે સૂત્રકાર કહે છે—સે જિં તેં' ઇત્યાદિ. લોમપક્ષી કેટલા પ્રકારના છે વગેરે. આ લોમપક્ષીના ભેદો લોક થકી જાણવા. સમુદ્ગપક્ષીનું પ્રતિપાદન કરે છે—સમુદ્ગક પક્ષી કેટલા પ્રકારના છે– ઇત્યાદિ પાઠસિદ્ધ જાણવું. એમ વિતતપક્ષી સંબંધી પણ સૂત્ર જાણવું. ‘તે ખેચર જીવો સંક્ષેપથી બે પ્રકારના છે’–ઇત્યાદિ પૂર્વની પેઠે વિચારવું. તેઓના યોનિથી ઉત્પન્ન થયેલાં બાર લાખ ક્રોડ જાતિકુલો હોય છે. એઓનો શરીરાદિ દ્વારોને વિષે જે વિચાર તથા સ્ત્રી, પુરુષ અને નપુંસકોનું જે અલ્પબહુત્વ છે તે 'જીવાભિગમની ટીકાથી જાણી લેવું. ગ્રન્થના વિસ્તારના ભયથી અહીં લખતા નથી. હવે શિષ્યજન ઉપર કૃપા કરવા માટે બેઇન્દ્રિય વગેરેની લાખો ક્રોડ જાતિકુલોની સંખ્યા બતાવનાર સંગ્રહણી ગાથા કહે છે—અહીં બેઇન્દ્રિયોથી આરંભી અનુક્રમે સંખ્યાપદની યોજના કરવી. તે આ પ્રમાણે બેઇન્દ્રિયોના સાત લાખ ક્રોડ જાતિકુલો હોય છે. તેઇન્દ્રિયોના આઠ લાખ ક્રોડ, ચઉરિંદ્રિયોના નવ લાખ ક્રોડ, જલચર પંચેન્દ્રિયોના સાડા બાર લાખ ક્રોડ, ચતુષ્પદ સ્થલચર પંચેન્દ્રિયોના દશ લાખ ક્રોડ, ઉરપરિસર્પ સ્થલચર પંચેન્દ્રિયોના દશ લાખ ક્રોડ, ભુજપરિસર્પ સ્થલચર પંચેન્દ્રિયોના નવ લાખ ક્રોડ અને ખેચર પંચેન્દ્રિયોના બાર લાખ ક્રોડ જાતિકુલો હોય છે. એ પ્રમાણે પંચેન્દ્રિય તિર્યંચયોનિકો કહ્યા. (ચાર લાખ જીવયોનિ તિર્યંચ પંચેન્દ્રિયોની હોય છે.) II૫૮॥
|| મનુઅનીવ વળવા ||
से किं तं मणुस्सा? मणुस्सा दुविहा पन्नत्ता । तं जहा-संमुच्छिममणुस्सा य गब्भवक्कंतियमणुस्सा य। से किं तं संमुच्छिममणुस्सा ? कहि णं भन्ते ! संमुच्छिममणुस्सा संमुच्छंति ? गोयमा ! अंतो मणुस्सखित्ते पण[णु]यालीसाए जोयणसयसहस्सेसु, अड्ढाइज्जेसु दीवसमुद्देसु, पन्नरससु कम्मभूमीसु, तीसाए अकम्मभूमीसु छप्पन्नाए अंतरदीवएसुगब्मवक्कतियमणुस्साणं चेव उच्चारेसु वा, पासवणेसुवा, खेलेसु वा, सिंघाणए सिंघाणेसु] ૧. જુઓ જીવાભિગમટીકા (આ.સ.) શરીરાદિદ્વારો સંબંધી પૃ. ૪૩-૪૪ અને અલ્પબહુત્વ સંબંધી પૃ. ૮૨-૮૭
70